Chapter 11

પ્રશ્ન : આ દ્વનિયામાં ઘણી સમસ્યાઓ છે જેનો ઉકેલ હજુ સુધી નથી થયો. આધ્યાત્મિકતા તેને કઈ રીતે ઉકેલશે ?

2 sections

Section 1

પ્રશ્ન : આ દ્વનિયામાં ઘણી સમસ્યાઓ છે જેનો ઉકેલ હજુ સુધી નથી થયો. આધ્યાત્મિકતા તેને કઈ રીતે ઉકેલશે ?

સમસ્યા કોઈપણ હોય તમારે તેનો ઉકેલ લાવવાની શરૂઆત તો કરવી જ પડે. મહત્ત્વાકાંક્ષા અને વિશ્વાસ હોવો તે પહેલું પગથિયું છે.

પ્રશ્ન : હું અમારી વ્યક્તિગત સમસ્યાઓની વાત નથી કરતો, જથ્થાબંધ સામાજિક સમસ્યાઓનું શું ?

આધ્યાત્મિકતા કોઈ વ્યક્તિગત બાબત નથી. તેની સામાજિક સ્તર પર પણ દૂરગામી અને પ્રભાવી અસરો ચોક્કસ પડે છે. આધ્યાત્મિકતા ફક્ત 'ધ્યાન' નથી, તે અનુકંપા છે. સમાજની સેવા છે.

વિવેકાનંદે સુંદર રીતે કહ્યું છે; "આત્મનો મોક્ષાર્થમ્ જગત હિતાયચે". "મુક્ત થઈને તેનો ઉપયોગ માનવજાતિની સેવા કરવા માટે કરવો એ જ સાચી આધ્યાત્મિકતા છે." નહીંતર તે અપૂર્ણ આધ્યાત્મિકતા છે. જે અજ્ઞેયવાદ કરતાં પણ વધારે મુશ્કેલી પેદા કરે છે.

પ્રશ્ન : શું આધ્યાત્મિકતાનો અર્થ એવો છે કે કોઈ જ ઈચ્છાઓ ન હોવી ?

ના, તેની તરફ આ રીતે જોવું એ ખોટો રસ્તો છે. મારા અનુભવ પ્રમાણે તમારી ઈચ્છાઓને દબાવી દેવાને, ઓછી કરવાને બદલે, તમે તમારી આંતરિક શક્તિને વધારો. તમે તેનો ઉપયોગ કરીને તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો.

હંમેશા તમને સંતોષી રહેવાનું કહે છે. એક વાત સમજી લો. તમે સંતોષી રહેવાનું શીખી શકો નહીં. તમે તે વલણને પ્રાપ્ત કરી શકો નહીં. આધ્યાત્મિકતાના, ધ્યાનના પરિણામ સ્વરૂપ સંતોષ તમારી અંદરથી ખીલવો જોઈએ. ધ્યાન વડે તમે જીવનની ગહન સંતોષની લાગણી અનુભવો છો. જે તમને તમારી પાસે જે હોય તેનાથી સંતુષ્ટ બનાવે છે.

પ્રશ્ન : સમકાલીન સ્વામીઓની સરખામણીમાં તમે ખૂબ જ યુવાન દેખાવ છો. તમે માનો છો કે, તેનો ગેરફાયદો છે ?

ફાયદો અથવા ગેરફાયદો કશું જ નથી. હકીકતમાં લોકોને હું જે આપવા માટે રજૂ કરું છૂં તેમાં રસ છે. તમને બીજી કોઈ વિગતોમાંની અસર થતી નથી અને જ્યાં સુધી આધ્યાત્મિકતાને લાગે-વળગે છે ત્યાં સુધી ભૌતિક ઉંમરમાં અનુભવનું કોઈ મહત્ત્વ નથી.

જુઓ, અનુભવો બે પ્રકારના હોય છે - 'અનુભવ' અને 'અનુભૂતિ'.

'અનુભવ' આખી જિંદગી સુધી મેળવી શકાય છે. જેવી રીતે જીવનમાં ઘણા બધા પ્રકારની આગને સ્પર્શયા પછી શીખી શકાય છે કે આગ દઝાડે છે. પહેલા તમે સળગતા લાકડાને સ્પર્શો, તમે દાઝો છો. પછી ગેસ લાઈટને સ્પર્શો, તમે દાઝો છો, પછી કેરોસીનના દીવાને સ્પર્શવાનો પ્રયત્ન કરો છો તમે દાઝો છો, પછી સળગતી દિવાસળી - અને છેલ્લે તમને અહેસાસ થાય છે કે આગથી હંમેશા દઝાય છે. આ અનુભવ છે.

મારો અનુભવ 'અનુભૂતિ' છે. એને તમે સૌથી પહેલી આગના અનુભવથી જ શીખી જાવ છો કે બધી જ આગ આના જેવી હોય છે. બધી જ ઈચ્છાઓ આના જેવી હોય છે. આ છે આધ્યાત્મિકતામાં છલાંગ. આત્માનુંભૂતિમાં કદકો.

પ્રશ્ન : પરંત આધુનિક જમાનામાં ઘણી બધી ઈચ્છાઓ હોય છે. અપેક્ષાઓ હોય છે, અમે તેને ઓછી કઈ રીતે કરી શકીએ ?

ઈચ્છાઓ ઓછી કરવી એટલે જીવનની ભરપૂરતા કરવી. મેં કહ્યું તેમ અગત્યની બાબત એ છે કે ઈચ્છાઓ પુરી કરવા માટે આંતરિક શક્તિ પેદા કરવી જોઈએ. ઈચ્છાઓ હોવી તેમાં કશું જ ખોટું નથી. પરંત ઈચ્છાઓને પૂરી કરવા માટે તમારે સખત મહેનત કરવી જોઈએ. પછી તે ભૌતિક ઈચ્છાઓ હોય જેવી કે, તમારે મર્સિડીઝ બેન્ઝ કાર લેવી છે. કશું જ ખોટું નથી. ધ્યાન તમને ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે પણ શક્તિ આપે છે.

પ્રશ્ન : પરંતુ સંતુષ્ટ અને ઈચ્છા-મુક્ત જીવન તરફ જવાને બદલે તમે તમારી ઈચ્છાઓને કઈ રીતે વધારતા જઈ શકો ?

ક્યારેય એવું ન વિચારો કે સંતુષ્ટ જીવન. આધ્યાત્મિક જીવન જેવું છે. 'સત્વ' અને 'તમસ' સપાટી પર બંશ્વે એક સરખાં લાગે છે. તમે એવું વિચારો છો કે કોઈ સાદાં કપડાં પહેરીને સાદડી પર બેસી ગયો છે માટે તે સાત્વિક અને સંતુષ્ટ છે ? તે માત્ર બાહ્ય દેખાવ હોઈ શકે ઢોંગ હોઈ શકે. એવું પણ બની શકે કે તેને જે જોઈએ છે તે મેળવવાની તેનામાં શક્તિ નથી માટે તે એવો રહે છે. ત્યાગવું અને સંતોષ એક સરખા નથી, ભલે સરખા દેખાય છે.

પ્રશ્ન : પરંતુ તમારી પાસે જે છે તેનાથી જ તમારુ મન સંતુષ્ટ હોય તો શું ?

આ પ્રકારનું મન આધ્યાત્મિકતાની બાય-પ્રોડક્ટ છે. તે તમને આધ્યાત્મિકતા તરફ લઈ જઈ શકે નહીં. તમે સંતોષી જીવનનું વલણ શીખીને આધ્યાત્મીકતા સુધી પહોંચી ગયા છો તેવું માની શકો નહીં. લોકો

83

82

84

જો તમે અનુભવોમાંથી આવશો તો, તેને માટે આખી જિંદગીની જરૂર પડશે. જ્યારે 'અનુભતિ' માટે પ્રજ્ઞાની જરૂર હોય છે. ઉંમરની નહીં.

તેથી મારે માટે ઉંમરથી કોઈ ફાયદો કે ગેરફાયદો નથી - બસ આટલું જ.

પ્રશ્ન : આખી દૂનિયામાં સમાજ માટે ખોટું કરનારાઓને ધ્યાન વડે સુધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. દા.ત., જેલોમાં વગેરે. તમે આ અભિગમ સાથે સંમત છો ?

ચોક્કસ, આપણે ચોક્કસપણે આ પ્રયત્નો કરવા જોઈએ. અત્યારની જેલોની હાલત એવી છે કે સો રૂપિયાની ચોરીના ગુનામાં જે માણસ જેલમાં જાય છે તે ત્યાંથી એવી ટ્રેનીંગ લઈને આવે છે જે લાખ રૂપિયાની ચોરી કરી શકે.

આ ક્ષેત્રમાં ધ્યાન ઘણું બધું કરી શકે છે – કારણ કે હકીકતમાં બદલાવ માણસની અંદરથી આવવો જોઈએ. સમાજમાં પરિવર્તન લાવતા પહેલાં દરેક વ્યક્તિ, દરેક ગુનેગારની અંદર પરિવર્તન થવું જોઈએ. ધ્યાન માત્ર વ્યક્તિને અંદરથી બદલતું જ નથી, તે સમાજમાંથી ગુનાઓનું પ્રમાણ પણ ચોક્કસપણે ઘટાડી શકે છે.

પ્રશ્ન : 'પુણ્ય' અને 'પાપ' શું છે ?

જેમાં પણ તમને પ્રેમનો અને આનંદનો અનુભવ થાય, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જેમાં તમને બીજા લોકો પ્રત્યે પ્રેમ અને અનુકંપાની લાગણી થાય એવી બધી જ બાબતો 'પુણ્ય' છે.

જે તમને બીજાથી અલગ પાડે, તમને દુ:ખી અને હતાશ બનાવે, તેવી બધી જ બાબતો 'પાપ' છે. આનંદ જ તમારો સાચો સ્વભાવ છે. તને કોઈ પણ બાબત તેનાથી દૂર લઈ જાય, જે કોઈ બાબત તમને હતાશામાં લઈ જાય, જે કાંઈ બાબત તમને તમારી જાત માટે દિલગીરી વ્યક્ત કરવાનું કારણ બને, કે બીજા માટે કારણ બને. આ બધી જ બાબતો 'પાપ' છે.

પ્રશ્ન : આધ્યાત્મિક બાબતોમાં આપણે બીજાઓના અભિપ્રાયોની ચિંતા કરવી જોઈએ કે નહીં ?

જયાં સુધી આપણે બીજા માટે ઊપાધીકારક બનીએ નહીં, જ્યાં સુધી આપણે તેમના જીવનમાં કોઈ ખલેલ પહોંચાડતા ના હોઈએ ત્યાં સુધી બીજાઓના અભિપ્રાય બાબત ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

પ્રશ્ન : જે લોકો મુક્ત થઈ ગયા છે તે લોકો આશ્રમો શું કામ સ્થાપે દેવે ?

એક જમાનામાં આ રસ્તો એકલા જ કાપવામાં આવતો હતો. આજે હું માનું છૂં કે આનંદ અને તેના ફાયદાઓ બહાર ફેલાવવા જોઈએ. અલબત્ત તમે એમ કહી શકો કે આ સાચી આધ્યાત્મિકતા નથી. હું મારા ઊંડા વ્યક્તિગત અનુભવથી કહ્યું છૂં કે, જેમ વિવેકાનંદ કહે છે. સાચી આધ્યાત્મિકતા માત્ર મુક્ત થવું જ નથી પરંતુ મુક્તિના ફાયદા બધે ફેલાવવા તે જ સાચી આધ્યાત્મિકતા છે. જેને માટે મેં જન્મ લીધો છે ! એના માટે જે કાંઈપણ જરૂરી લાગે - આશ્રમ પણ મારે કરવું જરૂરી છે. તમે મને સમજી શકો દછો ?

પ્રશ્ન : શું આધુનિક સમયમાં આધ્યાત્મિક પ્રણાલી સુસંગત છે ?

તે બધા જ સમયમાં સુસંગત છે. આધ્યાત્મિક પ્રણાલી વગર આજે આપણો દેશ ક્યાં હોત ? સદીઓથી, સંસ્કૃત અને શાસ્ત્રો, ભરતનાટ્યમ્ અને કલાચાર, આયુર્વેદ અને સિદ્ધ. ધર્મ અને આધ્યાત્મિકતા, આપણો આ બધો જ વારસો આજ સુધી આવા આધ્યાત્મિક લોકોના હાથોમાં જ સચવાયેલો રહ્યો છે.

કરવાનું છે – તમારી ગેર સમજણો શોધીને અલગ કરવાની છે. તમારા ભતકાળના પર્વગ્રહોને દર કરવાના છે. તમને સાબિતીઓ આપવાની છે. વગેરે વગેરે. હં તમને નવો ધર્મ, કે જે સાચી આધ્યાત્મિકતા છે તે આપું તે પહેલાં મારે મારી લાયકાત સ્થાપવી પડે છે. આ એક ક્રમિક થતો બદલાવ છે પણ તે લાવવો જરૂરી છે. આધ્યાત્મિક વ્યક્તિઓ વિષેની આપણી સામાજિક વિભાવનાઓ બદલવી જોઈએ. નહીંતર ગુરૂઓને એવા દેશમાં પોતાનું ધ્યાન વાળવું પડશે જ્યાં લોકો ખુલ્લામને તેમનો સંદેશો સ્વીકારવા તૈયાર છે. જેનાથી ભારતીય સમાજ અવનવી તરફ મળશે.

જૂઓ તમે પત્રકારો છો. તમે સંદેશો સમાજને પહોંચાડવાના છો. તમે તે પહોંચાડો તે પહેલાં હું તમને જે કહેવા માંગું છું તેની સ્પષ્ટતા ખુબ જ જરૂરી છે. હં જાણવા માંગું છૂં કે જે કહું છું તેમાં તમને વિશ્વાસ છે ? તે માનો છો, જો ના માનતા હો તો, સવાલો સવાલો પૂછો, મહેરબાની કરીને પૃદ્ધો.

ફક્ત તમારું મન ખુલ્લું રાખો. તમારા પૂર્વગ્રહો અને અગાઉથી જ તમારા મત મુજબના પરિણામ સાથે ન આવો.

ઓ.કે. તમને મારી વાત ગળે ઉતરે છે ? તમે સંમત છો ?

પ્રશ્ન : (એક પત્રકાર) "ના હું નથી. હું એક ગુરૂને શરણે ગયો હતો. પરંતુ કશું જ ના થયું"

"તમે સંપર્ણ શરણે થયા હતા ?"

પત્રકાર : ''વેલ. મેં મારાથી બને તેટલી શરણે થવાની કોશિશ કરી હતી.''

તમારે એક વાત સમજવાની જરૂર છે. તમે એમ કહો છો કે મેં મારાથી થાય તેટલી કોશિશ કરી હતી. એનો મતલબ છે કે પૂરી શરણાગતિ

જેમકે ભાગવત કહે છે. આ પૃથ્વીનું અસ્તિત્વ જ મુક્ત ગુરુઓને આભારી છે. તેમણે આ વિજ્ઞાન અને કળાના રક્ષણ માટે પોતાની જિંદગીઓ રેડી દીધી છે. આજે આ સંસ્કૃતિ પાસે જે પણ કાંઈ છે, સંસ્કૃતિને નામે તમે જેનો પણ આનંદ માણો છો, એ બધું જ તેઓની ભેટ છે. આ સદીમાં પણ, આપણે દૃષણોથી બચવાનું શીખીને પવિત્રતા જાળવીએ છીએ તે માટે તેઓનું શિક્ષણ જવાબદાર છે. માટે જ આધ્યાત્મિક પ્રણાલી બધા જ સમયમાં સુસંગત છે.

પ્રશ્ન : પરંતુ અમુક ભગવાધારીઓ સમાજને લૂંટે છે. આવા નુકસાનકારીઓને કારણે ભગવાધારીઓનું નામ બદનામ થયું…

ચાલો હું તમને એક સવાલ પૂછૂં; જયારે હર્ષદ મહેતાએ શેરબજારમાં ગોટાળો કરીને દેશના લાખો લોકોને છેતર્યા ત્યારે તેણે તો શર્ટ અને પેન્ટ પહેર્યા હતાં ? તમને યાદ છે ને ? આનો અર્થ એવો થાય, કે જે લોકો પેન્ટ શર્ટ પહેરે છે. તે બધા હર્ષદ મહેતા જ છે ? અને જો તમે એવું વિચારતા હો તો. તે કપડાં પહેરવાવાળાનો દોષ છે કે તમારી સમજણ શક્તિમાં દોષ છે ? સેંકડો ડૉક્ટરોને પબ્લીકને છેતરવા માટે પકડવામાં આવે છે તો શું તમે દરેક ડૉક્ટરને શંકાથી જોશો ? તમે ડૉક્ટરો પાસે જવાનું બંધ કરી દીધું છે ?

Section 2

બહાર આવો. જૂની દલીલો ભૂલી જાવ. આ માત્ર છટકી જવા માટેનાં કારણો છે. તમારા અજ્ઞાનથી આધ્યાત્મિક ગુરૂઓને કશું નુકસાન થવાનું નથી. જો તમે મને ચૂકી જાવ છો, તો તમે મને ગુમાવો છો. બસ આટલું.

દુનિયાના દરેક ક્ષેત્રોમાં ઠગાઈ કરનારા તો હોવાના જ. આખી જાતને ઠગ જાહેર કરવાને બદલે. બુદ્ધિનો ઊપયોગ કરો, તપાસો અને યોગ્ય વ્યક્તિને પસંદ કરો. આવી ગેરસમજને કારણે ઘણી વખત સાચા ગુરૂઓને પણ ઓળખી નથી શકાતા. હવે જૂઓ મારે કેટલું સાફ-સફાઈનું કામ 87

86

આદર્શમાં માનતા હો, તો તમારે તમારા જીવનનું તેમાં રૂપાંતર કરી દેવું જોઈએ. ઉપરાંત તમે જે કાંઈ અનુભવો છો. તેને જીણવટપૂર્વક તપાસો કે તે સત્ય છે ? જે કોઈ તમારા જીવનમાં પરિવર્તન ન લાવે તે સત્ય ન હોઈ શકે. જો તે ખરેખર વાસ્તવિક સત્ય હોય તો તેના સ્પર્શ માત્રથી તમારા જીવનનું રૂપાંતરણ કરી શકે છે. જો તે તે તમારું અંદરથી પરેપૂરું રૂપાંતરણ ન કરે તો તેને છોડી દો. તેને પકડી ન રાખો અને ફરીયાદ ન કરો. એ આદર્શ એ વિચારધારા તમારા માટે નહોતી. બસ, આટલું જ.