6. શું દરેક વ્યક્તિ ધ્યાન શીખી શકે છે ?
# શું દરેક વ્યક્તિ ધ્યાન શીખી શકે છે ?
તમારે ધ્યાન શીખવાનું નથી.
તમે ધ્યાની છો જ !
તમારા જીવનની એવી કોઈ ક્ષણ યાદ કરો, જયારે તમે અતિ સૌંદર્યનો અનુભવ કર્યો હોય.
પર્વતની પાછળથી એકાએક ઊંગી નીકળતો સૂર્ય કે પછી જીવનમાં તમે પ્રથમ વાર જ અત્યંત સુંદર સંગીત સાંભળ્યું હોય.
આવી ક્ષણે એકાએક તમે સંપર્ણ સ્તબ્ધ, નિઃશબ્દ બની જાવ છો.
આપણે સહુએ આવી ક્ષણો નથી અનુભવી ?
આવી ક્ષણે પેલા સૌંદર્યની ઉપસ્થિતિમાં તમે કંઈ વિચારી શકતા નથી. તમે એ સૌંદર્યની અનુભૃતિ કરતાં કેવળ શાંત બની જાઓ છો, બસ એટલું જ.
એ ક્ષણ ધ્યાન છે.
થોડી જ ક્ષણો પછી તમારો ગણગણાટ શરૂ થાય છે. તમારૂં મન કહે છે : 'આ ખરેખર સુંદર સર્યોદય છે.'
તમારૂં મન એ સંગીતની, તમે અગાઉ સાંભળેલા સંગીત સાથે સરખામણી કરવા લાગે છે. એનો અર્થ થયો કે તમે ધ્યાનમાંથી વિચલિત થયા છો.
ધ્યાન બીજું કશું જ નથી, પણ એ શાંત, આનંદપપૂર્ણ સ્થિતિમાં ટકી રહેવું છે. તમે આ સ્થિતિ શીખી શકતા નથી. તમે માત્ર એને અનુભવી શકો છો.
સ્પષ્ટતાથી સમજો, ધ્યાન એ કંઈ કરવાની વસ્તુ નથી.
તમે ધ્યાન 'કરી' ન શકો.
ધ્યાન એક એવી સ્થિતિ છે, જેમાં તમે જયારે બધાં જ કાર્યો, બધી જ ક્રિયાઓ ખંખેરી નાખો છો, ત્યારે તે ખીલી ઊઠે છે.
માત્ર શારીરિક ક્રિયાઓ નહિ. વિચાર કરવો એ પણ એક ક્રિયા જ છે.
ધ્યાન એ છે - જે બધી જ ક્રિયાઓ, બધા જ વિચારો, બધાં જ કાર્યો, બધી જ લાગણીઓ ખંખેરી નાખ્યા પછી, જે શેષ રહે છે.
કેવળ હોવું એ જ ધ્યાન છે.
વાર્તામાંના ઝેન ગુરુની જેમ, ધ્યાન અવરોધ વગર વર્તમાન ક્ષણને અનુભવવાની બાબત છે.
એ જ રીતે આનંદ સખત મહેનત કરીને પ્રાપ્ત થતું પરિણામ નથી. તમે આનંદ પ્રાપ્ત નથી કરતા ! તમે આનંદમાં માત્ર તણાવમુક્ત થઈ શકો છો.
તો પછી આપણને ધ્યાનની શાસ્ત્રીય પદ્ધતિઓની શી જરૂર છે ?
મેડિટેશનની પદ્ધતિઓ તમને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે નથી. એ તમને સ્મરણ કરાવવા માટે છે.
હું તમને અચાનક કહું, 'આનંદમાં સરી જાઓ !' – શું એ શક્ય છે ?
તમે એ વાત જાણતાં નથી કે આનંદ તમારી સ્વાભાવિક સ્થિતિ છે.
અને જયારે તમે એને જાણતાં નથી, ત્યારે ધ્યાન પ્રક્રિયા તમારે માટે મૂંઝવણભરી અને ભય ઉપજાવનારી પણ બની શકે છે.
ધ્યાનમાં પ્રવેશવું એ કિનારા વગરના સમુદ્રમાં ઝંપલાવવા જેવું છે.
જયારે તમે તરતાં શીખી રહ્યા હો, ત્યારે તમે તમારી મેળે સાગરમાં પ્રવેશ કરશો ?
ના !
તમને સમુદ્રની સપાટી પર રાખવા માટે રબ્બરની હવા ભરેલી રીંગ (બોયું) જોઈએ. એ જ રીતે, જયારે તમે ધ્યાનમાં પ્રવેશો, ત્યારે તમારે શું કરવું જોઈએુ, એ સમજવા માટે પદ્ધતિ જોઈએ, તમને ધ્યાનનો તમારા માટેનો સૌથી સ્વાભાવિક માર્ગ જોઈએ.
20
ધ્યાનની પદ્ધતિઓ, એ બીજું કંઈ નથી, પણ રબ્બરની હવા ભરેલી રીંગો જ છે. એક વખત ધ્યાન તમારા જીવનનો માર્ગ થઈ જશે, પછી તમે વિધિપર્વકની પદ્ધતિઓ સાહજિકતાથી જ છોડી દેશો !
મારે પ્રતિદિન કેટલા કલાક ધ્યાન ધરવું જોઈએ ?
કેટલા કલાક એવો પ્રશ્ન જ નથી !
મેં કહ્યું તેમ, ધ્યાન કોઈ એવી બાબત નથી જે તમારા જીવનમાં ઉમેરવામાં આવે. કોઈ એમ પૃછે 'મારે દરરોજ કેટલી વખત શ્વાસ લેવો જોઈએ ?' એ પ્રશ્ન જેવો આ પ્રશ્ન છે.
તમે એમ ન કહી શકો 'હું દરરોજ આટલા કલાક ધ્યાનમાં રહીશ અને બાકીના સમયમાં હું અત્યારે જે કરું છૂં તે કરતો રહીશ !'
ધ્યાનને જરૂર છે તમારી અંદર અસાધારણ પરિવર્તનની.
ધ્યાન તમારી સમગ્ર જીવન પદ્ધતિમાં સંપૂર્ણ પરિવર્તન છે.
એ માટેનું બીજ તમારી અંદર છે જ, પરંતુ વૃક્ષને ઊગવા માટે અને ખીલવા માટે પ્રથમ બીજને ફાટીને અંકૂરીત થવું જોઈએ !
તમારે તમને પોતાને ફાટવા દેવા જોઈએ. જયારે તમે ખરા દિલથી ધ્યાનની પ્રેક્ટીસ શરૂ કરશો, ત્યારે જાતે જ એમ થશે. પરંતુ ફાટવા માટેની, સંપૂર્ણ રીતે પરિવર્તિત થવાની ઈચ્છા તમારી અંદર હોવી જોઈએ.
ધ્યાન એ પુર્નજન્મથી સહેજ પણ ઊણું નથી ! તમારામાં મૃત્યુનો - તમારા પોતાના મૃત્યુનો ! સામનો કરવાની અને તદ્દન નવી જ વ્યક્તિ તરીકે પુર્નજન્મ પામવાની હિંમત હોવી જોઈએ.
ધ્યાનના કયા કયા લાભો છે ?
ધ્યાનમાં તમારામાં પરિવર્તન લાવવાની શક્તિ રહેલી છે. - શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક !
શારીરિક કક્ષાએ ધ્યાનથી થતા લાભો પ્રચલિત છે.
ધ્યાન દ્વારા, તમે તમારા લોહીના દબાણને (બ્લડ પ્રેશર) અને મધુ પ્રમેહ (ડાયાબિટીસ)ને નિયમનમાં રાખી શકો છો. તમે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો. ધ્યાન દ્વારા દીર્ઘકાલીન રોગો – જેવા કે ચર્મરોગ, અસ્થમા, સંધિવાને મટાડી શકો છો. ધ્યાનમાં પ્રભાવમાંથી કોઈ જ રોગ છટકી શકતો નથી. અલબત્ત, ધ્યાન ઔષધોપચારનું પરક છે, તેનો વિકલ્પ નથી.
માનસિક કક્ષાએ ધ્યાન વિચારોની સ્પષ્ટતા અને શબ્દાંકનની શક્તિ વધારે છે. વિચારો વચ્ચેનો ગાળો લંબાય છે. ધ્યાન એકાગ્રતા અને સ્મરણશક્તિ વધારવાનો સચોટ માર્ગ છે. સૌથી અગત્યનું એ છે કે, ધ્યાન તમને બુદ્ધિમાંથી પ્રબુદ્ધતા તરફ દોરી જાય છે. પ્રબુદ્ધતા બીજું કર્શું જ નથી, પરંતુ એ પરિસ્થિતિને સર્જનાત્મક અને રચનાત્મક રીતે પ્રતિભાવ આપવા માટેની શક્તિ છે. તમે આ કળા શીખી શકતા નથી, પરંતુ ધ્યાનની સાથે તે કુદરતી રીતે જ ખીલે છે.
റ്റു
22
તમે નાનાં નાનાં કાર્યોથી શરૂઆત કરો. તમે જમતા હો, ચાલતા હો કે વાસણ ધોતા હો, ત્યારે પણ એકાગ્ર રહેવાનો પ્રયત્ન કરો. એક વખત તમે આ રીતે કરી શકો, પછી વધુ જટિલ કાર્યો તરફ વળી શકો છો.
બાહ્ય દેષ્ટિએ તમે તમારું જીવન સામાન્ય રીતે જીવી રહ્યા છો. વસ્તુતઃ તમે તમારા જીવનને વધુ સારી રીતે જીવી શકો છો. - કારણ હવે તમારી પાસે વધારે સ્પષ્ટતા, વધારે ઉત્કટતા છે. તમે વધુ જાણકાર બનશો, વધુ સર્જનશીલ બનશો. છતાં આંતરિક રીતે, તમે ગાઢ, ખલેલ વગરની શાંતિ અનુભવશો.
કારણ કે તમે હવે કશું જ કરતા નથી – તમે માત્ર નિરીક્ષણ કરો છો.