3. પ્રારંભિક પ્રશ્નો
# પ્રારંભિક પ્રશ્નો
10
ધ્યાન શા માટે ?
સંદર શરૂઆત માટે યોગ્ય પ્રશ્ન !
ધ્યાન શા માટે ?
આપણા જીવનમાં ધ્યાનની શું ખરેખર આવશ્યકતા છે ?
એક પ્રશ્ન પૂછું, "તમે શા માટે આ પુસ્તક વાંચો છો ?"
આ ક્ષણે તમે બીજું કોઈ પણ પુસ્તક વાંચી શક્યા હોત, તમે 'આ' પુસ્તકની જ પસંદગી કરી છે.
તમારું આ આચરણ દર્શાવે છે કે તમારી અંદર–આપણામાંના દરેકની અંદર ધ્યાનની આવશ્યકતા ધરમુળથી જ છે.
તમારા જીવનનું અંતિમ ધ્યેય શું છે ?
વધારે કમાવું ?
સદાને માટે યુવાન, સ્વસ્થ અને સુંદર રહેવું ?
ચિરકાળ ટકી રહે. એવા ખબ સારા સંબંધો જોઈએ છે ?
તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવો છે ?
આ યાદીનો કોઈ અંત નથી. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એક ધ્યેય હોય જ છે.
પણ દરેકે દરેક ધ્યેય – વિના અપવાદ, એક જ વસ્તુ તરફ દોરી જાય છે : અને તે છે પરમ આનંદની ઝંખના.
કોઈપણ વ્યક્તિ એવી હોઈ શકે જે આ વાત સાથે સંમત ન થાય ? કોઈ એમ કહી શકે કે 'મને આનંદમાં કોઈ રસ નથી ? મને સુખી થવાની, આનંદસભર થવાની પડી નથી ?'
આપણામાંની દરેક વ્યક્તિ આનંદ અને માત્ર આનંદની જ શોધમાં છે. ગમે તેવી બૌદ્ધિક કે સુફિયાણી પરિભાષામાં આપણે તેને વ્યક્ત કરીએ, પણ આપણે બધા આનંદની શોધમાં જ છીએ.
માત્ર આપણી શોધના માર્ગો, ઉપાયો, સાધનો જુદાં જુદાં છે.
ધન દ્વારા, સત્તા દ્વારા, સંબંધો દ્વારા - આપણા રોજિંદા જીવનના સર્વ રમુજી અને દુ:ખ પ્રસંગો દ્વારા, આપણે આનંદને શોધીએ છીએ. એ જ આપણા જીવનનું એક માત્ર પ્રેરક બળ છે !