11. પગથિયું બીજું : તમારા વિચારો પર કામ કરો
# પગથિયું બીજું : તમારા વિચારો પર કામ કરો
આપણા જીવનની સૌથી તરંગી વસ્તુ વિચારો છે !
મોટે ભાગે આપણો આપણા વિચારો પર કાબૂ હોતો નથી. આપણા વિચારો આપણને પોતાની ઈચ્છા મુજબ દોરી જાય છે. તમે જો તમારા અસંબદ્ધ વિચારોને શબ્દો દ્વારા વ્યક્ત કરવા માંડો, તો તમે તમારા પોતાના શબ્દો સાંભળતાં શરમ અનુભવશો ! કારણ કે આપણા વિચારોને એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી હોતો, વર્તમાન સાથે કંઈ લાગતું વળગતું નથી હોતું, અને તેનું કોઈ તાત્પર્ય નથી હોતું. છતાં આપણે આપણા જીવનને આ વિચારોને હવાલે કરી દઈએ છીએ. આપણે આ વિચારોથી જ જીવીએ છીએ !
એક નાનકડી વાર્તા :
એક રાજ્યમાં એક એવો પ્રાજ્ઞ પૂરૂષ હતો, જે ભવિષ્ય ભાખી શકતો હતો. એક દિવસ, ત્યાંના રાજાએ એના વિષે સાંભળ્યું અને તેની કસોટી લેવાનો
40
નિર્ણય લીધો. રાજા પ્રાજ્ષ પૂરૂષને રાજ્યના સૌથી વ્યક્ત બંદર પર લઈ ગયો, જ્યાં રોજના હજારો વહાણ આવતાં-જતાં હતાં.
રાજાએ પૂછ્યું : "તમે મને કહી શકશો કે આજે આ બંદર પરથી કેટલા વહાણ નીકળશે ?" ડાહ્યા માણસે પ્રત્યુત્તર આપ્યો, "માત્ર ત્રણ મહારાજ ! અને માત્ર આજે જ નહિ. દરરોજ માત્ર ત્રણ જ વહાણ આ બંદરમાં આવે છે અને આ બંદર છોડી જાય છે."
"તમે કહેવા શું માંગો છો ? એ ત્રણ વહાણો ક્યા છે ?" રાજાએ આશ્ચર્યચકિત થઈને પૃછયું.
ડાહ્યા માણસે જવાબ આપ્યો, "ધન, સત્તા અને કામવાસના, મહારાજ ! બધાં જ મનુષ્યો - તમારા સહિત - આ ત્રણ વાહનો પર જ પોતાના જીવનને હંકારે છે !"
આ સત્ય છે. જીવનના મોટા ભાગના સમયમાં આપણે ધન, સત્તા અને કામવાસના વિષે જ વિચારતા હોઈએ છીએ. આપણે આપણા વિચારોને વિવિધ નામો આપી શકીએ છીએ. પણ અંતે તો તે આ ત્રણમાંથી એક વસ્તુમાં જ પરિણમે છે. અહીં કામ એટલે માત્ર કામવાસના જ નહિ, પરંતુ કોઈપણ પ્રકારનો સ્વેચ્છાચાર.
તમે જો કોઈ કાર્યાલયમાં કામ કરતા હશો, તો તે ધન અને સત્તા માટે.
તમે એક દિવસ રજા લો છો, તો તમારા વિચારો મોજમઝા પ્રત્યે કેન્દ્રિત થતા હોય છે.
જરા ગંભીરતાથી વિચારો : તમે આખો વ ખત શાના વિચાર કરતા હો દળે ?
એ ચોક્કસ આ ત્રણ બાબતોમાંથી એકના વિષે જ હશે.
તમે કેટલીવાર સત્ય, સૌંદર્ય અને ભલાઈ વિષે વિચારો છો ?
"શી જરૂર છે આના વિષે વિચારવાની ?" તમને થશે. "શું મારું જીવન સત્ય કે સૌંદર્ય પર આધાર રાખે છે ? હું કેટલા પૈસા બનાવી શકું છું અને હું કેટલી સત્તા ધરાવું છૂં, એના પર મારું જીવન અવલંબે છે."
પરંતુ તમારા જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ વિચારોમાં છે. જયારે તમે અવિરતપણે કોઈ વસ્ત્ પ્રત્યે પ્રતિભાવ વ્યક્ત કરો છો, ત્યારે તે માત્ર તમારા મનની સ્થિતિમાં જ નહિ, પરંતુ તમારા જીવનની સ્થિતિમાં પણ પરિવર્તન લાવી શકે છે. જયારે તમે સૌંદર્ય વિષે સતત વિચારો છો, ત્યારે તમારું જીવન વધારે સુંદર બને છે.
સૌથી અગત્યનું એ છે કે, તમારા મનમાં કયા વિચારો પ્રવેશે છે અને કયા વિચારો છોડી જાય છે, તેના પ્રત્યે સજાગ રહો. અત્યારે તમારૂં મન બધા વિચારો માટે મુક્ત છે. કોઈપણ વિચાર પ્રવેશ કરવા માટે, વધુમાન્ન વધુ સ્થાન પર કબજો જમાવવા માટે, બીજા વિચારો સાથે લડી લેવા માટે, અને ફાવે ત્યાં સુધી ટકી રહેવા માટે, અને મન ફાવે તેમ દોડી જવા માટે મુક્ત છે. તમારા મનમાં પ્રવેશતા અને તમારા જીવન પર અસર પાડતા વિચારો પર તમારો કાબૂ નથી.
તમારા વિચારોનું માત્ર નિરીક્ષણ કરો.
જયારે કોઈ એક પ્રકારના વિચારો તમારામાં પ્રવેશ કરે છે, ત્યારે શું બને છે તેનું નિરીક્ષણ કરો.
તમે જોશો કે જયારે ક્રોધ, કામ કે લોભને લગતા વિચારો તમારા મનમાં પ્રવેશે છે, ત્યારે એ તમારા તંત્રમાં અસુવિધા ઊભી કરે છે. જયારે તમારો
43
અહં જાગૃત થાય છે, ત્યારે તમે અસ્વસ્થતા અન્ન્ભવો છો. તમને આનંદસભર અને શાંતિપર્ણ લાગણીઓનો અનુભવ કરાવતા ક્યા વિચારો તમને છોડી જાય છે એ જુઓ. એ વિચારોને જાળવી રાખો અને બાકીનાને ફગાવી દો !
તમે તમારા મનના ચોકીદાર બનો. વિચારોના પ્રવાહને ઓળખો. તમારા વિચારો સાથે તમે કેટલું ઘનિષ્ઠ તાદાત્મ્ય અનુભવો છો એ જુઓ. તમે જોશો કે તમારા ગહનતમ સુષુપ્ત મનમાંથી તમારા વિચારો ઉદ્દભવે છે. તમે તમારા સુષ્પપ્ત મનના વિચારોમાં પરિવર્તન લાવી શકો. તો તમે તમારા જાગૃત જીવનના પ્રવાહને પરિવર્તિત કરી શકો છો.
આટલું કરવાનો પ્રયત્ન કરો : જો તમે તમારા ચેતનમય જીવનના કોઈ પાસામાં પરિવર્તન લાવવા ઈચ્છા હો તો - ઉદાહરણ તરીકે તમે તમારા ક્રોધ કે પૂર્વગ્રહમાંથી છૂટવા માગતા હો તો - માત્ર તમારા મનને સૂતા પહેલાં એ પરિવર્તન લાવવાની સૂચના આપો.
તમને એ જોઈને આશ્ચર્ય થશે કે, તમારા સુષુપ્ત મનને વારંવાર અપાતી સૂચનાથી, તમારૂં ચેતનમય જીવન પણ એ જ દિશામાં બદલાશે !
પગથિયું ત્રીજૂં : તમારી લાગણીઓ પર કામ કરો
તમારી લાગણીઓ તમારા વિશ્વનું સર્જન કરે છે.
તમે માનો કે ન માનો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, તમે સહુ પરમાત્મા દળે !
તમે તમારી ભાવનાઓ અને લાગણીઓમાંથી તમારું વિશ્વ રચો છો.
આ વાત સ્પષ્ટતાથી સમજી લો : તમારી ચેતનાની જે કક્ષા હશે, તેવી જ ગુણવત્તાવાળું તમારું જીવન બનશે !
જયારે તમારી ભાવના સ્પષ્ટ અને હકારાત્મક હોય, ત્યારે આખું વિશ્વ તમારે માટે એક સુંદર સ્થાન બની રહે છે. અસ્તિત્વ તમારા પર આશીર્વાદ વરસાવે છે. જયારે તમે પ્રેમસભર હો છો. ત્યારે તમને સર્વત્ર પ્રેમ દેખાશે. જ્યારે તમે તિરસ્કારથી ભરેલા હશો, ત્યારે તમને કેવળ ધિક્કાર જ પ્રાપ્ત થશે.
આ કોઈ નીતિવિષયક વાર્તા નથી. આ જ સત્ય છે. આપણે આપણી મર્યાદિત સમજશક્તિને કારણે એ સમજી શકતા નથી. આપણે સર્વત્ર તેનાં કારણો શોધવા માંડીએ છીએ. સત્ય એ છે કે, આપણામાંનો દરેક જણ, પોતાના જીવનની ગુણવત્તા માટે સો એ સો ટકા પોતે જ જવાબદાર છે.
જયારે તમે તમારી લાગણીઓ પર કામ કરવા માંડશો, ત્યારે તમને જાતે જ સમજાશે કે આ કેટલું સત્ય છે !
આપણી લાગણીઓ આપણા પર કેટલી ઊંડી અસર કરે છે, એનો આપણને ખ્યાલ નથી આવતો હકીકતમાં આપણે એમ માનીએ છીએ કે, આપણી બધી જ પ્રવૃત્તિઓ પર આપણા મનનો કાબૂ છે. આપણા નિર્ણયો લેવા માટે આપણે આપણી બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીએ છીએ = પણ સત્ય એ છે કે, તમારા જીવનનો બહુ મોટો હિસ્સો તમારી લાગણીઓનું પરિણામ છે.
તમારી લાગણીઓ સાથે કામ કરવાના ત્રણ પગથિયાં છે.
45
(ક) તમારી સૌથી ઉત્કટ લાગણીઓને ઓળખો :
તમને કઈ બાબત કાર્યરત રાખે છે ?
તમારી કઈ લાગણીઓ તમારાં કાર્યો પર કાબૂ રાખે છે ?
શું તમારું જીવન જોરદાર વિરોધ, આક્રમકતા અને ક્રોધની આસપાસ ઘૂમે છે ?
તમારે માટે શું વધારે મહત્ત્વનું છે - પ્રેમ કે સંઘર્ષ ?
તમે તમારી જાત પ્રત્યે પ્રામાણિક બનો !
સૌથી પ્રથમ તમારે તમારી લાગણીઓને ઓળખવી જોઈએ. અન્યથા તમે તેમાં પરિવર્તન શી રીતે લાવશો ?
ઘણીવાર, એવું બને છે કે લોકો વિરોધી વાતાવરણમાં જીવતા હોય છે, તેમને નકારાત્મક લાગણીઓ પ્રત્યે આકર્ષણ રહે છે. તેઓને તેની જરૂર છે; તેમને માટે એ જીવન ટકાવી રાખવાની વાત છે. તેમને તેમની બધી શક્તિ નકારાત્મક લાગણીઓમાંથી જ મળે છે. સંશોધનો દ્વારા એવું પુરવાર થયું છે કે, યુદ્ધના સમયે ગુન્હાખોરી અને આત્મહત્યાનો દર અતિશય નીચો જતો રહે છે. કારણ કે હવે લોકોને પોતાની નકારાત્મક લાગણીઓને જાહેરમાં વ્યક્ત કરવાની મુક્ત ભૂમિકા મળી ગઈ છે. એથી તેમણે ખાનગીમાં ગુન્હા કરવાની જરૂર નથી પડતી !
હિટલરે પણ કહ્યું છે કે, જો તમે તમારા દેશને શક્તિશાળી બનાવવા માગતા હો, તો દુશ્મનો ઊભા કરો ! ખરેખર વાસ્તવિક શત્રુઓ ના હોય તો પણ ! તેઓ માત્ર કાલ્પનિક શત્રુઓ પણ હોઈ શકે. જ્યાં સુધી લોકો વિરોધી પરિસ્થિતિમાં હોય, ત્યાં સુધી તેમને લાગે છે કે તેઓ ખૂબ
શક્તિશાળી છે. જયારે તેઓ બળવો કરે છે. ત્યારે તેઓ પોતાને શક્તિશાળી મહેસસ કરે છે. આપણી બધી જ શક્તિઓ નકારાત્મકતા તરફ વાળવામાં આવી છે.
હતાશા બીજું કંઈ જ નથી, પણ આપણા તરફ પાછો વળેલો આપણો ક્રોધ છે. જ્યારે તમે તે લાગણીને વ્યક્ત કરો છો, ત્યારે તે ક્રોધ રૂપે દેખાય છે. જ્યારે તમે તેને દબાવી દો છો, ત્યારે તે હતાશામાં પરિણમે છે. પણ બંશ્વે એક સરખી નકારાત્મક શક્તિ જ છે.
જયારે આપણે આપણી નકારાત્મક લાગણીઓ પર એકાગ્ર થઈએ છીએ, જયારે આપણે જુદાપણાની વૃત્તિને પોષીએ છીએ, જયારે આપણે 'હું વિરૂદ્ધ તેઓ'નો ભાવ ઊભો કરીએ છીએ, ત્યારે આપણો અહં બહુ શક્તિશાળી લાગે છે. એથી જ આપણામાંના ઘણાને એવી પરિસ્થિતિ ગમે છે, જેમાં આપણે લડાયક સ્થિતિમાં હોઈએ.
હકારાત્મક, મૂદુ લાગણીઓ આપણને અસલામત બનાવે છે. પ્રેમ. આનંદ, કરૂણા – આ મનની નાજુક સ્થિતિ છે. જ્યારે આપણે આ લાગણીઓ અનુભવીએ છીએ, ત્યારે આપણી અને વિશ્વ વચ્ચેની ભેદરેખા નબળી પડી જાય છે. અહંભાવની શક્તિ ઘટી જાય છે.
એથી જ આપણે આ લાગણીઓથી ડરીએ છીએ. અંદરથી અભાનપણે આપણે પ્રેમથી ડરીએ છીએ કારણ કે પ્રેમમાં અહંભાવને સમર્પિત કરી દેવો પડે છે.
પરંતુ આધ્યાત્મિકતા બીજુ કશું જ નથી, એ માત્ર અહંભાવ તજવાની એક પ્રક્રિયા છે. જો તમે પ્રેમ કરતાં પણ ડરતા હશો – કારણ કે એ તમને નમ્ર બનાવે છે – તો તમે ધ્યાનમાં અતર્મુખ કેમ થશો ?
(ખ) તમારી હકારાત્મક લાગણીઓ પ્રત્યે કેન્દ્રિત થાવ
સામાન્ય રીતે તમારો દિવસ કેવો હોય છે ? સહેજ વિચારો.
દિવસ દરમ્યાન તમારામાં વિવિધ લાગણીઓ ઉભરાય છે. તમે જયારે જાગો છો, ત્યારે તમને આનંદ થાય છે - અથવા ઓછામાં ઓછૂં તમે સામાન્ય સ્થિતિ અનુભવો છો. પછી તમારી પત્ની કૉફી લઈને પ્રવેશે છે, અને તેને નીચે મૂકતાં થોડી કૉફી તેનાથી ઢોઢાઈ જાય છે – અને તમે તરત જ ગુસ્સે થાઓ છો.
સવારનો સરસ મજાનો નાસ્તો પતાવ્યા પછી, તમે ફરીથી સારા મિજાજમાં આવી જાઓ છો. પછી કામ પર જતાં રસ્તામાં તમે ટ્રાફિકમાં ફસાઈ જાઓ છો – અને જાણે 'કોઈને મારી નાખું !' એવી લાગણી તમને થાય છે. ઓફ્સિમાં તમારો પ્રોજેક્ટ બરાબર આગળ વધતો નથી - ફરીથી તમને તણાવનો અનુભવ થાય છે અને આમ ને આમ ચાલ્યા કરે છે.
Section 2
દર મિનિટે તમારી લાગણીઓ તમારા પર ભારે આક્રમણ કરે છે. તમે લાગણીઓના ઉતાર-ચઢાવમાં તમારૂં જીવન જીવી રહ્યા છો. આમ તમે ક્યાં સુધી ટકી શકો ? સદ્ભાગ્યે, આપણા લાગણીઓનાં સર્વ અનુભવો ખરાબ નથી હોતા. આપણાંમાના મોટાભાગના માટે દિવસ દરમ્યાન એવી કેટલીક ક્ષણો હોય છે, જયારે આપણે શાંત, આનંદમય અને ધ્યાનસ્થ હોઈએ છીએ.
આ રોજની, સરળ બાબત હોઈ શકે.
તમારા બગીચામાં ચાના ઘૂંટડા ભરવા.
શાવરમાં નહાવું.
સંગીત સાંભળવું.
46
47
તમારાં બાળકો સાથે રમવું.
પ્રતિદિન, આપણાંમાના દરેક માટે આવી ક્ષણો હોય છે. પણ આપણાંમાના કેટલા આવી ક્ષણો પર લક્ષ કેન્દ્રિત કરે છે ?
જયારે કોઈ આપણને પૂછે છે, 'તમારો દિવસ કેવો રહ્યો ?' ત્યારે આપણને ઢોળાએલી કૉફી, ટ્રાફિક અને અધુરો રહેલો પ્રોજેક્ટ જ યાદ આવે છે.
એક બદલાવ માટે રોજ હકારાત્મકતા અનુભવો અને હકારાત્મક લાગણીઓ ઉપર શા માટે લક્ષ ન ઠેરવવું ?
આ પ્રયોગ કરી જુઓ.
૨૪ કલાક માટે, તે દિવસે બનેલી માત્ર સારી બાબતોને જ અવિરત સ્મરણમાં લાવો. નાની નાની બાબતો માટે પણ અહોભાવ અનુભવો : સારું થયું કે કામ પર ગયો ત્યારે વરસાદ નહોતો આવ્યો. બગીચામાં ગલગોટાના ફલો ખીલી રહ્યાં છે. તમારા ઘરની કામવાળીએ રજા ન લીધી એ માટે આભારની લાગણી અનુભવો. આપણે આવી બાબતો ભૂલી જઈએ છીએ છીએ ! પણ જે દિવસે ઘરકામવાળી બાઈ ન આવે, તેને આપણે કદી ભલતા નથી – પણ જયારે આવે છે, ત્યારે આપણે તેની નોંધ લઈએ છીએ ખરા ? મનોમન તેનો આભાર માનીએ છીએ ખરા ?
એટલે હું જ્યારે તમને કહું છૂં કે, 'દરેક હકારાત્મક બાબતને યાદ કરો', ત્યારે ખરેખર એ કરો. સંપૂર્ણ નિષ્ઠા સાથે કરો ! માત્ર ૨૪ કલાક ! તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે, એ તમે જાતે જોઈ શકશો. એક વખત તમે હકારાત્મક લાગણીઓ સાથે રહેવાના આનંદનો આસ્વાદ લેશો, પછી તમે કદી ફરીથી હતાશામાં ગરકાવ નહીં થાવ.
આ મજાક માટેનો પરિશ્રમ નથી. આ જીવનમાં ટકી રહેવા માટેની તરકીબ છે. તમે તમારા જીવન પ્રત્યે પથ્થરો ફેંકશો, તો તમારું જીવન પણ તમારા પ્રત્યે સામા પથ્થરો ફેંકશે. જો તમે પુષ્પો દ્વારા જીવનનું અભિવાદન કરશો, તો તમને બદલામાં પુષ્પો મળશે. પછી તમને ધ્યાનની પદ્ધતિ મળશે, જેનું લક્ષ જીવનને કૃતજ્ઞતાપૂર્વક આવકારવાનું હશે.
(ગ) તમારી નકારાત્મક લાગણીઓનું પરિવર્તન કરતાં શીખો
તમે કદાચ મને પૂછશો, આખા દિવસ દરમ્યાન જે નકારાત્મક લાગણીઓનો અનુભવ થયો હોય તેનું શું થશે ? તમે હકારાત્મક લાગણીઓના સ્મરણ પ્રત્યે જ લક્ષ રાખશો, તો પણ તમારા તંત્રમાં નકારાત્મક લાગણીઓ હજુ રહેવાની જ ! અને તે બધો જ સમય વધતી જ રહેશે.
તમે તમારા તંત્રમાંથી જૂના અવરોધોને ધ્યાન દ્વારા દૂર કરી શકો છો -પણ તમારે ખ્યાલ રાખવાનો છે કે નવા અવરોધો ઊભા થતા ન રહે ! પ્રતિપળ તમારે નવા સંયોગોનો સામનો કરવાનો હોય છે. ઉદાહરણ તરીકે, એવા લોકો હોય છે, કે જે તમને વારંવાર ગુસ્સે કરે. તમારા શરીરતંત્રમાં પરિભ્રમણ કરતી તે વધારાની શક્તિનું તમે શું કરશો ?
તમારી નકારાત્મક શક્તિનું હકારાત્મક શક્તિમાં પરિવર્તન કરવાનું શીખી જાવ. યાદ રાખો; શક્તિ તટસ્થ છે. ક્રોધ સારો પણ નથી, ખરાબ પણ નથી. કામવાસના નથી સારી, નથી ખરાબ. આ બધા માત્ર શક્તિનાં સ્વરૂપો છે. તમે એનો રચનાત્મક ઉપયોગ કરો છો કે વિનાશાત્મક, એ તમારા પર નિર્ભર કરે છે. એક છરી બાળકના હાથમાં વિનાશક બની શકે છે. પણ એક સર્જન ડૉક્ટરના હાથમાં તે જીવનદાતા બની શકે છે. તમે એ જ શક્તિને સંપૂર્ણતયા જુદા જ પરિણામો લાવવા માટે ઉપયોગમાં
લઈ શકો છો. તમે જો તમારી શક્તિને યોગ્ય પ્રવાહમાં વાળવાનું શીખી લો, તો તમે ક્રોધને સ્થાને સર્જનશીલતાને મૂકી શકો છો. સર્જનાત્મક રીતે જીવતાં શીખો. તમારી શક્તિને કળા તરફ, સંગીત તરફ, રમતગમત તરફ વાળો.
ચિત્રકામ કરવાનું શીખો.
કોઈ રમત રમો.
શોખ કેળવો.
નાચો.
49
ક્રોધની જેમ આ પણ શક્તિને બીજે વાળવા માટેની પગદંડી છે !
તફાવત એટલો જ છે કે, આ સર્જનાત્મક પગદંડીઓ છે. તમારા જીવનને નવી દિશા આપો. તમારા સામાન્ય જીવનને સર્જનશીલતાનું પરિમાણ આપો. આ રીતે તમારી બધી વિધ્વંસક શક્તિ, સર્જનશક્તિમાં પરિવર્તિત થશે અને એ પણ હકારાત્મક પરિણામો સાથે.
જયારે તમે તમારી હકારાત્મક લાગણીઓ પ્રત્યે લક્ષ કેન્દ્રિત કરવાનો પ્રારંભ કરશો, ત્યારે તમે જોશો કે તમારું જીવન વિના પ્રયત્ને વધારે સારું થવાની દિશામાં પરિવર્તન પામે છે. જયારે તમને પ્રેમની લાગણી થશે ત્યારે, તમે પ્રેમ આપશો અને તમે પ્રેમ પામશો.
આ એક સુંદર ઘટનાચક્ર છે. અનુભવ વગર આ માનવું અશક્ય છે. પણ ખરેખર એમ જ બને છે.
એવું નહીં ધારતા કે તમને જન્મથી જ આવું વલણ મળે. એવું ના કહેતા, અરે પેલો માણસ કેવો નસીબદાર છે ? એ હંમેશાં પોતાના ચહેરા ધ્યાન તમારા માટે જ છે.
પર સ્મિત સાથે જ હરતો ફરતો હોય છે. હું જ માત્ર બધા તણાવમાં જીવું છું !
હકારાત્મક વલણ એવી બાબત છે, જે કેવળી શકાય છે. જયારે તમે આનંદથી ભરેલા હશો, ત્યારે દુ:ખ તમારાથી ડરશે ! ક્રોધ તમને સ્પર્શી નહિ શકે. તમે જયારે તમારી અંદર આનંદની પરિસ્થિતિ સર્જી શકો, ત્યારે જ તમે ધ્યાનમાં પ્રગતિ કરી શકો.
પ્રેમ, હાસ્ય અને કૃતજ્ઞતા દ્વારા તમારા જીવનને પરિવર્તિત કરો.
જીવનને ઉત્સવમાં ફેરવી નાખો.
ત્યાર પછી જ જીવન ધ્યાન બની શકે છે.