પ્રકરણ-૪ શું આપણા આધુનિક સમયમાં આધ્યાત્મિક્તા સુસંગત છે ?
# પ્રકરણ-૪ શું આપણા આધુનિક સમયમાં આધ્યાત્મિક્તા સુસંગત છે ?
પ્રશ્ન : આજના સમાજને ધ્યાન કરવાથી કયા ક્યાયદા થઈ શકે ?
દરેક સમય અને ઉંમરે માણસ જાતને જીવનમાં કઈ બાબતની જરૂરત હોય છે ?
તાકાત અને શરીરની સ્વસ્થતા, મનનો જુસ્સો મનોબળ અને આત્મબળ.
શરીરનું બળ આપણને શારીરિક રોગોથી દૂર રાખે છે અને શરીરને એવી રીતે સાચવે છે કે આપણે કોઈપણ સમસ્યા વગર આપણી રોજીદી પ્રવૃત્તિઓ સારી રીતે કરી શકીએ.
મનોબળ આપણને શાંત અને સંતુલિત રાખે છે જેથી આપણને પૂર્ણ અને આનંદિત રીતે જીવન જીવવામાં મદદ મળે.
આત્મબળ આપણને આ બંનેની ઊપર લઈ જાય છે. આત્મબળથી કરૂણાની લાગણી પ્રગટે છે, ત્યાગનો જુસ્સો આવે છે અને જેથી સમાજની સેવા કરી શકાય. જેવી રીતે વ્યક્તિ માટે શરીરબળ અને મનોબળ ટકી રહેવાં જરૂરી છે તેવી જ રીતે સમાજ અને માણસ જાતની સ્વસ્થતા માટે આત્મબળ ટકી રહેવું જરૂરી છે.
ફક્ત શરીર બળથી માણસ ઠગ, ઉત્પાત મચાવનારો અને સમાજ માટે ઉપાધિકારક બની શકે છે. જો તેની પાસે આત્મબળ વિના શારીરિક અને માનસિક તાકાત હોય તો તે સમાજ માટે ભયંકર અને લુચ્ચો બની શકે છે. સમાજ માટે આપત્તિકારક બની શકે છે.
ફક્ત જયારે માણસમાં ત્રણે શક્તિઓ ભેગી થાય છે ત્યારે જ તે સંપૂર્ણ વ્યક્તિ તરીકે ખીલે છે. તે જે સમાજ અને દુનિયામાં રહે છે તેને માટે મિલકત બની જાય છે. મૂલ્યવાન બની જાય છે.
આ ત્રણે શક્તિઓના દ્વાર ખોલવાની એક જ ગુરુચાવી છે. ધ્યાન, પૂર્ણજાગ્રતતા.
હવે એ તો જાણીતું જ છે કે ધ્યાન શરીર માટે અદ્દુભૂત કામ કરે છે. ધ્યાનથી બી.પી, ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને ઘણાં પ્રકારની માંદગીઓ સારી થઈ શકે છે. તેનો ઈલાજ થઈ શકે છે બધા જ પ્રકારના દુ:ખાવામાં થતા ધ્યાનના ફાયદાનો ઘણાં બધાએ અનુભવ કર્યો હશે. બુદ્ધિજીવીઓ પણ આ બાબતમાં સંમત થાય છે.
ધ્યાન તમારા 'ચક્રોને' નિર્મળ કરવામાં મદદ કરે છે. તમે જાણો છો કે તમારી શારીરિક, માનસિક અને લાગણી વિષયક પ્રક્રિયાઓને 'ચક્રો' નિયંત્રિત કરે છે. જ્યારે આ બધા ચક્રો એકબીજા સાથે લયબદ્ધતામાં હોય ત્યારે જ તમને સંપૂર્ણ શારીરિક સ્વસ્થતાનો અનુભવ થાય છે. ધ્યાનથી ચક્રો નિર્મળ થાય છે અને એક બીજા સાથે લયમાં રહીને તમારા શરીર અને મનને રોગમુક્ત રાખે છે.
માનસિક સ્તર પર ધ્યાન મનને ડિપ્રેશનથી મુક્ત રાખે છે. તેનાથી મનની ઉચ્ચકક્ષાની વિશુદ્ધતા મેળવવામાં મદદ મળે છે, સમાજન્ફ્રુટ્રંબના એક ભાગ તરીકે વ્યક્તિ તરીકે આપણું જીવન પૂર્ણ રીતે જીવવાનું માર્ગદર્શન મળે છે. ધ્યાન આપણને આપણો સમય અને શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. તેથી કુદરતી રીતે જ આપણા ભૌતિક સુખોમાં પણ વધારો થાય છે.
આજ રીતે ધ્યાન આપણી આત્મશક્તિ બહાર લાવે છે અને ગહનશાંતિનો અનુભવ કરવામાં મદદ કરે છે. આપણી અંદર જ્યારે 'આનંદ'ના ફુવારા
વહેતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે તે આનંદ સમાજમાં પણ ફેલાવીએ છીએ. જો આપણે પોતે જ દુ:ખના દરિયામાં ડબેલા હોઈએ તો દનિયાને આપણે શું કામમાં આવી શકીએ ? ધ્યાન એક એવો સ્ત્રોત છે આપણને શારીરિક શક્તિ, માનસિક શક્તિ અને આત્મશક્તિ, આ ત્રણેય શક્તિઓ આપે છે.
શારીરિક, માનસિક અને સંવેદનાત્મક ત્રણે બાબતમાં ધ્યાન આપણને ફાયદાકારક છે. તે સારી કૌટુંબિક અને સામાજિક જિંદગી વધારે છે અને આ ઉપરાંત આપણને આધ્યાત્મિક જિંદગી તરફ દોરી જાય છે. આ એક એવું ડહાપણ, દક્ષતા છે, જે આપણા મહાન મુક્ત ગુરુઓએ સદીઓથી આપણા માટે ભેગું કરી રાખ્યું છે.
પ્રશ્ન : ઘણા બધા લોકો તમારી પાસે સાજા થવા આવે છે. ધ્યાન માટે નહીં.
બરાબર છે ! સાજા કરવા એ મારૂં વિઝીટીંગ કાર્ડ છે. મારો સાચો સંદેશો ધ્યાન છે. જયારે હું તમને એમ કહું કે ધ્યાન તમને પરમતામાં લઈ જાય છે. ત્યારે મારે અથવા તમારે કોઈ સાબિતીની જરૂર તો પડે જ ને ? ખરૂંને ! તેથી જ હું લોકોની ઉત્રતિ માટે તમને સાજા કરવાની રજુઆત કરૂં છું જ્યારે લોકો સાજા થઈ જવાનો ચમત્કાર જુએ છે, ત્યારે તેઓ મારી પાસે ખેંચાઈને આવે છે. આ રસ્તે બીજું વધારે શું જાણવા જેવું છે તે લોકો જાણવા માંગે છે. આના વગર લોકોને આધ્યાત્મિક જીવનમાં ખેંચી જવાનું સહેલું છે એવું તમને લાગે છે ? હજારો લોકો સાજા થવા માટે આવે છે તેમાંથી ગણ્યાં ગાંઠ્યાં લોકો પણ જો તેમની પોતાની જિંદગીમાં ધ્યાન અને આધ્યાત્મિકતા તરફ વળે તો પણ મારો હેતુ પાર પડે છે અને આવું બને છે. દરેક જગ્યાએ બને છે.
પ્રશ્ન : ઘણા બધા ગૂરુઓ ધ્યાન ઉપર ભાર મૂકે છે. તમારી કાર્યપદ્ધતિ કઈ રીતે ખાસ છે ? સ્પેશિયલ છે ?
હું એવું નથી માનતો કે, કોઈ ચોક્કસ કાર્યપદ્ધતિને સ્પેશિયલ કહેવી જરૂરી છે. હું લોકોની ઉત્રતિ માટે ધ્યાનનો સિદ્ધાંત રજૂ કરું છું. મને સાંભળ્યા પછી વધારે ને વધારે લોકો ધ્યાન કરવા લાગે છે. મારા માટે એ જ પુરતું છે. એ સારી નિશાની છે. પછી તે તેમને અનુકૂળ હોય તેવી ગમે તે રીતે કરે.
પરંતુ જો તમે મારી રીતો વિષે પૂછી રહ્યા છો, તો તમે તેને આપણી આંતરિક શક્તિઓનો રસ્તો છે તેમ કહી શકો છો. અંદર એક શક્તિ છે, જે પૂરા બ્રહ્માંડમાં વ્યાપેલી છે, જે ગ્રહો, સૂર્ય અને ચંદ્રને કાર્યરત રાખે છે. આપણે પણ આ જ શક્તિનો હિસ્સો છીએ. પરંતુ આપણે તેનો પરિચય ભુલી ગયા છીએ. આ કાર્યપદ્ધતિ આપણને વૈશ્વિક શક્તિ સાથે સંવાદિતામાં, ટ્ય્ચુનીંગમાં રહેવામાં મદદ કરે છે.
પ્રશ્ન : ધ્યાનની ઘણી બધી કાર્યપદ્ધતિઓ છે. અમે ગુંચવણમાં પડી જઈએ છીએ. દરેક જૂથ તેની પોતાની ટેક્રનિક રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. અમને કેવી રીતે ખબરપડે કે અમારા માટે કઈ પદ્ધતિ બરાબર છે ?
હું તમને સલાહ આપું છૂં કે તમે જેટલીના પરિચયમાં આવો તે બધીને એક વખત અજમાવી જોવી જોઈએ. જુઓ જેટલા પણ ધર્મોપદેશ કરે છે તેમની અંદર સત્યનો તણખો હોય જ છે. તેના વગર જાહેરમાં આવીને ગુરુ બનવું અશક્ય છે. પરંતુ અલગ અલગ ગુરુઓ સત્યનો બોધ અલગ અલગ રસ્તે આપે છે. અલગ અલગ લોકોના માનસિક લેવલ પણ અલગ અલગ હોય છે. કોઈનો મેળ કોઈ ગુરુ સાથે સરળતાથી થઈ જાય, કોઈકનો કોઈ બીજા સાથે. તેથી પદ્ધતિઓને અજમાવી જુઓ અને તપાસો. જે પદ્ધતિ તમને ગહન શાંતિ અને મનની મહાન નિર્મળતા આપે તેને અનુસરવાનું ચાલુ રાખો અને બાકીની ભલી જાવ .