Books / Meditation Is for You Gujarati merged

42. ઉચ્છૂવાસની પરાકાષ્ઠા

# ઉચ્છૂવાસની પરાકાષ્ઠા

ધ્યાન અને સૂચનાઓ

157

જયારે તમે તણાવમાં હો, ત્યારે આ ધ્યાન ચમત્કાર સર્જે છે.

ઊંડો ઉચ્છૂવાસથી પ્રારંભ કરો.

હંમેશા ઉચ્છૂવાસથી શરૂ કરો. ઊંડાણથી, પૂરી શક્તિથી ઉચ્છવાસ પર એકાગ્ર થાવ. જ્યારે તમે સંપૂર્ણપણે ઉચ્છૂવાસ બહાર કાઢી નાંખો, પછી તમારા પેટને અંદરની બાજુએ ખેંચો અને ફરીથી શ્વાસ અંદર લેતા પહેલાં ત્રણ સેકન્ડ થોભી જાવ.

પછી જેટલો ઊંડો લેવાય તેટલો ઊંડો શ્વાસ અંદર ખેંચો, ત્રણ સેકન્ડ માટે શ્વાસને રોકી રાખો, પછી શ્વાસ બહાર કાઢવાનું શરૂ કરો.

પછી ફરીથી શ્વાસ લો, અને બહાર કાઢો. તમારા શ્વાસોચ્છ્શ્વાસમાં તાલ મેળવો.

ધીમે ધીમે કરો, શ્વાસને તમારા શરીરમાં પૂરેપૂરો પ્રવેશવા દો અને પૂરેપૂરો બહાર નીકળવા દો.

જયારે તમે ઊંડાણથી ઉચ્છૂવાસ કાઢો છો, ત્યારે તમે તમારા શરીરમાંથી ઝેર પણ બહાર ફેંકો છો, તમે તણાવને બહાર ફેંકો છો, શ્વાસોચ્છૂશ્વાસના ૧૦-૧૨ વર્તુળ પછી, તમને લાગશે કે તમારો ભાર જતો રહ્યો છે અને તમે તણાવમાંથી મુક્ત થઈ ગયા છો !