Books / Meditation Is for You Gujarati merged

5. આનંદની સ્થિતિનો ચોક્કસ અર્થ શો છે ? આપણને માત્ર ધ્યાન દ્વારા જ શું તેની અનુભૃતિ થઈ શકે ?

# આનંદની સ્થિતિનો ચોક્કસ અર્થ શો છે ? આપણને માત્ર ધ્યાન દ્વારા જ શું તેની અનુભૃતિ થઈ શકે ?

સેંકડો રીતે આનંદ વિષે સમજણ આપી શકાય, પણ તમે તેને એક જ રીતે સમજી શકો છો – તેનો અનુભવ કરીને !

ઠીક છે. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ.

આપણે સહુએ જીવનમાં અતિશય સુખની ક્ષણો અનુભવી છે – પણ એ માટે હંમેશા કંઈક કારણ હોય છે.

હાડમારીની પેલે પાર લઈ જાય છે. જયારે તમે ધ્યાન કરો છો, ત્યારે તમે તમારા દેહની, તમારા અહંની સંકચિત મર્યાદાઓને વીંધીને વિકાસ પામો છો. એકવાર તમે સર્વ સાથે એકાત્મભાવ અનુભવો છો, ત્યારે તમે સ્વાભાવિક જ રોજિંદા સુખ અને દુ:ખના આકર્ષણને ખંખેરી નાખો છો. બૌદ્ધિક રીતે આ કલ્પના સમજવી મુશ્કેલ છે. પણ ખરા દિલના ધ્યાનથી તમને અનુભવ થશે, તમને આનંદની ઝાંખી થશે. પછી તમને સમજાશે.

આપણા રોજિંદા જીવનમાં આપણે કદી. આનંદનો અનુભવ કર્યો નથી. આપણને એ પણ ખબર નથી કે 'અકારણ સુખ' શક્ય છે. તો પછી આપણને સહૂને આનંદ માટેનો ઉત્કંઠા શા માટે છે ?

તમને ઉત્કંઠા છે, કારણ કે એ જ તમારું મૂળ સ્વરૂપ છે. હું તમને સમજાવું : તૈત્તરીય ઉપનિષદમાં એક સુંદર શ્લોક છે જેમાં કહ્યું છે; એતાસુ આત્મનાહા આકાશસ્યા સંભૂતા: આકાશાત્ વાયુ:, વાયોર અગ્નિ: અગ્નિર્ આ૫: આ૫: પુથ્વી: પૂથ્વીયોર્ ઓષધઃ…..

આ શ્લોક આપણને દર્શાવે છે કે સમગ્ર વિશ્વ, પાંચ મુખ્ય તત્ત્વોમાંથી સર્જાયું છે – એ પાંચ તત્ત્વો છે – પૂથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. માનવ પણ આ જ પાંચ તત્ત્વોમાંથી સર્જાયો છે, એથી જ એને હંમેશ

15

14

બરાર ને ?

તમને સુખની અનુભૃતિ થાય છે, કારણ કે તમને નોકરીમાં બઢતી મળી છે, તમને સુખ થાય છે, કારણ તમે કોઈક રોગમાંથી સાજા થયા છો. તમે સુખી છો, કારણ તમે એક નવી કાર ખરીદી છે. (અથવા તો, તમારા પાડોશીની નવી કાર તેને તકલીફો આપે છે !)

જયારે તમે સુખની અનુભૂતિ કરો છો, ત્યારે તમને લાગે છે કે તમારા સુખને કોઈ આંચ નહિ આપી શકે. પણ તે જ દિવસે, તમારા પતિ કે પત્ની સાથે ઝગડો થાય, તો તમને એવું લાગવા માંડે છે કે તમારૂં જીવન દુ:ખ સિવાય કશું જ નથી ! વાસ્તવમાં બધાં જ સુખો, ખુશીઓ અંતે દુઃખ તરફ દોરી જાય છે. સુખની સ્થિતિ કાયમ ટકતી નથી – અને જયારે તેમાં પરિવર્તન થાય છે કે, તેનો અંત આવે છે, ત્યારે તમે કષ્ટ અનુભવો છો. માત્ર અકારણ અનુભવાતું સુખ જ કાયમી છે. કારણ તેને કોઈનં પણ અવલંબન નથી, તે કોઈના પર આધારિત નથી.

'આનંદ' શબ્દનો અર્થ જ એ છે કે 'જે કદી ઘટતો નથી, જે કદી ખોવાતો નથી.'

આનંદ એ સુખનો સમાનાર્થી શબ્દ નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એનો અર્થ જ આવો છે – 'જે કદી ઘટતો નથી, ખોવાતો નથી.'

આનંદ એ ખુશી નથી. આનંદ એ નીરવ અને પ્રશાંત સ્થિતિ છે, જેને તમે સુખ અને દુ:ખથી પર થયા પછી અનુભવો છો. તે એવી સ્થિતિ છે, જ્યાં સુખ અને દ્દ્રઃખ તમને અસર કરી શકતાં નથી. તમે કહી શકો છો કે, 'આનંદ એક નિત્ય અને અકારણ શાંતિની સ્થિતિ છે.'

એવું નથી કે તમે માત્ર ધ્યાન દ્વારા જ આનંદની અનુભૂતિ કરી શકો છો. પણ ધ્યાન નિષ્ફળ ન જાય તેવો માર્ગ છે. ધ્યાન તમને રોજિંદા જીવનની આ પાંચ તત્ત્વો સાથે લયમાં રહેવાની ઊંડી એષણા છે, પોતાના મૂળ ઉદ્દભવ સ્થાન, પ્રકૃતિના આ પાંચ તત્ત્વો તરફ તેને પાછા ફરવું છે. એ વિવિધ રીતે આ પાંચ મુખ્ય તત્ત્વો - શક્તિઓ સાથે હલ બેસાડવાનો પ્રયત્ન કરે છે. મૂર્તિપૂજા દ્વારા એ પૂથ્વી તત્ત્વ સાથે મેળ બેસાડવાની કોશિષ કરે છે. પવિત્ર નદીઓમાં ડૂબકી મારીને એ જળ તત્ત્વ સાથે મળ બેસાડવાનો યત્ન કરે છે. હોમ અને યોગ દ્વારા એ અગ્નિ તત્ત્વ સાથે પ્રસાદ લે છે અને મંત્રોચાર દ્વારા વાયુ સાથે સંબંધ બાંધે છે. આ બધી રીતે, આ બધી પદ્ધતિઓ દ્વારા એ આ પંચતત્ત્વો સાથે પોતાનો લય બેસાડે છે, પણ આ બધી બાહ્ય રીતોથી લયબદ્ધતા ના આવે. તેની તો અંતરથી અનુભૃતિ થવી જોઈએ. ધ્યાન એવી પદ્ધતિ છે જેના દ્વારા આપણે આકાશ તત્ત્વ સાથે આપણો મેળ બેસાડી શકીએ છીએ. જયારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, ત્યારે આપણે સર્કિટ પૂરી કરીએ છીએ. આપણા અને આપણા ઉદ્દભવ સ્થાન વચ્ચેની ખૂટતી કડી મળી જાય છે. આપણે આપણા ઉદ્દભવ સ્થાન પ્રતિ પાછા ફરીએ છીએ. આપણે પૂર્વ થયા, સલામત થયા, એવી લાગણી અનુભવીએ છીએ. આથી જ ધ્યાન આપણને આનંદ ક્ષેત્રમાં લઈ જાય છે.

એથી આનંદ માટેની એષણા બીજું કંઈ નથી, પણ માત્ર આપણી સ્વાભાવિક સ્થિતિ પ્રતિ પાછા ફરવાની ઉત્કંઠા છે અને માટે જ તમે એનાથી જ્ઞાત હો કે ન હો, આપણામાંની દરેક વ્યક્તિના અંતઃકરણમાં ધ્યાન માટેની તીવ્ર ઈચ્છા છે જ .

ધ્યાન ખરેખર હકીકતમાં શું છે ?

ધ્યાનની ઘણી વ્યાખ્યાઓ છે.

16

જુદાં જુદાં ગુરુઓએ પોતાના અનુભવ પ્રમાણે અથવા તો પોતાના શ્રોતાઓની આવશ્યકતા પ્રમાણે તેનો અર્થ ઘટાવ્યો છે.

ધ્યાન પ્રાર્થના છે.

17

ધ્યાન એક એવી પ્રક્રિયા છે, જે આપણને આપણી અંદર રહેલા અમૃલ્ય ભંડારને શોધવામાં સહાય કરે છે.

ધ્યાન એવી શાસ્ત્રીય પદ્ધતિ છે, જે તમને બ્રહ્માંડની શક્તિ સાથે જોડાવામાં મદદ કરે છે.

આ બધા જ સાચા છે.

અને હું તમને કહું છું - ધ્યાન એ કેવળ આ ક્ષણે આનંદપૂર્ણ બનવું એ જ છે ! જ્યારે તમે વર્તમાન ક્ષણે શાંતિ અનુભવતા હો, ત્યારે તમે ધ્યાનની સ્થિતિમાં જ હો છો. તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી.