Chapter 3

પ્રકરણ-૧ દ્દઃખમાંથી પરમઆનંદ તરફ

2 sections

# પ્રકરણ-૧ દ્દઃખમાંથી પરમઆનંદ તરફ

દુ:ખ (Pain) શું છે ?

આપણે આ બાબતનો તલસ્પર્શી, ઊંડાણથી અભ્યાસ કરીએ.

દુ:ખ શારીરિક, માનસિક અથવા ભાવનાત્મક હોઈ શકે.

શારીરિક પીડાની આપણે બહુ ચિંતા કરતા નથી. એક રીતે તો પીડા આપણા શરીરની મૂળભૂત જરૂરિયાત છે. જરા કલ્પના કરો કે, જો આપણને કોઈ શારીરિક પીડા ન હોય તો આપણે આપણા વાળને જે રીતે જુદી જુદી રીતે સંવારીએ છીએ તે જ રીતે ચહેરાથી લઈને શરીરના દરેક અંગને સંવારતા હોત ખરા ? અત્યારની યૂવા પેઢીની વાત જવા દો ! મજાક બાજુ પર રાખી દ્દઃખ એક એવી બાબત છે કે આપણને એકસૂત્રી માનવ બનાવે છે.

આપણે માનીએ છીએ કે આપણે આપણાં સમગ્ર શરીરથી જીવી રહ્યા છીએ, પરંતુ હકીકતમાં તેમ નથી. આપણે માત્ર શરીરના ઉપરના ભાગમાં જ જીવીએ છીએ. મારી આ વાતને સારી રીતે સમજવા માટે પ્રયોગ કરો. આંખો બંધ કરો અને મનમાં તમારી જાતની કલ્પના કરો. તમારું નામ બોલો. શરીરના કયા ભાગે તમારા મગજને સંદેશો મોકલ્યો ? ચોક્કસપણે તમારા ચહેરા અને ઉપરના અંગોએ. બરાબર ? શરીરના નીચેના ભાગોએ તો નહીં જ મોકલ્યો હોય ? આ બતાવે છે કે આપણે શરીરના દરેકે દરેક કોષો અને અંગોમાં જીવતા નથી હોતા. આપણા મન બાબતમાં પણ આવી જ ખાસિયત છે. ઉપરના અંગો પ્રભાવી છે અને હુકમ કરે છે. નીચેનો ભાગ તેનું પાલન કરે છે. તમારું ધ્યાન જે અંગો પર વધુ કેન્દ્રિત થાય છે, ત્યાં તમારી જાણ બહાર જ તમારી જીવન શક્તિનો

8

પ્રવાહ શરીરના તે અંગો તરફ જ વધુ રહે છે. જરા તમારા ગાલને સ્પર્શ કરો. કેટલા કોમળ અને જીવંત લાગે છે. હવે તમારા પગને સ્પર્શો. ગાલ જેવી જ કોમળતા લાગે છે ? ધ્યાનમાં રાખો કે તમે તમારા ગાલ જેટલા તમારા પગમાં જીવંત નથી. આવું કેમ થાય છે ? માનવું મુશ્કેલ છે છતાં પણ આવું એટલા માટે થાય છે કે પગ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ તેટલું થતું નથી. જ્યારે ચહેરા ઉપર આપણું ધ્યાન સૌથી વધારે હોય છે.

મન દુ:ખ (Pain) ઉપર કાબુ મેળવી શકે ?

માનસિક અને ભાવનાત્મક સ્તર ઉપર દુ:ખ, આપણે જે નિર્ણયો લઈએ છીએ તેનું પરિણામ છે. દ્દઃખ હંમેશા વર્તમાન ક્ષણની પ્રતિક્રિયામાંથી જન્મે છે. (અર્થપૂર્ણ રીતે) દરેક સમયે તમે જે દુ:ખના અનુભવો કરો છો, તે તે દ્દ્રઃખ તેના થોડા અવશેષો તેની પાછળ છોડતું જાય છે, જે તમારા શરીરમાં જમા થયા કરે છે. દિવસે દિવસે જમા થઈને વધતું ગયેલું દુ:ખ તમારી આસપાસ એક નકારાત્મક શક્તિનું ક્ષેત્ર વર્તુળ ઊભું કરે છે. જેને આપણે દ્દ્રઃખશરીર (Pain Body) કહી શકીએ. આ દ્દ્રઃખશરીર જ આપણાં દુ:ખની દરેક ભાતોનું નિયમન કરે છે.

વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે, કે આપણી ભાવનાત્મક અસમતુલા, આપણા ભૌતિક શરીરમાં અવ્યવસ્થા પેદા કરે છે. દા.ત., સેક્સ માણવાની ઈચ્છાનું દમન કરવાથી કમરનો દુ:ખાવો થાય છે અથવા આપણે જયારે ઘણી બધી જવાબદારીઓ એક સાથે ઉઠાવવાના વિચારો સુદ્ધા કરીએ ત્યારે ખભામાં દ્વઃખાવો થાય છે.

ખીચોખીચ ભરાયેલી બસમાં તમે વિવિધ જાતના લોકો વચ્ચે ઊભા હો છો, ત્યારે તમે મનથી તમારી જાતે કોઈને સ્પર્શતા નથી. તમારું સભાન મન જાણી જોઈને તમને એવું કરવા જ નહીં દે. તેથી તમે જાતને અંદરથી વધુને વધુ સંકોચીને ઊભા રહેશો.

કલકત્તામાં બે નાના આશ્રમ હતા. જેના પ્રમુખોને આપસમાં એકબીજા સાથે બિલકુલ સારા સંબંધો નહોતા. એક દિવસ એક સરકારી અધિકારી એક આશ્રમમાં રહેવા આવ્યો. આ આશ્રમના પ્રમુખને તેણે બીજા આશ્રમના પ્રમુખને મળવા જવા પોતાની સાથે આવવા કહ્યું. સ્વાભાવિક રીતે જ આ પ્રમુખ ખૂબ જ માનસિક એક તણાવ અનુભવવા લાગ્યા એમને ત્યાં જવું પણ નહોતું અને ના નાની પણ પાડી શકાય તેમ નહોતી ! અચાનક પ્રમુખ સાહેબને એવો વાર્તા તાવ ચઢી ગયો કે તેઓ રૂમની બહાર નીકળી શકવાને પણ શક્તિમાન ન રહ્યા. આ મેં મારી આંખોએ જોયું છે. જેવો પેલો સરકારી અધિકારી ચાલ્યો ગયો કે તરત જ પ્રમુખનો તાવ ઉતરી ગયો. શરીરનું તાપમાન સામાન્ય થઈ ગયું.

રવિવારની રજા પછી સોમવારની સવારે કામની શરૂઆત કરવાની હોય ત્યારે જરા અઘરું નથી લાગતું ? અરે બાળકોને પણ તેમને ન ગમતું કામ કરાવવાનું દબાણ કરીએ છીએ ત્યારે તે શારીરિક નબળાઈના લક્ષણો અનુભવે છે, જેમ કે સ્કૂલે ન જવું હોય તો ઘણીવાર તેમને તાવ આવી જાય છે. આવી જાતની બધી બિમારીઓ અણગમાને કારણે મન અને શરીરના વિરૂદ્ધ દિશાના ખેંચાણને લીધે પેદા થાય છે. આવા સમયે તમે તમારી જાત સાથે સહજ સુમેળ નથી અનુભવતા અને આ સહજ સુમેળનો અભાવ એટલે જ રોગ કહેવાય.

એક દિવસ એક રૂઢિયુસ્ત ફૂટુંબના સોહામણા યુવકને તેના માતા-પિતા અમારા હીલીંગ સેન્ટરમાં લાવ્યા. તેની સમસ્યા એ હતી કે યુવકને અચાનક દેખાતું બંધ થઈ ગયું હતું. તેના મા-બાપે રડતાં રડતાં તેમની આપવીતી સંભળાવી કે તેમનો દીકરો તદ્દન તંદુરસ્ત હતો પણ એક અઠવાડિયાં પહેલા જ એકાએક તેને આંખે દેખાતું બંધ થઈ ગયું છે. બધા મેડીકલ રિપોર્ટ

10

પ્રમાણે આંખમાં કોઈપણ પ્રકારની તકલીફ કે ખામી નથી. પરંતુ તેને કશું જ દુખાતું નથી. આવું કેમ બને ?

તે યુવકનું એનર્જી લેવલ તપાસ્યા પછી મેં તેના મા-બાપને કહ્યું કે; આ યુવકને થોડો સમય મારી સાથે એકલો રહેવા દો. તે યુવકને મારી સાથે એકાંતમાં વાત કરવાની તક મળી એટલે તેણે પોતાના દિલનો ઉભરો મારી સમક્ષ ઠાલવી દીધો. વાત એમ હતી કે "યુવક એક યુવતિના ગળાડુબ પ્રેમમાં હતો. પણ તેના મા-બાપે તે યુવતિને જોવાની સખત મનાઈ કરી હતી" તરત જ મને આ સમસ્યાનું મૂળ સમજાઈ ગયું. મેં તે યુવકને ત્રણ દિવસ સુધી એ યુવતિના ફોટા સામે સતત જોયા કરીને ધ્યાન કરવાની સલાહ આપી. તેના મા-બાપને તો એક આધ્યાત્મિક માણસે સમસ્યાનો આવો ઉપાય આપ્યો તે બદલ ખૂબ માનસિક ધક્કો લાગ્યો. પણ આ યુક્તિ કામ કરી ગઈ. ફક્ત ત્રણ દિવસમાં જ આ યુવકે તેની સંપૂર્ણ દેષ્ટિ પાછી મેળવી.

આવું કેમ બન્યું ?

પેલા યુવકને જેને જોવાની અદમ્ય ઇચ્છા હતી. તેના તરફ નહીં જોવાની ફરજ પાડવામાં આવી ત્યારે તેના આઘાતમાં, તેના અર્ધજાગૂત મને કંઈ જ નહીં જોવાનું નક્કી કરી લીધું. આમ તેનું આંધળાપણું ઊંડાણમાં ગહન રીતે માનસિક હતું., ઈન્દ્રિયો પર કાબુ મેળવવાની મન પાસે કેવી અદ્દભુત શક્તિ છે ?!! ખરેખર મન જ સર્વસ્વ છે. પુરાણમાં એક જગ્યાએ દર્શાવ્યું છે કે રાધા અને કૃષ્ણના જન્મ સમયમાં થોડીક ક્ષણોનો જ આંતરો હતો. રાધા બધી રીતે બધા સામાન્ય બાળક જેવી જ હતી સિવાય કે એ તેની આંખો નહોતી ખોલતી. થોડા દિવસો પછી રાધાની માતા નાનકડી રાધાને લઈને કૃષ્ણના ઘરે બાળકૃષ્ણને જોવા ગઈ. જેવી રાધા કૃષ્ણની સમક્ષ આવી કે તરત જ રાધાએ આંખો ખોલી નાંખી.

કહેવાય છે કે રાધા જયારે મોટી થઈ ત્યારે તેને તેની સખીએ આ બાબતમાં પૂછ્યું તો રાધાએ કહ્યું 'આ દ્દુનિયામાં બીજું જોવા જેવું છે પણ શું ? મેં કૃષ્ણ માટે જ જન્મ લીધો છે અને સૌ પ્રથમ મને કૃષ્ણ દર્શન જ થાય તે માટે જયાં સુધી મને કૃષ્ણ સમક્ષ ન લઈ ગયા ત્યાં સુધી મેં આંખો ન ખોલી. મેં રાહ જોઈ.

આ માત્ર એક વાર્તા હોઈ શકે પરંતુ તે શરીર ઉપર મનની શક્તિના અદુભૂત કાબુ વિશે ઘણું બધું કહી જાય છે.

હકીકતમાં આપણે એવું કહી શકીએ કે દુઃખ, પીડા, દર્દ એ આપણા શરીર દ્વારા મનને લખાયેલો માંગણીપત્ર છે. જેમાં ઉલ્લેખ છે કે "મહેરબાની કરીને મારા તરફ થોડું ધ્યાન (Attention) આપો. કારણ કે તમારૂં ધ્યાન (Attention) એજ તમારી શક્તિ છે. જ્યાં તમે તમારૂં ધ્યાન કેન્દ્રિત કરશો ત્યાં તમારી જીવન શક્તિનો પ્રવાહ વહેવા માંડશે અને એ દિશામાં જ તમારો વિકાસ થશે."

તમે જાતે જ તમારા ઉપર આવવા માટે દ્વુઃખને આમંત્રણ આપો છો !

જો લોકોને એવું કહેવામાં આવે કે આ બધા દુ: ખોને તમે માનનીય મહેમાનની જેમ આમંત્રણ આપીને જાતે જ વહોરી લીધાં છે, તો આ વાત માનવા તૈયાર નહીં થાય ! દુ:ખોને વળી કોઈ આમંત્રણ આપતું હશે ?

| નિત્તી મુદલીયાર એક રેસ્ટોરન્ટમાં જમવા જાય છે ત્યાં જઈને ઈડલી, ઢોંસા, જલેબી અને બીજું ઘણું બધું ખૂબ ખૂબ મંગાવે છે. એક મોજથી જમી લીધા પછી એ વેઈટરને ઈશારો કરીને કહે છે, હવે નાની કશું જ ન લાવતો. પરંતુ વેઈટર એક કાગળની સફેદ સ્લીપ લઈને વાર્તા આવે છે. નિત્તી ભોળપણથી એ સ્લીપ જુએ છે અને પૃછે છે "આ શું છે ? મેં તો તમને હવે કંઈ જ નહીં લાવવાનું કહ્યું હતું ! આ તું શું લઈ આવ્યો ?'' આપણા રોજીદા જીવનમાં આપણે બિલકલ આવું જ કરતા હોઈએ છીએ. આપણી કુટેવો અને સતત તણાવ ભરી જીવન પદ્ધતિની સાથે સાથે આપણે દુ:ખને પણ આમંત્રણ આપી દર્ઈએ છીએ. અને તેના વિશે બધું ભૂલી જઈએ છીએ. પછી જયારે કોઈ રોગ આપણા શરીર પર સામ્રાજય જમાવે ત્યારે આપણે ફરિયાદો કરીએ છીએ. અરે કેટલીકવાર માંદા પડવામાં આપણને મજા પણ આવે છે. આ વાત કોઈ સ્વીકારશે નહીં પરંતુ જેવી રીતે શરીરનું કોઈ અંગ તેના તરફ એટેન્શન ખેંચવા માટે કોઈ રોગ ઉત્પન્ન કરે છે, એવી જ રીતે બીજાનું ધ્યાન તમારા તરફ ખેંચાય તે માટે મન તમને માંદા પાડે છે. આ ભાગ-દોડના જમાનામાં એકબીજા પર ધ્યાન આપવાની કોને પડી હોય છે ? સિવાય કે તેઓ ભિમાર પડે. એટેન્શન એક મળભૃત જરૂરિયાત છે મનોવૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે માણસ ખોરાક વગર નેવું દિવસ સુધી જીવી શકે છે પણ જો કોઈ બીજું તેના તરફ ધ્યાન (અટેન્શન) ન આપે તો માત્ર ચૌદ દિવસમાં જ તેની માનસિક વ્યવસ્થા ગુમાવી દે છે કારણ કે અટેન્શન એક શક્તિ છે. એ જીવન શક્તિનો પ્રવાહ છે. આપણે તેનાથી અજાણ છીએ. અસભાનપણે જ આપણને કોઈનું ધ્યાન આપણા તરફ વાળવા માટેનું એવું ગાંડપણ ઉપડે છે કે તે મેળવવા માટે આપણી અંદર એક નીચી શક્તિનો સેતુ ઊભો કરીએ છીએ અને ખુશીથી સામાન્ય શરદીથી લઈને કેન્સર સુધીના રોગોની તકલીફ સહન કરવા તૈયાર થઈ જઈએ છીએ.

મોટાભાગના સંબંધોમાં પણ બંન્ને પક્ષો મોટે ભાગે એકબીજા તરફ અટેન્શન અપાય તેની જ અપેક્ષા રાખતા હોય છે. એકબીજા સામે અટેન્શનના

ભીક્ષાપાત્રો લંબાવીને ભીખ ભાંગવા તૈયાર ઊભા હોય છે. તમને લાગે છે કે ભીખારીઓ વચ્ચે ક્યારેય હકારાત્મક અને સંપર્ણ સંતુષ્ઠ સંબંધ હોઈ શકે ? તમને જો રોગોમાંથી ખરેખર મુક્તિ જોઈતી હોય તો અટેન્શનની ભીખ માંગવાનું છોડો. આપણી અંદર આપણી જાણ બહાર બનતું આ એક એવું મનોવૈજ્ઞાનિક રહસ્યમય ભીખારીપણું છે કે શારીરિક ભીખારીપણાં કરતાં પણ અનેક ગણું નુકસાનકારક છે.

Section 2

જિંદગી આપણને ઘણી બધી બાબતો શીખવે છે. તેને સમજવી એ આપણી પોતાની જવાબદારી છે. પરંતુ આપણે સતત અજાગ્રત અવસ્થાના સ્તર પર જીવીએ છીએ. આપણને ભાન જ નથી કે આપણે આપણી જાત પર કેવી કેવી બાબતોને આમંત્રી રહ્યા છીએ.

આ બાબત હું તમને નાની વાત દ્વારા સમજાવું.

મોટી કંપનીમાં કામ કરતો એન્જિનીયર રોજ પોતાના ટીફીનમાં એકનું એક જ ખાવાનું લાવતો હતો. અને રોજ ખાતી વખતે ફરિયાદ કરતો કે, આ ખાવાનું, આ વાનગી મને જરાય પસંદ નથી પણ મારે રોજ ખાવી પડે છે. તેના મિત્રો રોજ એમનું ખાવાનું આ ભાઈ સાથે વહેંચીને ખાતા હતા. તેની ફરિયાદ રોજની થઈ ગઈ હતી. એટલે તેના એક મિત્રે સલાહ આપી કે : "ભાઈ તું તારી પત્નીને કાંઈ બીજું નવું ખાવાનું બનાવવાનું કેમ કહેતો નથી ? એણે તારી પસંદ નાપસંદનું ધ્યાન રાખવું જોઈએ કે નહીં ?''

પેલા ભાઈએ આશ્ચર્યથી કહ્યું ''કોણ પત્ની ? હું તો કુંવારો છું મારું ખાવાનું હું મારી જાતે જ બનાવું છૂં.''

આ વાત તમને હાસ્યાસ્પદ લાગશે. પણ હકીકત એ છે કે આપણે બધા આપણી જિંદગી કાંઈક આવી જ રીતે જીવતા હોઈએ છીએ. આપણે

13

14

અજાણતાં જ આપત્તિઓને આમંત્રીએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ. પેઈનકીલર (દર્દશામક દવાઓ) દવાઓનો આશરો લઈએ છીએ. આપણા માટે શરમજનક હકીકત તો એ છે કે, આપણે એકના એક રોગોના વારંવાર ભોગ બનતા રહીએ છીએ. તો પણ આપણને એની પરવા નથી હોતી. કારણ કે આપણને ખબર જ નથી કે સમસ્યાનું મુળ આપણી પોતાની અંદર જ છે. આપણે આપણા દ્દ:ખો માટે હંમેશા બીજાને જ જવાબદાર ઠરાવતા રહીએ છીએ.

દુઃખનો ઈલાજ શું છે ?

જો દુ:ખનું કારણ બેધ્યાનપણું હોય એટલે કે અટેન્શનની ગેરહાજરી હોય, તો તેના પ્રત્યે જાગત રહેવું. આનો એક બહુ જ સુંદર અને સરળ ઉપાય છે. જાતે જ સાજા થવાની ધ્યાનની પદ્ધતિ (Self healing Meditation Teachnique) જે તમારા સમગ્ર ધ્યાનને રોગગ્રસ્ત અંગમાં કેન્દ્રિત કરે છે. તમને જયારે કોઈ દ્દઃખાવો થાય ત્યારે એ ટેકનીક અપનાવી શકો છો. દર્દશામક દવાઓ કરતાં આ અવશ્ય સારો ઉપાય છે કારણ કે પેઈનકીલર દવાઓની આડઅસરો ઘણી વખત ખરેખરા દુઃખાવા કરતાંય વધારે ખતરનાક હોય છે.

ધ્યાન (MEDITATION) :

એક અંધારા ઓરડામાં પીઠ ફર્શ પર રાખીને ચત્તા સુઈ જાવ. જાગૃત રહીને તમારા આખા શરીરને ભૂલી જવા પ્રયત્ન કરો. તમારૂં સમગ્ર ધ્યાન તમારા દુ:ખતા અંગ પર જ કેન્દ્રિત કરો. તમે જયારે તમારા પીડીત અંગનો અનુભવ કરતા હો ત્યારે ઈરાદાપૂર્વક તમારા મનમાંથી 'પીડા' શબ્દને કાઢી નાંખો. તમારું મન સતત તમને એ પીડાને યાદ કરાવશે પણ બસ, સ્વીચ ઓફ કરીદો. ખુલ્લા મન સાથે તમારામાં ઉંડાણનો અનુભવ કરો. મનને મુક્તપણે વિહરવા દો. તમારી અંદર જે ચાલી રહ્યું છે તેને ફક્ત જોયા

કરો. તમને અનુભૂતિ થશે કે તમારું મન પીડાનો અતિરેક કરતું હતું. તમારી સમગ્ર જાગૂત ચેતનાને પીડિત અંગના કેન્દ્રમાં લઈ જાવ. તરત જ પીડાનો વિસ્તાર સંકોચાવા લાગશે અને છેલ્લે પીડાનું એક નાનું બિંદુ જ રહી જશે. આ બિંદ્દ પર સંપર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. તમે અનુભવશો કે પીડા અદેશ્ય થઈ ગઈ છે અને પરમ આનંદની અનુભૂતિ થઈ રહી છે. પરમ સુખની અનુભૂતિ થઈ રહી છે. કારણ કે સુખ અને દ્વઃખ મૃળભૃત રીતે તો એક જ છે. આ બંન્ને એક જ સંવેદનાના અલગ અલગ નામ છે.

આપણને બધાને અનુભવ છે કે અમુક વાત આપણો મિત્ર કે પરિચિત વ્યક્તિ કહેશે તો ખોટું નહીં લાગે, પણ જો એજ વાત કોઈ અજાણી વ્યક્તિ કહેશે તો આપણને તેને મારવાનું મન થશે.

તમારા અનુભવની સચ્ચાઈને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરશો તો તમને સમજાશે કે દુ:ખનું અસ્તિત્વ જ નથી. દુ:ખ એક નકારાત્મક હયાતી છે. જેવી રીતે અંધકાર પ્રકાશની ગેરહાજરી છે. પ્રકાશની હાજરીથી અંધકાર આપોઆપ દર થઈ જાય છે. આવી જ રીતે જયારે દુ:ખ, પીડા ઉપર, તમારી જાગૃતતાની શક્તિ (Energy of awareness) કેન્દ્રિત થાય છે, ત્યારે દુ:ખ આપોઆપ દર થઈ જાય છે. આ ધ્યાન કેન્દ્રિત કરવાની પદ્ધતિથી કોઈપણ દુ:ખને પરમ સુખમાં, સંપૂર્ણ આનંદમાં રૂપાંતરિક કરી શકાય છે. હું તમને સૌને આ પદ્ધતિનો અનુભવ લેવા આમંત્રણ આપું છૂં. તમે જયારે મેડિટેશન દ્વારા તમારા દુ:ખમાં પ્રવેશ કરો છો ત્યારે દુ:ખ જ તમારા પરમ આનંદનું દ્વાર બની જાય છે. તમને અહેસાસ થશે કે દ્દઃખ મારા પરમ આનંદનું દ્વાર બની શકે છે.

દ્દઃખ અમુલ્ય બોધ બની શકે છે !

એક ઉદાહરણથી સમજીએ.

બે માણસો-એક જ્ઞાની અને એક સામાન્ય – બંજ્ઞે એક અંધારી અમાસની

વાદળઘેરી રાત્રે જંગલમાં પ્રવાસ કરી રહ્યા હતા. અચાનક આકાશમાં મોટો વીજળીનો કડાકો થયો.

સામાન્ય માણસ બીકનો માર્યો ધ્રુજવા લાગ્યો. ભયંકર તોફાન આવશે તો ? તે મંઝવણમાં પડી ગયો કે તે આગળ ચાલી શકશે ? કે પછી તેણે કોઈ સલામત જગ્યા શોધીને તોફાન શમી જાય ત્યાં સુધી રોકાઈ રહેવું જોઈએ ? તે વિચારવા લાગ્યો કે મારે આવી મુસાફરી કરવાનો નિર્ણય કરવો જ નહોતો જોઈતો. તે પોતાની જાતને મૂર્ખ અને કમનસીબ માનીને કોસવા માંડ્યો. બીજા શબ્દોમાં કહીએ તો એ દુ:ખી દ્વ:ખી થઈ ગયો.

બીજી બાજુ પેલા જ્ઞાનીએ વીજળીના ઝબકારાના પ્રકાશમાં જોઈ લીધું કે, પોતે જે દિશામાં, જે રસ્તે જઈ રહ્યો છે તે બરાબર છે કે નહીં ? તેને ખાત્રી થઈ કે તે યોગ્ય રસ્તે જઈ રહ્યો છે. તેણે વીજળીનો આભાર માન્યો અને પોતાના રસ્તે આગળ વધી ગયો.

દ્દઃખ પણ વીજળીના ઝબકારા જેવું છે. તેના થવા ન થવા પર તમારો કોઈ જ કાબુ નથી. તમારી પાસે બે જ રસ્તા છે, કાં તો તેને સહન કરો અથવા તેમાંથી બોધ લો. શું કરવું તે સંપૂર્ણપણે તમારા પર જ નિર્ભર છે. તમને સમજાશે કે તમારી સુખદ કે દ્દઃખદ પરિસ્થિતિ માટે ફક્ત તમે જ જવાબદાર છો અને તમે જ તેનો ઉકેલ લાવી શકો.

તમે જયારે તમારી પીડાનું ગહનતાથી નિરીક્ષણ કરશો ત્યારે તમારી આંતરિક નિખાલસતા ઉપર આવશે. તમે જાગૂત થશો કે, તમે પોતે શરીર માત્ર નથી. તમારા પોતાના સ્વને કોઈપણ દ્દ્રઃખ સ્પર્શી શકતું નથી. તમારો આત્મા આ બધાથી પર છે. એક વખત તમને ખાત્રી થઈ જાય કે તમે દુ:ખથી પર છો પછી તમે દુ:ખને દુ:ખને દુ:ખ અતિતમાં (One Who has gone bevond suuffering) રૂપાંતર કરી શકો છો. તમે જયારે શરીરના બંધનથી મુક્તિનો અનુભવ કરો છો ત્યારે જે શરીરને તમે સાથે રાખીને ફરો છો,

તે તમને આધ્યાત્મિક વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો તેવું લાગશે. પછી તમે આ વિશ્વમાં આત્મા બનીને વિહાર કરો છો. તમે અનુભવો છો કે ભૌતિક વિશ્વ ઓગળી રહ્યું છે. તમે એક બીજી જ દુનિયામાં વિચરણ કરી રહ્યા છો જેમાં છે માત્ર, કોઈની સાથે સરખામણી જ ન થઈ શકે તેવી સુંદરતા, નિખાલસતા, પરમ આનંદ અને પરમ અનુકંપા !!!

ગીતામાં કહ્યું છે કે :

17

"સમ દુ:ખ સૂખ: સ્વસ્થ: સમલોષ્ટાશ્મકાંચનઃ તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિન્દાત્મ સંસ્તુતિ: ।"

(અર્થાતૂ જે વ્યક્તિ પોતાનામાં, કાર્યમાં સ્થિર થઈ જાય છે તેને માટે આનંદ અને શોક સરખાં જ છે. માટીનું ઢેફું, પથ્થર કે સોનાના ટ્રકડાનું મુલ્ય તેને માટે એક સરખું જ છે, તે ડહાપણથી ભરેલો છે તે આનંદ અને દુ:ખને એક સરખી રીતે આવકારે છે. અને તે દોષારોપણ કરવું કે વખાણ કરવા બંશ્વે બાબતને એક સરખી જ જુએ છે.)

જ્ઞાન અને ધ્યાન, જાગૃતતા અને મહાવરા સાથે દુ:ખ, નિત્યાનંદ, પરમસુખમાં પ્રવેશવાનું ભવ્ય અને જાદ્દુઈ પ્રવેશ દ્વાર બની શકે છે.

મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે.

18