43. પામિંગ
# પામિંગ
ધ્યાન વિષે
આ પદ્ધતિ તમારી બંશ્વે આંખોની ભ્રમરની વચ્ચે કપાળ પર આવેલા ચક્રને શક્તિ આપે છે, આ ચ ચ ચ ્ર ્ર
આ મુખ્ય ચક્ર છે. આ ચક્ર ઈચ્છાનું અધિષ્ઠાન છે. જ્યારે એ ક્રિયાશીલ થાય છે, ત્યારે તમે સમજણશક્તિમાં અતિશય સ્પષ્ટતાનો અનુભવ કરો છો. તમારી વિચારશક્તિ અને નિર્ણયશક્તિ વૃદ્ધિ પામે છે. સૌથી મહત્ત્વનું એ છે કે તમારું ત્રીજું નેત્ર, એવું નેત્ર છે, જેના દ્વારા તમે અંદરની બાજુએ જોઈ શકો છો. તમે પ્રથમ વખત જ અંદર જોવાનો પ્રારંભ કરો છો.
સૂચનાઓ
આંખો બંધ કરીને આરામદાયક સ્થિતિમાં બેસો.
તમારી બંન્ને હથેળીઓને તમારી આંખો પાસે લાવો અને બહુ જ મૂદ્દતાથી તમારી આંખોના ડોળા પર મૂકો. તમારો સ્પર્શ પીંછાના સ્પર્શ જેવો હોવો જોઈએ. આંખો પર બિલ્કુલ દબાણ ન લાવો. શરૂઆતમાં અજાણતાં તમે દબાણ કરશો. ધીરે ધીરે આંખના ડોળા પરનું દબાણ ઓછૂં ને ઓછૂં કરતાં જાઓ.

આંખો દ્વારા શક્તિ બહારની તરફ વહે છે. એ બહુ સુક્ષ્મ શક્તિ છે. તમે શક્તિના પ્રવાહને તમારી અંદર પાછો વાળવા માટે આંખના ડોળાને સ્પર્શ કરો છો. જો તમે આંખના ડોળા પર દબાણ કરશો તો
આંખ તેનો સામનો કરશે. એવી રીતે સ્પર્શ કરો, જાણે તમે સ્પર્શ કરતા જ નથી !
જયારે તમે મુદ્દતાથી સ્પર્શ કરો છો, ત્યારે તમારા વિચારોપણ સ્થિર થઈ જાય છે. જયારે તમારી આંખોનું હલનચલન વધે છે. ત્યારે તમારા વિચારો પણ દોડવા લાગે છે. જયારે આંખો બંધ હોય છે, ત્યારે વિચારો થીજી જાય છે. આ તમારી જાણમાં આવ્યું છે ?
અતિશય મૂદ્દ સ્પર્શથી, તમે તરત જ શક્તિ ફરીથી અંદર પાછી આવતી અનુભવશો. જયારે શક્તિ પાછી ફરે છે, ત્યારે તમે તરત જ તમારા આખા ચહેરા પર, માથા પર તાજગી અને હળવાશ અનુભવો છો. શક્તિ તમારા આજ્ઞા ચક્રને પ્રહાર કરે છે. થોડી જ મિનિટોમાં, તમે તમને સ્વચ્છ અને તાજગીથી ભરેલા અનુભવશો.
જયારે તમે આ ધ્યાનને અર્ધા કલાક સુધી ચાલુ રાખો છો, ત્યારે શક્તિ નીચેની બાજુએ તમારા હૃદય સુધી જાય છે. તમારા હૃદયના ધબકારા ધીમા પડી જાય છે. તમારું આખું શરીર આખું તણાવમુક્ત થઈ જાય છે.
તત્કાલ તણાવમુક્તિ માટે આ અતિ સુંદર પદ્ધતિ છે. તમારે ધ્યાનમાં પ્રવેશવાની પણ જરૂર નથી. કેવળ તમારી હથેળીઓને મૂદુતાપૂર્વક આંખના ડોળા પર મૂકવાથી, તમારી આંખોને તમે આરામ આપી શકો છો. જયારે જયારે તમારી આંખોને થાક લાગે, ટી.વી. કે કોમ્પ્યૂટરની સામે ઘણાં કલાકો ગાળ્યા હોય, ત્યારે આ પદ્ધતિનો અખતરો કરો.
તમે જયારે મહિનાઓ સુધી આ ધ્યાનની પ્રેક્ટિસ ચાલુ રાખો છો, ત્યારે તમે તમારા આજ્ઞા વિસ્તારમાં અને હૃદયના વિસ્તારમાં કાયમી શક્તિનો અનુભવ કરવા લાગશે. શરૂઆતમાં એ શક્તિનો માત્ર નાનકડો ટપકતો
રેલો જ હશે, પણ એક વર્ષના સમયગાળામાં તમે બધો સમય તમારી અંદર શક્તિના પ્રવાહનો અનુભવ કરશો.
આજ્ઞાચક્રની જાગૃતિની તમે હેતુની સ્પષ્ટતાનો અનુભવ કરશો. તમે તમારી પોતાની વાસ્તવિકતાથી અંદર જોવા લાગશો, અને હૃદયચક્ર ક્રિયાશીલ થવાથી, તમને તમારામાંથી પુષ્કળ પ્રેમ વહેતો લાગશે. તમે અસ્તિત્વ સાથે જોડાઈ ગયા છો એવું લાગશે.