પ્રકરણ-ક તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગયા
# પ્રકરણ-ક તમારા પ્રશ્નોના જવાબો અપાઈ ગયા
"તમને મારી હાજરીમાં તમારા પ્રશ્નો ઓગળી ગયા હોય તેવું કેમ લાગે છે !"
કારણ કે તમે જયારે મારી સાથે હો છો, ત્યારે તમે ઇરાદાપૂર્વક ખૂબ જ જાગૃત હો છો, તેથી પૂર્ટપૂરા હાજર હો છો. તેથી પશ્ચો ઊભા થવાની જગ્યા જ નથી રહેતી ! આખરે પ્રશ્નો, વર્તમાન પર લાદેલું, ભૂતકાળ અને ભવિષ્યકાળનું દ્વોખાબાજ ભારણ છે.
આટલા માટે તમે જયારે મારી સાથે હો છો. ત્યારે તમારી ઘણી બધી શંકાઓ અદ્શ્ય થઈ જાય છે અને આટલા માટે તો હું અહીંચા છું : તમારા પ્રશ્નો ઉકેલવા માટે નહીં પરંતુ તેમને વિલિન કરવા માટે !"
વ્હાલા સ્વામીજી, પોતાની જાતને જાણવા માટે દ્વનિયાનો ત્યાગ કરવો જરૂરી છે ?
પોતાની જાતને જાણવા માટે એક જ બાબતનો ત્યાગ ખૂબ જ જરૂરી છે તે છે : અજ્ઞાન
સ્વ-ની ઓળખાણને અને દુનિયાના ત્યાગને કશું જ લાગતું-વળગતું નથી. દુનિયાથી દૂર ભાગવું, તેને ૫કડી રાખવા કરતાં વધારે ખરાબ છે : આ બંશ્વે કિસ્સામાં સાબિત થાય છે કે દુનિયા તમારી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે.
દુનિયાની વિમુખતા અને તેને વળગી રહેવું બંને અજ્ઞાનતાની પેદાશ છે. તે બંન્ને એક જ સિક્કાની બે બાજુ છે.
એક માણસ પહાડોની ગુફાઓમાં પણ સંસારને વળગી રહી શકે છે. સંન્યાસ લેવો એટલે દુનિયા છોડી દેવી એવું નથી, પરંતુ તેની સાથે વિમુખતા અને વળગણ બંશ્વેનો ત્યાગ કરવો. આજ દ્દનિયાને જયારે તમે અજ્ઞાનની અસ્પષ્ટતામાં જુઓ છો ત્યારે તે સંસાર છે અને જયારે પૂરી સ્વ-જાગૃતિના પ્રકાશમાં જુઓ છો ત્યારે તે સંન્યાસ બની જાય છે.
એ ખરૂં છે કે સંન્યાસીઓ હંમેશા સંસારને સ્પર્શયા વગર સરળ જીવન જીવતાં હોય છે. પરંતુ તેમના માટે દુનિયા વિમુખતા અને વળગણ કરવાની બાબત નથી. જ્યારે સ્વ-જાગૃતિ આવે છે, ત્યારે સહજ રીતે જ બધું છૂટી જાય છે.
સંન્યાસ તરફનું પહેલું પગલું, વળગણ અને વિમુખતાના તમારા અંદરના ઝઘડા મત્યે જાગૃત થવાનું છે. તમે જયારે તમારી અંદરના મૂળભૂત કેન્દ્ર માટે જાગૃત થઈ જાવ છો ત્યારે આ ઝઘડાથી દૂર હો છો, આપણે આંતરિક સ્વને કેન્દ્રને, હા અને ના, ના પ્રશ્નો સાથે બિલકુલ કશો જ સંબંધ નથી. લાગતું વળગતું નથી. આ તમારો 'સ્વ' છે જે સનાતન અને નિર્વિકાર છે. આ જાગુતતાની ઝળહળતી રોશનીમાં બધી જ બિનજરૂરી ફાલતું બાબતો, ઝાડ પરથી પાકેલું પાંદડું ખરી પડે તેવી રીતે ખરી પડે છે. પછી સંપૂર્ણ સાત્વિક રહે છે, જે સંન્યાસ છે.
ખરો સંન્યાસ એટલે તળાવમાં કમળની જેમ રહેવું, કાદવવાળા પાણીથી સંપૂર્ણ અલગ, અલિપ્ત, તેનાથી બિલફુલ ખરડાયા વગર.
એક ગુરુ અને તેનો શિષ્ય એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. ગામની હદ પાસે એક છીછરૂં નાળું આવ્યું જે સામાન્ય રીતે તરીને પાર કરી શકાય તેમ હતું. આ જ સમયે તેમણે જોયું કે ઉપરવાસમાં ખૂબ જ ભારે વરસાદ પડવાને કારણે નાળું ઉભરાઈને નાની નદી જેવું બની ગયું છે. એટલું ઊંડું કે તરીને સામે કિનારે જઈ શકાય નહીં.
શિષ્ય ગભરાયો અને ગુરુને પૂછયું; "ગુરુજી આપણે નદી પાર કરવી જોઈએ ?'' ગુરુએ પોતાની આંખમાં ચમકારો લાવીને જવાબ આપ્યો; "વત્સ, આપણે ચોક્કસ નદીપાર કરવી જોઈએ. પરંતુ એટલું યાદ રાખજે કે પગ ભીના ન થવા જોઈએ !'' આ સંન્યાસનો સાચો મતલબ છે. અર્થ છે. તમે જયારે સંસારની નદી પાર કરતા હો તે વખતે જો સંસાર તમને ભીંજવે નહીં તો તમને સંન્યાસ મળી ગયો.
વ્હાલા સ્વામીજી, આપણે અહમુને કઈ રીતે સમર્પિત કરી શકીએ ? હું સમર્પણ કરૂં છૂં તે પોતે જ, એક અહમૂ છે.
તમને એક સવાલ; તમે અહમનું સમર્પણ કઈ રીતે કરી શકો ? જયારે તેનું અસ્તિત્વ જ નથી !
ધારો કે તમે એક અંધારા ઓરડામાં બેઠા છો. તમારે અંધારું દુધ કરવું છે. પરંતુ તમે તેને ધક્કો મારીને બહાર કાઢી શકો ? તમે અંધારાને ઝઘડો કરીને બહાર જવાનું કહી શકો ? ના. તમે ગમે તેટલો સમય લડશો તમારી હાર થવાની જ છે. એ પણ એનાથી કે જેનું અસ્તિત્વ જ નથી !
અહમુ અંધારા જેવો છે તેનું કોઈ હકારાત્મક અસ્તિત્વ નથી. જેમ અંધારૂં ફક્ત પ્રકાશની ગેરહાજરી છે તેમજ અહમ્ પણ ફક્ત જાગૃતતાની ગેરહાજરી છે. અહમુને મારી નાંખવાની ગડમથલ કરવી, મહેનત કરવી તે રૂમમાંથી અંધારાને બહાર કાઢવાની મહેનત કરવા બરોબર છે. બળપૂર્વક અંધારાને બહાર કાઢી નાંખવાને બદલે, અંધારા સાથે કોઈપણ વ્યવહાર કરવાનું બંધ કરી દો. અને તેને બદલે તમારું ધ્યાન પ્રકાશ લાવવા પર કેન્દ્રિત કરો. ઓરડામાં એક નાનકડો દીવો લાવો અને તમે જોશો કે અંધારું તેની જાતે જ અદ્દશ્ય થઈ ગયું છે ! માટે જ હું કહું છું અહમુ બાબતમાં બધું જ ભૂલી જાવ, અને તેના બદલે તમારી જાતમાં જાગૃતતાનો દીવો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જયારે તમારી અંદરની જાગૃતતા દીવો બની જશે ત્યારે તમે જોશો કે અહમ્ છે જ નહીં.
અહમુ એક ભ્રમ છે. તમે અજાગત હો ત્યારે તમે તેને સમર્પિત કરી શકો નહીં. કારણ કે તમને ખબર નથી તે કેવી રીતે કરવું, અલબત્ત તમે જાગૃત હો તો પણ તેને સમર્પિત કરી શકો નહીં. કારણ કે પછી તમને અહેસાસ થાય છે કે સમર્પિત કરવા જેવું કશું છે જ નહીં !
અત્યાર સુધીમાં તમે જે સાંભળ્યું છે, વાંચ્યું છે, શીખવવામાં આવ્યું છે કે - 'અહમુને સમર્પિત કરો' આ સ્વ-ઓળખને કલંકિત કરવા કહેવાયું છે - તે એક તદ્દન વાહિયાત વિચાર છે. તે માત્ર ઉલ્ટે રસ્તે થઈ શકે, 'સ્વ-ઓળખ' થતાંની સાથે જ તમને અહમ્ જેવું કશું દેખાતું નથી. આ રીતે આપોઆપ સમર્પણ થઈ જાય છે.
ગમે તેમ, મને આનંદ થયો કે તમારી જાતની અંદરથી આવો પ્રશ્ન ઉઠ્યો. અહમ જ તમારા ઉશ્કેરાટ, દિલગીરીઓ, દુઃખો, ટેન્શન્સ વગેરેનું મળભત કારણ છે.
અહમું જ તમારા માટે નર્કનું દ્વાર છે. અહમુને છોડી દેવો છે તેવું સક્રિય રીતે માનવું, આ બોજા ઉપર સવાર થવું છે તેવો અનુભવ થવો એ જ જાગૂતતા તરફ જવાનું પગલું છે. આ બતાવે છે કે તમારી ઊંઘ ઉડી રહી છે !
સૌથી વ્હાલા સ્વામીજી, તમારી હાજરીમાં જયારે હોઉં છું ત્યારે બધા જ પ્રશ્નો વિલિન થઈ જાય છે અને લાગે છે કે, બધું જ શક્ય છે. પરંતુ જયારે હું તમારાથી દૂર હોઉં છું, ત્યારે બધી જ જૂની શંકાઓ ઘસડાઈને બહાર આવે છે. આવું કેમ બને છે અને આ માટે હું શું કરી શકું ?
મારી હાજરીમાં જો પ્રશ્નો પોતાની જાતે જ અદ્દશ્ય થઈ જતા હોય તો એ સમજવાનો સમય થઈ ગયો છે કે હકીકતમાં એ પ્રશ્નો હતા જ નહીં. એ માત્ર મનની રમત હતી. તમે જયારે મારી સાથે હો છો ત્યારે, મન તમારા પર વધારે નિયંત્રણ રાખી શકતું નથી - તમે સરળતાથી ધ્યાન તરફ વહી જાવ છો. તમે પ્રેમથી ભરાઈ જાવ છો. પ્રગાઢ શાંતિમાં હો છો. આ સ્થિતિમાં જો કોઈ પ્રશ્ન હોય તો તે તે તમારો સાચો પ્રશ્ન છે, જે સંપૂર્ણ રીતે તમારી સાથે હજુ સુધી રહેલો છે.
મારી હાજરીમાં તમે વધુ પડતા જાગૃત થઈ જાવ છો, તેથી સંપૂર્ણપણે વર્તમાનમાં હો છો. તેથી ત્યાં કોઈ પ્રશ્ન ઉઠવાની સંભાવના જ રહેતી નથી. તમે મારાથી દૂર હો છો ત્યારે તમારે તમારૂં મન તમારા પર ભૂતકાળ અને વર્તમાનકાળનો બોજો લાદવા માટે મુક્ત બની જાય છે – પછી તમારા પ્રશ્નો ગમે તે હોય પરંતુ ભતકાળ અને ભવિષ્યકાળ તમારા વર્તમાન પર રમત રમવા માંડે છે.
અહમું જેમ જ મનની સાથે લડવાની કે તેના પર કાબુ મેળવવાનો મુદ્દો જ નથી. તે મુદ્દા વગરની ગડમથલ છે, જેમાં તમારે ચોક્કસ ગુમાવવાનું જ છે, એટલી જાગુતતા જ પુરતી છે કે આ મનનો સ્વભાવ છે : તે આ સિવાય બીજી રીતે વર્તી શકતું નથી તે સ્વીકારી લેવું જોઈએ. તે ઉશ્કેરાટ, ગુંચવણો, શંકાઓ લાવવા બંધાયેલું છે. આ બાબતથી સભાન રહો એટલું પુરતું છે. મનની આ બુદ્ધિ વગરની પ્રવૃત્તિઓ માટે કોઈ ચુકાદો ન આપો. તમારા મન પર ગુસ્સો કરવો તે પણ શક્તિનો વ્યય છે. જેવા તમે મનની પ્રવૃત્તિઓના સાક્ષી બની જાવ છો, પછી ધીરેધીરે તમને સમજાય છે કે તમે મન નથી. તમે મન કરતાં કંઈક વધારે છે, તમે માત્ર નિહાળનાર છો. સાક્ષી છો. એક વખત મન પાસેથી તમારી શક્તિ ખેંચાઈ જશે પછી તે આગળ જઈ શકશે નહીં ! અને તમારા મનમાં જે વિચારોની અંધાધુંધી, અરાજકતા ફેલાયેલી છે તેની જગ્યાએ, મન નિર્મળ થઈ જશે, પ્રચંડ સભાનતા આવી જશે. આ ક્ષણે બધા જ પ્રશ્નો ઓગળી જાય છે અને મન રહેતું જ નથી !
તમે મારી હાજરીમાં તેની ઝાંખીનો અનુભવ કરો જ છો. અને હમણાં મેં જે કહ્યું, તે રસ્તો કાયમ તેની સાથે રહેવાનો છે. તમે જયારે મારી સાથે ન હો ત્યારે પણ ! આ ધીમી પ્રક્રિયા છે. તેને સમય આપો. તે બનશે.
વ્હાલા સ્વામીજી, તમે અમને કહ્યું કે, કુદરતી કામવાસનાઓનું દમન ના કરવું જોઈએ. પરંત્ આ કામવાસનાઓને છૂટથી માણવી તે બરાબર છે ?
આ પ્રશ્ન પણ 'સંસાર' અથવા તો 'સંન્યાસ'ના મુદ્દા તરફ જ દોરી જાય છે. આ રસ્તા પર તમારે સમયે સમયે, સારૂં/ખરાબ, સાચું/ખોટું, વળગણ/ વિમુખતા, દમન/ભોગવિલાસ જેવા દ્વંદોમાંથી પસાર થવું પડશે. હકીકતમાં તમારી જાતની અંદર આવા વિરોધાભાસોના ઝઘડા સતત ફંકાતા રહે છે. જ્યારે પણ આ દ્વંદ પેદા થાય ત્યારે આ સનાતન સત્ય યાદ કરો; અસ્તિત્વ વિરોધાભાસ વગરનું છે. ત્યાં વિરોધનું, સામી બાજુનું અસ્તિત્વ જ નથી. દમન અથવા ભોગવિલાસને મજબૂત રીતે પકડી રાખવું તે અજ્ઞાનતાની નિશાની છે. આખરમાં દમન પણ ભોગવિલાસની પ્રતિક્રિયા સિવાય બીજું કશું જ નથી. મૂળભૂત સત્વ એ છે કે માણસે પોતાના માનસિક વલણ પ્રત્યે જાગૃતતા કેળવવી જોઈએ. ગુસ્સાને ઓળખો, ઈર્ષાને ઓળખો, તૃષ્ણા અને લાલસાને ઓળખો. તેમને તાબે થવાની જરૂર નથી કે તેમનું દમન કરવાની જરૂર નથી. સરળતાથી તેને ઓળખવાની-જાણવાની કોશિષ કરો કે તે શા માટે છે. તેનાથી અંતર રાખો અને તમારી લાગણીઓ અજાણી હોય તેવી રીતે તેનું નિરીક્ષણ કરો. તમને નવાઈ લાગશે ! તમારા ટેકા વગર તેનું અસ્તિત્વ જ નથી, તે સરળતાથી ખરી પડે છે ! આમાં કોઈ બીજાનો અનુભવ તમારા માટે કાંઈ વધારે મતલબ રાખે નહીં. પરંતુ સતત મહાવરાથી તમે પોતે જ સત્યનો અનુભવ કરી શકો છો.
ફક્ત જાગૃતતા જ તમને આત્મજ્ઞાન આપી શકે અને આ દમન/ ભોગવિલાસ જેવા બધાં જ દ્વંદોમાંથી મુક્ત કરી શકે !
વ્હાલા સ્વામીજી, તમે કહો છો કે નાસ્તિકતા શીખવા માટે ખૂબ જ વિઘ્નરૂપ છે. પરંતુ તમે જ અમને અમારી શંકાઓ વ્યક્ત કરવાનો અનુરોધ કરો છો. શા માટે ?
તમે નાસ્તિક અથવા શંકા માટે પ્રશ્નો ઊભા કરી શકો ? પરંતુ આ બંત્રે વચ્ચેની, સિવાયની પણ એક દ્દુનિયા છે
નાસ્તિકતા એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ કર્શું પણ માનવાનો ઈન્કાર કરી દે છે. એટલે જ નાસ્તિક ફક્ત તેને પોષણ મળે તે માટે દલીલો કરશે. આ અર્થમાં નાસ્તિકતાને પોતે જ એક અજાગૃત માન્યતા છે. એ કોઈપણ કે કંઈપણ માટે અગાઉથી જ આપેલું નકારાત્મક પરિણામ છે. નાસ્તિકતાને પોતાના અભિપ્રાયો કે વિચારધારા, આદર્શો હોતા નથી. તેની પાસે તમે કોઈપણ એક બાબત કે વિચાર રાખો તેના વિરૂદ્ધમાં તેની પાસે દલીલો હોય છે. તે વિચાર સામે કલાકો સુધી દલીલો કરી શકે છે અને તમે જો બીજો વિચાર રજૂ કરો છો તો તેની સામે પણ એ જ ઝનૃનથી દલીલો કરશે. હકીકતમાં તેણે પહેલેથી દરેક બાબતને 'ના' કહેવાનો અભિગમ નક્કી કરી લીધાં હોય છે. આ અર્થમાં નાસ્તિકતા શીખનાર માટે રસ્તાનો અંત કરી દે છે, કારણ કે આ અભિગમ સાથે કશે જ પહોંચી શકાય નહીં, નાસ્તિકે પોતાના પરિવર્તનની બધી જ શક્તિઓના રસ્તા બંધ કરી દીધા હોય છે.
શંકા, બીજે છેડે, ખુલ્લાપણું અને સ્વીકાર છે. શંકા એટલે 'હું જાણતો નથી પરંતુ હું શીખી શકું છૂં.' આ નિશાની શીખનારની યાત્રાની શરૂઆત કરવાની છે. શંકા જીજ્ઞાસુનો રસ્તો છે, તેની જીજ્ઞાસા સત્ય ગ્રહણ કરવાના રસ્તામાં આવતાં બધાં જ અસત્યોને દૂર કરવાની હોય છે. શંકાશીલ માણસ સન્માનપૂર્વક સાંભળે છે. ખુલ્લી અવજ્ઞા કે અનાદર સાથે નહીં. તે
શીખનારની વિનમ્રતા સાથે સાંભળે છે. તેનો અભિગમ 'હા'નો હોય છે તે વિશ્વાસ કરી શકાય તેવા અનુભવની રાહ જૂએ છે.
જયારે અતિ બુદ્ધિશાળી વ્યક્તિ નાસ્તિકતામાં ફેરવાય છે ત્યારે - તે ખૂબ જ ખતરનાક નિશાની છે - તે અહમ્ને પરિપૂર્ણ કરવા માટે બધા જ આદર્શોને, વિચારોને અસરકારક રીતે ખોટા ઠરાવી શકે છે. પરંતુ નાસ્તિક આખરે તો પોતાના જ સેતુઓને બાળી નાંખતો હોય છે. ખાસ કરીને તમે જયારે ગુરુ સામે નાસ્તિકતાનો અભિગમ અપનાવો છો ત્યારે ત્યાં ૫છી એવો કોઈ રસ્તો નથી જેના વડે હું તમારામાંથી પસાર થઈ શકું .
ડૉક્ટર પાસે ફક્ત તેણે લખેલા પ્રિન્સ્ક્રીપ્શનની દરેક ગોળીની કિંમત પૃછવા માટે જ જવાનો કોઈ મુદ્દો, મતલબ ખરો ?
તમે બધા જ પ્રકારના પ્રશ્નો પૂછો પરંતુ તે પહેલાં તમે કયા અભિગમથી પૂછો છો તેનું નિરીક્ષણ કરી લો !
વ્હાલા સ્વામીજી, તમે કહો છો કે પ્રેમમાં 'બધું જ' આપી દો. પરંતુ પ્રેમનો સ્વીકાર ના થાય અને બદલામાં પ્રેમ ન મળે તો ?
જો તમે ખરેખર પ્રેમમાં હો, તો તમે કુદરતી રીતે જ તમારું બધું જ આપી દેશો. પ્રેમ બિનશરતી ખીલે છે. પ્રેમમાં તમે સામી વ્યક્તિને બધું જોઈએ છે કે નહીં, તેવા પ્રશ્નો પૃછવા રોકાઈ શકો નહીં. હકીકતમાં બીજી વ્યક્તિની પાત્રતા તપાસવાની હોય. સામેથી બદલામાં કેટલું મળવાનું છે તેની ગણતરી કરવાની હોય તો તે વેપાર છે. સોદો છે. તે ધંધો બની જાય છે, પ્રેમ રહેતો નથી. સાચા પ્રેમમાં "મારે મારે મારે જાયું જ આપવું જોઈએ ?'' એવો પ્રશ્ન ક્યારેય પેદા જ થતો નથી !
ચાલો પ્રેમનો મુદ્દો સ્વીકારી લઈએ. મને કહો, "તમારૂં પ્રેમ કરવા માટેનું કારણ શું છે ?" શું પ્રેમ તમારા માટે એવી કામગીરી છે જેને માટે. તેની પ્રશંસા કરવી જોઈએ, તેને તાળીઓથી વધાવી લેવી જરૂરી છે ? શું તમે પ્રેમ કરો છો એટલું જ પૂરતું નથી ! બીજા વધારાના બદલાની અપેક્ષા રાખવી તેનો મતલબ છે તમે જેને ચાહો છો તેને તમારા નિયંત્રણમાં રાખો છો. તમે બદલામાં તેનો પ્રેમ નથી માંગતા તેની સ્વતંત્રતાનો ઈન્કાર કરો છો. આ કબજામાં રાખવાની ભાવના છે જેમાં તમે સામી વ્યક્તિને તમારી અપેક્ષાઓના પીંજરામાં કેદ કરવા માંગો છો. અને જો તમે આવું જ કરતા રહેશો તો, સમજી લો પ્રેમ ક્યારેય બંધનાવસ્થામાં પાંગરી શકે નહીં, ખીલી શકે નહિં.
ધ્યાનથી સાંભળો; પ્રેમ બે પ્રકારના હોય છે - પ્રેમ 'જથ્થામાં' અને પ્રેમ 'ગુણવત્તા'માં.
પ્રેમને જયારે જથ્થાની દષ્ટિએ જોવામાં આવે છે, ત્યારે તે એક પ્રકારના સ્વાર્થની આપ-લે હોય છે જે મોટાભાગના લોકો પોતાના જીવનમાં કરતા હોય છે. તમે પ્રેમના પાર્સલને સખતાઈથી પકડી રાખો છો અને અપેક્ષા રાખો છો કે સામેથી જો એ જ સાઈઝનું પાર્સલ મળે તો જ આપણે આપવું. જો તમારો ભાગીદાર તેનું પાર્સલ કોઈ બીજાને આપવાનું પસંદ કરે તો, અથવા માત્ર ખોલે અને પ્રેમ વિસ્તરે તો ત ત એ લાગે છે કે તેણે બેવફાઈ કરી છે અને તમને ગુસ્સો આવે છે. તમે બંજ્ઞે એકબીજા માટે જ બનાવાયા છો. વહેલા કે મોડા આ પ્રકારનો કરાર તમને રૂધામણમાં મુકીને હતાશામાં ધકેલે છે, નાસીપાસ કરી નાખે છે અને ગુસ્સામાં તમે તમારું પાર્સલ પાછૂં ખેંચી લો છો અને બીજા સાથે તેની અદલા-બદલી કરવા નીકળી પડો છો. અથવા તમારો ભાગીદાર આવું કરે છે. જાણીતી બાબત લાગે છે ને ? આવું બને છે ને ?
પરંતુ ભારતમાં મૂર્તિપૂજા સામાન્ય છે તેનું કારણ છે, તેમજ બીજે પૂર્વમાં પણ મર્તિપજા થાય છે તેનું કારણ છે. આધ્યાત્મિક યાત્રા શરૂ કરનારાઓ માટે શરૂઆતમાં અમૂર્ત ઈશ્વર, ૫૨માત્મા માટે સંમત થવું મુશ્કેલ હોય છે. પરંતુ તેને કોઈ ચોક્કસ સ્વરૂપ આપવાથી, તે સમજી શકે તેવી રીતે સ્પષ્ટ થાય છે, જેથી તે તેની સાથે સંબંધિત થઈ શકે. મૂર્તિ સમક્ષ તે પોતાની પરિચિત ભાષામાં ભક્તિ કરી શકે છે, વાતચીત કરી શકે છે. આપણા હજારો દેવી-દેવતાઓ ઈશ્વરીય અભિવ્યક્તિ સિવાય બીજું કશું નથી. આજે પણ કોઈપણ તેની સાથે વાતચીત કરી શકે છે, પ્રાર્થના કરી શકે છે અથવા રમી શકે છે. દુ:ખમાં આશ્વાસન મેળવી શકે છે અથવા આભાર વ્યક્ત કરી શકે છે. કુદરતનાં બધાં જ ભયાનક અને વ્યાખ્યા ન થઈ શકે તેવાં, અસ્પષ્ટ પરમાત્માના સ્વભાવોની સમજી શકાય તેવી રીતે, આકૃતિઓનું રૂપ દેવતા સ્વરૂપે આપવામાં આવ્યું છે. આવું એટલા માટે કરવામાં આવ્યું હશે કે, સ્વરૂપ વગરનો પરમાત્મા, સામાન્ય મન માટે ખુબ જ બિહામણું સ્વરૂપ હશે.
ખૂબ જ ઊંડા રહસ્યના સ્તરે, એક સંદેશો ઉમેરવામાં આવ્યો છે કે તમારી સામે જે મૂર્તિ છે તે તમારા જેવી જ છે છતાં તે પરમાત્મા છે. તેઓ મારા માટે શું કહેશે ? તેના વિશે વિચાર કરો.
જો તમે મૂર્તિપૂજક હો તો પણ, તમારી જાતને દોષિત ગણવાની જરૂર નથી. તમારી જાતનો વાંક કાઢવાની જરૂર નથી. તમે જેમ જેમ આધ્યાત્મિકતામાં વિકાસ પામતા જશો તેમ તેમ ઈશ્વરની મૃર્તિ સાથે જે રીતે વાત કરો છો, તે રીતે જ તેના વગર પણ પરમાત્મા સાથે વાત કરી શકશો. બાળકો જેવું છે. તેમ તેઓ મોટા થતાંની સાથે જ ઢીંગલીઓ અને રમકડાં સાથે રમવાનું છોડી દે છે. એમ જ તમે પણ, જ્યારે સમય આવશે ત્યારે તમારી જાતે જ મૂર્તિઓને છોડી દેશો. પરંતુ અત્યારે તમને
123
હવે એ પ્રેમ કે, જેના તરફ હું તમને આગળ લઈ જવા માંગું છું. તે પ્રેમ તમારી સંપૂર્ણ જાતનો, સંપૂર્ણ અસ્તિત્વનો અનુભવ છે. જે માત્ર જીવન જીવવા માટે તેની પોતાની જાતમાંથી વહેતું આનંદનું ઝરણું છે. તે આનંદની સુવાસ છે. જે ચારે બાજુ બિનશરતી ફેલાય છે. તેને કોઈ કારણની જરૂર નથી પડતી, તેને વળતી ભેટની જરૂર નથી હોતી. આ પ્રકારનો પ્રેમ સૂર્યપ્રકાશ અને વરસાદ જેવો છે; જે પોતાની જાતે જ બિનશરતી રીતે વરસ્યા કરે છે અને જે કોઈ તેના વિસ્તારમાં હોય તે તેની ગરમી અને તાજગીનો કોઈપણ પ્રશ્ન વિના અનુભવ કરી શકે છે. આ પ્રેમમાં ભરપૂરતા હોય છે. આ ફક્ત એવા પ્રકારનો પ્રેમ છે જેનો કોઈપણ ભય વિના, ગુનાહિત ભાવના વિના આનંદ માણી શકાય છે.
પ્રેમને તમારી ગુણવત્તા બનાવવા માટે, તમારે તમારી જાતનું સંપૂર્ણ સમર્પણ કરવાની તૈયારી હોવી જોઈએ. ફક્ત અહમ્ શૂન્ય સ્થિતિમાં જ આ પ્રેમ પાંગરી શકે છે, ઉદ્દભવી શકે છે. આ એટલું સરળ નથી પરંતુ તમે શરૂઆત તો કરી જ શકો છો. તમે તમારા અહમુને થોડો જતો કરશો તો તમે તરત જ પ્રેમ અને અનુકંપાને શોધી શકશો. તમે જેમ જેમ અહમુને વધારેને વધારે જતો કરશો તેમ તેમ તમે અવકાશમાં પ્રવેશવા લાગશો. તમારા સંબંધોમાં આને અજમાવી જુઓ. પ્રેમ બાબતમાં કાગનો વાઘ કરવાની જરૂર નથી. તમારા પ્રેમમાં એટલા બધા ગંભીર ન બનો. ફક્ત નિખાલસ બનો, સાચા બનો ! દિલની સચ્ચાઈવાળા બનો ! પ્રામાણિક બનો !
વ્હાલા સ્વામીજી, ભારતમાં અમે મૂર્તિપૂજા અને ધાર્મિક વિધિઓ વચ્ચે ઊછર્યા છીએ. તમે આમાં સંમત છો કે વિરૂદ્ધમાં છો ?
સૌથી પહેલાં, હું કોઈની પણ વિરૂદ્ધમાં નથી કે સંમત નથી. પછી તે મૂર્તિપૂજા હોય કે ધાર્મિક વિધિઓ હોય અથવા કંઈપણ હોય ?
જેમાં શ્રદ્ધા છે. તે દેવતાની પૂજામાં મન લાગતું હોય અને તમારો અર્થ નીકળતો હોય તો. તે પરી રીતે ચાલુ રાખો.
આધ્યાત્મિકતા વિશાળ કિનારા વગરનો મહાસાગર છે. તમે જ્યારે તરવાનું શીખતાં જ હો. ત્યારે લાઈફબોટ તમારો વિશ્વાસ વધારવામાં ચોક્કસ મદદ કરે છે. તમે અમુક વાતે ચોક્કસ હો છો કે કંઈક એવું છે કે તમને પડવા નહીં દે. તમે જયારે મજબૂત અને ખાત્રીવાળા બની જાવ છો ત્યારે સ્વાભાવિક જ તમે પકડેલા ટેકાને છોડી દો છો અને મુક્ત રીતે, નિર્ભય બનીને ઊંડા પાણીમાં પ્રવેશ કરી દો છો.
પૂજા વિધિઓ : વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે, ચોક્કસ પ્રકારના રંગો, અવાજો, ક્રિયાઓ માણસના મનની સ્થિતિ ઉપર ખૂબ જ ઊંડી અસર કરે છે. મગજના અમુક ઈચ્છિત ભાગોને કાર્યરત કરે છે અને તમારી સભાનતાને, જાગૃતતાને વધારે છે. આજકાલના સમયમાં પૃજાવિધિની વિશ્વસનીયતા ઓછી ઓછી થઈ ગઈ છે, કારણ કે, સદી ોનો સમય પસાર થઈ ગયો હોવાથી તેનો સાચો અર્થ લોકોએ ખોઈ દીધો છે. માત્ર તેનું ખોખું, કોચલું, નર્યો ક્રિયાકાંડ જ રહી ગયો છે. તેની અંદરનો આત્મા પાછળ છૂટી ગયો છે, અસ્મિતા છૂટી ગઈ છે. પરંતુ આજે તમારા માટે તે અસુસંગત લાગતી હોવા છતાં પણ પૃજા વિધિની કિંમત ઓછી ક્યારેય ન આંકતા, પૂજા વિધિઓ અસંખ્ય ઋષિ મુનિઓના સદીઓના તપ અને ડહાપણનો નિચોડ છે. તેને જયારે યોગ્ય રીતે કરવામાં આવે છે ત્યારે તે કલ્પનામાં પણ ન હોય તેવી જાગૃતતા અને પરિવર્તન લાવે છે.
આશ્રમમાં ઘણી વખત તમે મને પૂજા અને યોગ કરતો જૂઓ છો. હકીકત એ છે કે મારે માટે આનો અર્થ કશો જ નથી. મારે પરમાત્મા સાથે જોડાવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. હું તે મારા માણસો માટે કરું છું. હું
Section 3
તમને તમારા જાણીતા વિસ્તારમાં ખેંચી શકું, એવી જગ્યા જયાં ત્યાં તમે સલામતી અને શાંતિનો, સ્વસ્થતાનો અનુભવ કરી શકો. આવું વાતાવરણ કે જે સદીઓથી ભક્તિ માટે પવિત્ર જાહેર થયેલું છે. તેમાં તમારા શ્રદ્ધેય દેવી દેવતાઓ આગળ માથું નમાવીને ખૂબ જ જાણીતા મંત્રોચ્ચાર સાંભળીને, તમારી અંદર શાંત મેડિટેશનની સ્થિતિ સ્વાભાવિક રીતે જ આવી જાય છે. આવા સમયે તમે મારી શક્તિને ગ્રહણ કરવા માટે, પુરેપુરા ખુલ્લા અને સમર્પિત હો છો. આ જ સમય હોય છે જયારે હું તમારા પર, તમારા જ્ઞાન અને પ્રતિકાર વગર, તમારા પર કામ કરી શકું. હવે તમે મને સમજી શકો છો ?
(અલબત્ત મેં ક્યારેય મારું બચપણ છોડી દીધું નથી. તેથી હું આ સુંદર ઢીંગલીઓ સાથે રમીને પૂરેપૂરો આનંદ મેળવું છૂં – પરંતુ તે બીજી બાબત છે.)
સ્વામીજી, કર્મ શું છે ?
કર્મ માટે તમને એક વિચાર આપું છું .
જયારે પણ કોઈ ક્રિયા થાય છે. પરંત પરી નથી થઈ, ત્યારે એક બળ છે જે તમને તે પૂરી કરવા માટે ધક્કો મારે છે. જેથી ક્રિયા, કામ પૂરું થઈ શકે. આ જે બળ છે તે કર્મ છે. તમે જે કાંઈપણ ચાહ્યું હોય, ઈચ્છયું હોય પરંતુ તેનો પૂરેપુરો અનુભવ ન થયો હોય, અનુભવ પૂરો કરવા માટે તે બાબત તમારી પાસે સતત વારંવાર કરવા માટે ખેંચે છે. તમે હકીકતમાં જ્યાં સુધી તે અનુભવ ન બની જાવ, ત્યાં સુધી તે કામનું, િક્રિયાનું પુનરાવર્તન કર્યા કરો છો. કારણ કે તમે પૂરેપૂરા તેવા થઈ ગયા હો છો. આ ક્રિયા પૂરી કરવા માટે તમે તમારાં શરીરમાં પ્રવેશો છો. આ પરિપૂર્ણતાના બદલામાં તમને આ બધી બાબતો, આ બધી 'મુશ્કેલીઓ' મળે છે.
સામાન્ય સવાલોના અસામાન્ય જવાબો
હું 'કર્મ'ની આ રીતની સમજ આપું છૂં. બીજા બધા જ શબ્દો જેવા કે, "મારાં ખરાબ કર્મોને કારણે હું માંદો પડ્યો", "મારા સારાં કર્મો હશે કે હું સ્વામીજીને મળ્યો", આ બધી બાબતો આપણે પ્રસંગ બની ગયા પછી કહીએ છીએ. જે કંઈ બની જાય છે તેને આપણે 'કર્મ'નું નામ આપી દર્દએ દળીએ.
કર્મ શબ્દને ખુબ જ ખોટી રીતે સમજવામાં આવ્યો છે. હું તમને કર્મની સમજણ, આપણે જે રીતે સમજીએ છીએ તે રીતે નથી આપતો. હું કર્મને નસીબ કે વિધાતા નથી માનતો. મારા અનુભવ પ્રમાણે વિધાતા જેવી કોઈ ચીજ નથી. અસ્તિત્વ દ્વારા ભવિષ્યને પૂરેપરું ખુલ્લું રાખવામાં આવ્યું છે. ભવિષ્ય આપણે નક્કી કરીએ છીએ.
રામક્રિષ્ણ એક સુંદર વાર્તા કહે છે : જે આ વિષયની બુદ્ધિયુક્ત સ્પષ્ટતા આપશે. અલબત્ત કોઈ તમને કર્મ બાબતની હકિકતમાં જેવી થઈ હોય તેવી જ જીવનની, અનુભતિની સ્પષ્ટતા કરી શકે નહીં. એ સ્પષ્ટતા માત્ર મુક્તિ સાથે જ આવે છે. અને તમે જયારે મુક્ત હો છો, ત્યારે તે અનુભતિને શબ્દોમાં સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતાં નથી.
કર્મની વાર્તા પર આવીએ :
એક ગાય પાંચ મીટરના દોરડાથી ખીલા સાથે બંધાયેલી છે. આ પાંચ મીટરના પરીઘમાં તે બેસી શકે છે, ઊભી રહી શકે છે, ખાઈ શકે છે, તેને જે ગમે તે કરી શકે છે. આ પછીની આપણી જિંદગી પણ તેવી જ છે. આપણી પાસે મર્યાદિત સ્વતંત્રતા છે, બાકીનું બધું અસ્તિત્વ પાસે છે. પરંતુ રામક્રિષ્ણ ઉમેરે છે કે તે આપણે પાંચ મીટરની સ્વતંત્રતાનો 'બુદ્ધિપૂર્વક' ઉપયોગ કરીએ તો અસ્તિત્વ આપણું દોરડું લંબાવી દે તેવી શક્યતા છે. આપણને પરેપુરા સ્વતંત્ર પણ કરી શકે છે. તે ફક્ત આપણી અને ગુર પર આધારિત છે. જીવ અને શિવ પર આધારિત છે. પસંદગી તમારે કરવાની છે કે. બંધનમાં રહેવું છે અથવા મુક્તિ મેળવવા તરફ કામ કરવું છે.
એક વખત મને કોઈએ પૂછયું; "જો ગાય કરડવાનું શીખી લે અને દોરડાને કાપી નાંખે તો શું ?"
સૌથી પહેલાં, તમે જાણો છો દોરડું ક્યાં છે ? કયા ખીલા સાથે બંધાયેલું છે ? તે ક્યાં શરૂ થાય છે અને ક્યાં પરૂં થાય છે ? કાપશો ક્યાંથી ? કેવી રીતે કાપશો ? એક સામાન્ય ગાય તો દોરડાંને જોઈ શકે છે. આપણે લોકો તો જાણતા પણ નથી કે દોરડું ક્યાં અને શું છે ? માટે હું તમને જે કાંઈ આપી શરૂં છૂં તે તેની ઝાંખી છે. ઝબકારો છે, મારી અંદર પ્રવેશવાની પ્રેરણા છે, અનુભવમાં ઉતરવાનો ઈશારો છે.
વ્હાલા સ્વામીજી, અત્યાર સુધી મન ફક્ત અર્થહીન 'આંતરિક બડબડાટ' છે. શું પરમાત્મા તરફ આગળ વધવા માટે બુદ્ધિને છોડી દેવી જોઈએ ?
હું આ સવાલનો જવાબ આપી શકું તે પહેલા તમારે મનની કાર્યરીતિ, કામ કરવાની પદ્ધતિને સમજી લેવાની જરૂર છે. મન ચાર વિભાગોનું સંયોજન છે : માનસ (આ ભાગ બહારની માહિતીઓ ઈન્દ્રિયો વડે ગ્રહણ કરે છે.) ચિત્ત (યાદશક્તિ અથવા બ્રહ્માંડીય જ્ઞાનની નોંધ કરે છે) બુદ્ધિ (સમજણ, સભાનતા) અને અહંકાર (ઈગો). આ બધાની ઉપર આત્મા છે. (સ્વ) છે. બધી જ માહિતીઓ મનના આ વિભાગોમાંથી પસાર થાય છે.
દા.ત., તમે જયારે મેરીગોલ્ડને જુઓ છો, જે આ શાબ્દિક માહિતી છે - 'પીળું ફૂલ' તેને 'માનસ' આંખ દ્વારા મેળવે છે.
આ માહિતી ચિત્તમાં મોકલવામાં આવે છે, ત્યાં ભૂતકાળમાં જોયેલા બધાં જ ફલોની નોંધ છે તેની સામે સરખાવવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે આ ચોક્કસ ફૂલ પરિચિતોમાંનું એક છે.
પછી અહંકારનો વારો આવે છે. તેની પાસે પોતાને રસ પડતા અભિપ્રાયો આપવાનો અધિકાર છે. દા.ત., "મને આ ફૂલ ગમે છે." અથવા ''પડોશીના બગીચામાં સારાં મેરીગોલ્ડ છે. અથવા કંઈપણ. અહંકાર જેની માહિતીના આધારે આત્મા કાર્યપદ્ધતિ કરે છે." "ફૂલને પાણી પાવ." અથવા "બહાર ફેંકી દે."
આ વ્યવસ્થામાં કમનસીબ વાત એ છે કે, માહિતી આત્મા સુધી પહોંચે ત્યાં સુધીમાં અહંકારમાંથી ગળાઈ ગઈ હોય છે, તેથી તમે જે જૂઓ છો અને ક્રિયા કરો છો, તે વાસ્તવિક અથવા ખરી બાબત પર નથી હોતી. પરંતુ તે માહિતી અહંકાર તમને જે બતાવવા માંગે છે તેવી ભાંગફોડ કરેલી માહિતી પર કરતા હો છો. તમે અજ્ઞાન અને ગુંચવણમાં ન રહી જાવ તો જ નવાઈ લાગે અને આખરે તમે એવા અનુમાન પર આવી જાવ છો કે, મનનો આંતરિક બડબડાટ બધું જ કરી શકે છે.
જયારે બુદ્ધિ જાગૃત થાય છે ત્યારે અહમુ કુદરતી રીતે જ મૃત્યુ પામે છે. પછી પહેલી વખત પરિસ્થિતિ સીધી આત્માના નિયંત્રણમાં આવે છે. એ રાષ્ટ્રપતિ શાસન જેવું છે ? પ્રચંડ શક્તિનો સ્ત્રોત ખુલ્લો થઈ જાય છે અને વાપરવા માટે શક્ય બને છે. પછી માહિતી માત્ર પાંચ ઈન્દ્રિયો દ્વારા જ આવતી નથી. તેથી કરીને, માહિતી ઉપરની પ્રક્રિયા અને નિર્ણય ક્રિયા બેસુમાર ઝડપી અને આધારે અસરકારક બને છે. પરિણામે સામાન્ય આંખોને તે ચમત્કારીક લાગે છે. આ એવી સ્થિતિ છે જેમાં યોગીઓ હવામાં અદ્ધર રહી શકે છે અથવા કોઈપણ માધ્યમ વિના વસ્તુઓનું વહન કરી શકે છે અને આવા બીજા ચમત્કારો કરી શકે છે. આ જાદ્દુઈ સ્થિતિ છે જે પરમાત્માની સાથે, દિવ્યતાની સાથે લયમાં આવવાથી પ્રાપ્ત કરી શકાય છે.
તેથી તમે જોઈ શકો છો કે પરમાત્મા તરફ આગળ વધવા માટે, તમારે મન અથવા બુદ્ધિને છોડવાના નથી. પરંતુ ફક્ત અહમુને છોડવાનો છે. બાળકને બાથટબ સાથે જ ફેંકી દેવાની ભૂલ ન કરતાં ?
