49. દ્દ્રઃખહરણા મેડિટેશન માટેની સૂચનાઓ :
# દ્દ્રઃખહરણા મેડિટેશન માટેની સૂચનાઓ
(કુલ સમય : ૩૦ મિનિટ)
આ મેડિટેશન પદ્ધતિને દુ:ખહરણા કહેવામાં આવે છે અને તેને 'કુલાર્ણવતંત્રમાંથી લેવામાં આવી છે. આ તમારી અંદર દમન થયેલી બધી જ લાગણીઓને બહાર કાઢી નાંખે છે, પહેલા ઘણાં માસ્ટરોએ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. તેમાં ફુલ ૩૦ મિનિટનો સમય લાગે છે.
શ્વાસોચ્છુશ્વાસ બ્રહ્માંડ સાથેનો સેતુ છે. આ એ તંત્ર છે, જેનાથી તમે તમારા મન સાથે જીવો છો. જો તમારી વિચાર પ્રક્રિયા શાંત હશે, તો તમારા શ્વાસોચ્છુશ્વાસ રીલેક્સ હશે. જો તમારૂં વિચારવાનું આક્રમક હશે, તો તમારા શ્વાસોચ્છશ્વાસ પણ આક્રમક હશે. તમારા મન પર કાબુ મેળવવા માટે સૌ પ્રથમ તમારે તમારા શ્વાસોચ્છૂશ્વાસ પર કાબુ, મેળવવાની જરૂર પડે છે.
હાલની આપણી દમનની અવસ્થામાં, આપણે અર્ધજીવંત અને અર્ધમરેલા છીએ. મેડિટેશનના આ પહેલા ભાગમાં ઊંડા ક્રાસોચ્છુશ્વાસથી તમારા દમિત થયેલા લાગણી તંત્રને વલોવી નાંખવામાં આવે છે. વધારાનો ઓક્સિજન અંદર લઈને, તમારા મનના તંત્રને જીવંત બનાવી દેવામાં આવે છે; તમારા કોષોને વધારે શક્તિ મળે છે અને તે વધારે બાયોઈલેકટ્રીસીટી પેદા કરે છે, આ શક્તિ પીગળતા બરફની જેમ તમારી બધી જ દમન થયેલી લાગણીઓને ઓગાળી નાંખે છે. આ મુલાધાર ચક્રને વીઝણો નાંખવા જેવું છે.
આ મેડિટેશન તમારે ખાલી પેટે કરવું જોઈએ સવારે કરવું વધારે હિતાવહ છે. ૨૧ દિવસ દ્દુઃખ હરણા મેડિટેશન કરવાથી, તમારામાં સંપૂર્ણ પરિવર્તન આવી જશે અને તમારો ચહેરો તેજસ્વી બની જશે. આ મનોવૈજ્ઞાનિક
સ્થાન કરવા જેવું છે. તમે તમારી અંદર શાંતિનો અનુભવ કરી શકશો. જયારે તમે દુ:ખને મારી નાંખો છો. ત્યારે તમારી અંદર દિવ્ય આનંદ ખીલે છે અને તમારામાંથી સુંદર સુગંધ ફેલાય છે. આંખો બંધ કરીને ઊભા રહો. મોં બંધ રાખીને, માત્ર તમારા નાકથી જ લયબદ્ધ રીતે, ખૂબ જ ઉડિથી લાંબો શ્વાસ લો. બંન્ને હાથ પહોળા કરો. ધુંટણને અર્ધાવાળો અને પાછા ઊભા થાવ. જેવી રીતે પક્ષી ઉપર નીચે ઉડે, તે રીતે ઉપર નીચે થાવ. તમારા હાથ પક્ષીની પાંખની જેમ ઉપર નીચે થાશે આ તમારા શ્વાસો શ્વાસની સાથે તાલ બદ્ધ કરો. નીચે વળો ત્યારે શ્વાસ છોડો અને ઊભા થાવ ત્યારે શ્વાસ અંદર ભરો. આ હલનચલન આરામથી કરો અને સીધા થાવ ત્યારે શ્વાસ અંદર ભરો, ગોઠવણ વાંકા વળે ત્યારે શ્વાસ બહાર કાઢો. જો તમને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય, તો તમારાથી થાય તેટલું જ કરો. આવી જ રીતે સગર્ભા સ્ત્રીઓ અને બીજી શારીરિક બીમારીઓવાળા તેમનાથી શક્ય હોય તેટલું જ કરે આ ૧૦ મિનિટ સુધી કરો.
હવે પછીની ૧૦ મિનિટ સુધી, તમારી આંખો બંધ રાખો અને તમારા શરીરના દરેક ભાગને એક પછી એક, અવયવ પછી અવયવ, ખેંચો અને રીલેક્સ કરો; એક અવયવને તંગ અને રીલેક્સ કરો અને પછી આગળ વધો. તમારા પગના પંજાથી શરૂઆત કરો; પછી પીંડી; પછી જાંઘ; પછી હીપ્સ; પછી પેટ; પછી પાછળ પીઠનો નીચેનો ભાગ; પછી છાતી અને પીઠનો ઉપરનો ભાગ, પછી હાથના પંજાની આંગળીઓ અને બાવડાંથી ખભો; પછી ગરદન અને ખભા; પછી ચહેરો અને છેલ્લે મસ્તકના રનાયુઓ. બીજા ભાગ તરફ આગળ જતાં પહેલાં, પહેલા ભાગને તદ્દન રીલેક્સ કરી દો. આમાં તમારા શરીરના દરેક ભાગને એક સમાન કસરત મળે છે. આ ૧૦ મિનિટ પૂરી થશે ત્યાં સુધીમાં તમે તમારી અંદરથી પૂરેપૂરા ખાલી થઈ જશો. તમે ઠંડા, શાંત અને સ્વસ્થ બની જશે.
હવે પછીની ૧૦ મિનિટ માટે આંખો બંધ રાખીને નીચે બેસી જાવ અને 'હ' અવાજ કરો. માત્ર 'હકાર' મોટેથી અને ઊંડાણથી જપવાની જરૂર નથી. માત્ર રીલેક્સ રીતે 'હ'નો ઉચ્ચાર કરો, જયારે 'હ'નો જપ કરતા હો ત્યારે બસ, તમારી જાતની અંદર અને બહાર શું બની રહ્યું છે તેના સાક્ષી બની જાવ .
આ પદ્ધતિના પહેલા બે ભાગ હકીકતમાં આ ત્રીજા ભાગની પૂર્વ તૈયારી માટે છે જે ખરૂં મેડિટેશન છે. તમે જયારે ત્રીજા ભાગ પર આવશો, ત્યારે તમે જોશો કે તમારું મન કોઈપણ પ્રયાસ વિના જ શાંત બની જાય છે, આપોઆપ, શાંતિ તમારા પર બહારથી લાદી શકાતી નથી; તે ફક્ત પોતાની રીતે જ આવે છે. મુસ્કુરાતા ચહેરે અને રિલેક્સ સ્થિતિમાં, દિવ્ય આનંદના મૂડમાં આ રીતે રહો. આ સમય દરમ્યાન તમને ઘણાં અનુભવો થઈ શકે છે. તમે ટી.વી. જોતા હો, તે રીતે માત્ર તેનું નિરીક્ષણ કરો. તમારા મનનું એક વિચાર, પછી બીજા વિચાર પર નિરીક્ષણ કરો, મેડિટેશન દરમ્યાન 'મુલાધાર' પર તમારું ધ્યાન ક્યારેય પણ ના લઈ જાવ. જો તમારું ધ્યાન તેના પર જશે, તો તે વિલક્ષણ કલ્પનાઓ પેદા કરશે. જેને તમે દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો.
(જૂથમાં દુ:ખહરણા મેડિટેશન કરવાનું હોય ત્યારે, સંગીત સાથે કરો)
(અંતમાં સ્વામીજી બોલે છે...)
ઓમ શાંતિ શાંતિ શાંતિ હી
ધીમેથી, ખૂબ જ શાંતિથી, તમારી આંખો ખોલી નાંખો, આ શાતિ અને શક્તિને તમારી સાથે લઈ જાવ. આપણે બીજી બીજી બેઠકમાં મળીશું. આભાર....
આ પદ્ધતિની કાર્યદક્ષતાની તમારે પરીક્ષા કરવી હોય તો જઈને તમારો ફોટો આજે પડાવી લો.
આ પદ્ધતિથી ૧૫ દિવસ ધ્યાન કર્યા પછી તમારો બીજો ફોટો પડાવીલો ને બંજ્ઞેની સરખામણી કરો.
હું ખાત્રી આપું છૂં તમારો ચહેરો સંપૂર્ણ જૂદો લાગશે. તમારી આંખો વધુ આનંદમય હશે. તમે ખૂબ ઉઘડી ગયા હશો. (વિકાસ પામ્યા હશો)
નિર્ભય ધ્યાન (અંધકાર મેડિટેશન)
ચક્ર શુદ્ધિ : સ્વાધિષ્ઠાન ચક્રનું સ્થાન : નાભિથી બે ઈંચ નીચે ચક્રને બંધ કરનાર : ભય, ખાસ કરીને મોતનો ભય ચક્રને ખોલનાર : ભયને સમજવો અને તેનો સામનો કરવો. મેડિટેશન પદ્ધતિ : વેદાન્તમાંથી