Chapter 8

પ્રશ્ન : હું મારી જાતને સારા માણસમાં બદલવાની કોશિશ કરી રહ્યો છૂં છતાં મારે મારા ભૂતકાળના પાપોની સજા ભોગવવી પડશે એવી ચિંતા મને સતાવે છે. શું કરું ?

1 sections

Section 1

પ્રશ્ન : હું મારી જાતને સારા માણસમાં બદલવાની કોશિશ કરી રહ્યો છૂં છતાં મારે મારા ભૂતકાળના પાપોની સજા ભોગવવી પડશે એવી ચિંતા મને સતાવે છે. શું કરું ?

આપણને આપણા પાપોની સજા કોઈ કરતું નથી. ખરું જોતાં આપણે પોતે જ તેનાથી દંડીત થઈએ છીએ. પાપ હંમેશા પોતાની સજા સાથે લઈને જ આવે છે. પરંતુ આપણે તે બાબતમાં જાગૃત હોતા નથી. હકીકતમાં પાપની કબૂલાત કરવી તે સજા ભોગવવામાં ઢીલ કરવા સિવાય કશું જ નથી. એ માત્ર પોતાની જાતને અધિયારો આપવાની વાત છે કે, પાપ અત્યારે કર્યું છે, સજા પછી ક્યારેક મળશે. કદાચ જજમેન્ટના દિવસે. અથવા કદાચ કયામતના દિવસે, કે પછી બીજા જન્મમાં.

હું ચોરી કે ખૂન બાબતની વાત કરતો નથી. મારા માટે અજાગૃત, અભાન અવસ્થામાં કરેલી કોઈપણ ક્રિયા પાપ છે. અરે આપણું જમવાનું પણ પાપ છે. અને સ્વાભાવિક જ લાંબા સમયે તેની સજા લાવે જ છે. તમે જયારે ગુસ્સે થાવ છો, તમે જ્યારે ઈર્ષાખોર બનો છો, અથવા બદલાની ભાવનાવાળા બનો છો, ત્યારે તમે તમારી જાત પર હિંસા આચરો છો. ત્યારે તમારી આંતરિક સ્થિતિ સંવાદિતામાંથી બહાર નીકળી જાય છે. તમારી શાંતિ હણાય જાય છે. થોડી ક્ષણોનો ગુસ્સો પણ તમારી આંતરિક સિસ્ટમને ઝેરી બનાવી દે છે. અને તમારો મૂળભૂત લય, સંવાદિતા પ્રાપ્ત કરવામાં કલાકો કે દિવસો નીકળી જાય છે. આ તમારૂં પાપ છે અને જે તમે ભોગવો છો.

મુક્તિની ચિંતા એટલે આપણા અહમ્નો મોટો ઢંઢેરો પીટવો. તેથી ભ્રમમાં ન પડો, તેનાથી તમે પાછા તમારી મંઝિલથી દૂર થઈ જશો. તમે જયારે અહમ્ વિનાની સ્થિતિમાં હો છો, ફક્ત ત્યારે જ મુક્તિ થાય છે. જાગૃતતા આવે છે. તમે તેને આવકારવા તૈયાર હો છો. મુક્તિ એ કોઈ અભિવ્યક્તિ નથી. એ એવું કંઈક નથી, જેને ઉશ્કેરાટ અને પ્રયાસોથી મેળવી શકાય. હકીકતમાં તમે જયારે તમારી જાતની સુસંગતતામાં હો છો, સહજ, કુદરતી, પ્રયાસ વિહિન અને તૈયાર હો છો, આ સમયે જ તમે ઉત્તમ સાધના કરી શકો છો. ફક્ત આનંદ જ કરો.

જે કાંઈ મામાણિકતાથી આપી શકાય તે સત્ય છે.

44

જેને સુંદર શબ્દોમાં સજાવેલું છોય, આધ્યાત્મિક ભાષાથી શણગારેલું હોય તે અર્ધસત્ય છે. અર્ધસત્ય, અસત્ય કરતાં પણ અતિ ખતરનાક છે.

જ્યારે કોઈ વ્યક્તિ અસત્યનો અનુભવ કરે છે, ત્યારે તે અનુભવ અંતિમ પરનો હોય છે અને હંમેશા તેવો જ રહે છે. પરંતુ સત્યની અલગ અલગ અલગ અભિવ્યક્તિઓ ઘણી બધી ગુંચવણો પેદા કરે છે, તે વિવિધ પદ્ધતિઓમાં ખૂબ જ મોટું અંતર પેદા કરે છે.