Books / Meditation Is for You Gujarati merged

10. ધ્યાનમાં પ્રવેશ

# ધ્યાનમાં પ્રવેશ

Instruction : This page 30 printed blank in the book

32

ધ્યાન તમારા માટે જ છે.

હોઈએ છીએ. આ છાપ આપણી પોતાની નથી. સામાન્ય રીતે, હંમેશા અન્ય લોકોના આપણા વિષેના અભિપ્રાયોમાંથી આપણે આપણાં વિષેની છાપ ઊભી કરી હોય છે. આપણે આપણાં શરીર વિષે કઈ કેટલીય ધ્યાન તમને તમારી અંદરની તરફ દોરી જતો માર્ગ છે. પરંત્ર્ અંદરની નકારાત્મક લાગણીઓ ધરાવતા હોઈએ છીએ. કદાચ તમે એથી અજાણ હશો, પણ તમે તમારા સુષુસ્ત મનમાં તમારા દેહ વિષેની ઊંડી નકારાત્મક લાગણીઓ ધરાવતા હો છો.

જવલ્લે જ હું કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યો છૂં, જે પોતાના શરીર વિષે સંપૂર્ણતયા સ્વસ્થ હોવાની લાગણી ધરાવતો હોય. પોતાનું શરીર સ્વસ્થ છે. એવી ભાવનાથી એવું કલ્પી લેવાની જરૂર નથી કે તમારા શરીરને લગતી સર્વ બાબતો સરસ છે. એનો અર્થ એટલો જ છે કે તમારૂં શરીર જેવું છે, તેવું તમારે માટે આરામદાયક છે.

આપણે સહુ આપણા શરીર વિષે કોઈક છાપ, કોઈક વિચારો ધરાવતા

તમે જીવનભર એવું જ સાંભળતા આવ્યા છો કે 'તમારું શરીર તમારું દ્દશ્મન છે ! તમારૂં શરીર દુષ્ટ અને પાપી છે ! શરીરને રિબાવો, તેની ઉપેક્ષા કરો !' વિશેષ કરીને આધ્યાત્મિક માર્ગમાં શરીરને સિદ્ધિના માર્ગ પરના મોટામાં મોટા વિઘ્ન તરીકે રજૂ કરવામાં આવે છે.

આથી તમે તમારા શરીર પ્રત્યે અફદરતી તિરસ્કાર ધરાવતા થઈ જાઓ છો. આ બાબત તમારા સુષુપ્ત મનમાં ઊંડાં મૂળ નાખી દે છે. તમે એવું વિચારવા લાગો છો કે તમારું શરીર તમારી વિરૂદ્ધમાં વર્તી રહ્યું છે. પણ સત્ય એ છે કે આ શરીર – તમારૂં શરીર તમને આ સંસારની સરિતાને પાર કરાવનાર નૌકા છે ! તમારા શરીર વગર શું તમે આ દ્વનિયામાં હલનચલન કરી શકો છો ? તમારું શરીર સારા સ્વરૂપમાં ન હોય, તો શું તમે ધ્યાન કે આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં કાર્ય કરી શકો છો ? તમારી આંખો અને તમારા

મગજની સહાય વિના તમે આ પુસ્તક પણ વાંચી શકો ખરા ?

તરફ વળવા માટે, તમારે પ્રથમ બહારથી પ્રારંભ કરવાનો છે. હાલમાં, તમે કાંઠા પર છો. પાણી અતિશય ઠંડૂ તો નથીને એ ચકાસવા તમે તમારો એક અંગૃઠો તેમાં બોળો છો !

ઘણા લોકો મારી પાસે આવે છે અને કહે છે, "સ્વામીજી, હું આધ્યાત્મિકતા વિષે ખાસ કશું જાણતો નથી. મેં પહેલાં કદી ધ્યાન માટે પ્રયત્ન કર્યો નથી, શું હું તૈયાર છૂં ? મારે ક્યાંથી શરૂઆત કરવી ?''

હું તમને કહું : તમે અત્યારે જયાં છો, એ જ તમારે માટે ઉત્તમ સ્થાન છે !

અત્યારે તમારા પોતાના વિષે તમારી જે સમજ છે, તે તમારા શરીર, તમારી લાગણીઓ અને તમારા વિચારોની સાથે સંકળાયેલી છે. 'તમે' જે છો, એમ તમે વિચારો છો, એ તમારા શરીર, તમારી લાગણીઓ અને તમારા વિચારો સિવાય બીજું કશું જ નથી.

આથી ત્યાંથી જ પ્રારંભ કરો ! આ તદ્દન સરળ છે.

પ્રથમ ૫ગથિયું : તમારા શરીર ૫૨ કામ કરો

તમને તમારા શરીર વિષે શું લાગે છે ?

34

એ સાચું છે કે વ્યક્તિએ છેવટે શરીરની પેલે પાર જવાનું છે. પણ તમે તમારા શરીર સાથે લડીને એ કરી શકતા નથી. તમે તમારા શરીરને સમજીને, સ્વીકારીને, અને તેના પર કામ કરીને, તેને ધ્યાનને માટે યોગ્ય કરી શકો છો.

યાદ રાખો, ભૌતિક દષ્ટિએ અને આધ્યાત્મિક દષ્ટિએ, શરીર ખુબ જ શક્તિશાળી સાધન છે. પણ એ જ તેની મર્યાદા છે. તે માત્ર સાધન છે. એ નથી સરસ કે નથી દુષ્ટ, નથી તમારૂં મિત્ર કે નથી તમારૂં દુશ્મન. તમારા શરીર દ્વારા જ તમે ભૌતિક વિશ્વમાં હલનચલન કરી શકો છો. અને એ જ શરીર દ્વારા તમે દિવ્યતત્ત્વ પ્રત્યે પ્રયાણ કરી શકો છો. એ માત્ર તમારા હાથનું ઓજાર છે.

આ ખ્યાલ સ્વીકારવો મુશ્કેલ છે ! કારણ કે તમે જીવનભર તમારા શરીર સાથે સંપૂર્ણ પણે એકાત્મતા અનુભવી છે. પણ આ એકાત્મ ભાવનો ભંગ કર્યા વગર, તમે કદી પણ તમારા શરીરથી આગળ જઈ શકો નહિ.

આથી પહેલું પગલું એ છે કે તમે તમારા શરીર પ્રત્યે લક્ષ આપવા લાગો. જો તમારું શરીર સરખી રીતે ચાલતું નહિ હોય તો તમે કદી ધ્યાનમાં પ્રવેશ નહીં કરી શકો. તમારા શરીર પ્રત્યે તમને જે કોઈ નકારાત્મક (કે પછી હકારાત્મક પણ) લાગણીઓ હોય તેને ખંખેરી નાખો ! તેને બસ તજી દો.

શરીરને 'શુદ્ધ' કરવું એ પ્રથમ પગલું છે.
શરીરને 'શુદ્ધ' કરવાનો શો અર્થ છે ?

આપણને સહુને શરીરમાં ખલેલ પડતી હોય છે, શક્તિના અવરોધો હોય છે, પૂર્વગ્રહો હોય છે – આ બધું આપણી શારીરિક તંત્રનો હિસ્સો છે.

આ અવરોધોને અને ખલેલોને દર કરવાં એ શરીરની શુદ્ધિનો માર્ગ છે. આપણા શરીરમાં શક્તિના અવરોધો અને ગરબડ કઈ રીતે નિર્માણ થાય છે ? આપણે બાળપણથી જ આપણી કુદરતી લાગણીઓને દબાવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે સમાજમાં આપણે હંમેશા આપણી ઈચ્છા મુજબ આપણી જાતને અભિવ્યક્ત કરી શકતા નથી.

દા.ત., જ્યારે તમને ક્રોધ આવે છે, ત્યારે શરીર તરત જ લડવા માટેનું રસાયણ ઉત્પન્ન કરે છે. કોઈ માણસ પર હુમલો કરવા માટે આવશ્યક શક્તિનું ઉત્પાદન કરે છે. કારણ કે બધા જ પ્રાણીઓ માટે ક્રોધ એ ટકી રહેવા માટેનું જરૂરી ઓજાર છે. શરીર તમને બીજાની સાથે લડવા માટે તૈયાર કરે છે. પણ આપણા સંસ્કારી સમાજમાં આપણે હંમેશા આપણા ક્રોધને વ્યક્ત કરી શકતા નથી. સામેની વ્યક્તિ એવી હોય જેનાથી તમે ડરતા હો – તમારા શેઠ, તમારી પત્ની !! આથી જે શક્તિ નિર્માણ થઈ હોય, તે વપરાયા વગર પડી રહે છે. આ વધારાની શક્તિ તમારા શરીરમાં નિષ્ક્રીય થઈને પડી રહે છે અને તમારા શક્તિના પ્રવાહમાં ખલેલ પહોંચાડે છે.

બધી જ લાગણીઓ - એષણા, ભય, શોક - સાથે આમ જ બનત્તુ હોય છે.

મોટે ભાગે તમે તમારી જાતને વ્યક્ત કરતાં ભય અનુભવો છો. તમે તમારા શરીર માટેના ઉત્કટ ભય અને અને અનાસ્થામાં જીવો છો. તમે માનો છો કે તમારૂં શરીર સંસ્કૃતિની ભાષા જાણતું નથી. તેને સમાજના નિયમો માન્ય નથી. તમે જો તમારા શરીરને છૂટું મૂકી દો, તો કોણ જાણે શુંનું શું થઈ જશે ? તમારું શરીર શું કરશે તે કોણ જાણે છે ? આથી તમારે કાબૂ રાખવાનો છે, તમારે દમન કરવાનું છે.

જયારે તમે સતત તમારી લાગણીઓને દબાવી દો છો. ત્યારે એ તમારા શરીરમાં માત્ર અવરોધો જ નથી સર્જતી, પણ અંતે માનસિક રોગો તરફ દોરી જાય છે. દા.ત., ક્રોધને સતત દબાવ્યા કરવાથી હિસ્ટિરિયા થાય છે.

એ જ રીતે, માનસિક હરકતો શારીરિક રોગ તરીકે દેખાડે છે. દમનને કારણે માત્ર હૃદયના રોગૌ કે માઈગ્રેઈન્સ જ નહિં, પણ ચામડીના રોગો અને આંતરડામાં ચાંદા પણ થાય છે. તાજેતરના સંશોધનો બતાવે છે કે ૮૦ ટકાથી વધુ રોગો શારીરિક – માનસિક (સાયકોસોમેટિક) પ્રકારના હોય છે. એટલે કે આપણી શારીરિક અને માનસિક સ્થિતિ આ રોગો માટે જવાબદાર છે.

આગળ ઉપર આ પુસ્તકમાં તમારા શરીરમાંના બધા જ અવરોધો અને દમનોમાંથી મુક્ત થવાની ધ્યાનની પદ્ધતિઓ આપવામાં આવી છે.

એક વખત તમે આ અવરોધોમાંથી મુક્ત થઈ જાવ, પછી તમે જાતે જ જોઈ શકશો કે તમારૂં શરીર કુદરતી રીતે જ સોળે કળાએ ખીલી ઊઠશે. તમારું શરીર વધારે સુંદર, વધારે દિવ્ય દેખાશે. તમારું શરીર એ 'તમે' નથી, પણ તમારૂં શરીર તમારા આધાર માટે છે. તમારા શરીર સાથે સુંદર મૈત્રીભર્યો સંબંધ કેળવો. માત્ર આપણી દબાવી દીધેલી લાગણીઓ જ નહિં, પણ આપણી ફુટેવો પણ શરીરમાં નુકસાન પહોંચાડે છે. શરીર માત્ર ભૌતિક યંત્ર છે. સ્વાભાવિક જ, તમે જેવી રીતે ખાઓ, ઊંઘો, વ્યાયામ કરો અને આરામ કરો, તેની તેના પર અસર પડશે જ. હું જેમ હંમેશા કહું છું, તમારા બધા રોગો તમારા મહેમાનો છે ! તમે તમારા શરીર પ્રત્યેની બેકાળજીથી રોગોને તમારા માથા પર નિમંત્રો છો.

દા.ત., જ્યારે તમે કંઈક મસાલેદાર ખાવ છો, ત્યારે તમારી આંખોમાંથી પાણી પડવા લાગે છે. તમારું શરીર વિરોધ નોંધાવે છે. હું આને નહીં પચાવી શકું, ૫ણ તમે એનું સાંભળો છો ખરા ? ના… !

જયારે તમે મધરાત સુધી ટી.વી. જોતા રહો છો, તમારું આખું શરીરતંત્ર બૂમો પાડે છે, 'મને વિશ્રાન્તિ જોઈએ છે !' પણ હંમેશની જેમ તમે શરીરને અવગણો છો..

આટલું સ્પષ્ટતાથી સમજી લો : તમારા શરીરને એનું પોતાનું શાણપણ છે. તમારો તમારી શારીરિક સમજશક્તિની સાથે મેળ બેસતો નથી. તમારું શરીર તમને અવિરત સૂચનાઓ આપે છે, પરંતુ તમારી પાસે એ સૂચનાઓ સમજવાની સમજણશક્તિ નથી.

આપણે શા માટે ખાઈએ છીએ ?

તદ્દન સરળ ખુલાસો છે, શક્તિ મેળવવા.

પણ શું તમારો ખોરાક તમને સશક્ત બનાવે છે ? ભોજન પછી તમને શક્તિ લાગે છે કે નિદ્રા આવે છે ? આપણામાંના મોટા ભાગના લોકોને નિદ્રા આવે છે !

કારણ કે આપણી ખોરાકની પસંદગી નબળી છે અને બીજું કારણ એ છે કે આપણું ઉદર આપણને કહે કે 'હું ભરાઈ ગયું છું.' પછી પણ આપણે ખાવાનું ચાલુ રાખીએ છીએ. આપણે કોઈપણ વસ્તુ અને દરેક વસ્તુ પેટમાં પધરાવીએ છીએ. આપણે ખોરાકને આપણા શરીરતંત્રમાં ફેંકીએ છીએ, જાણે કે આપણું પેટ કચરાનો ડબ્બો ન હોય ! આપણે આપણે પેટને કચરાપેટી જ સમજીએ છીએ. દરેક ભોજન વખતે આપણે આપણા પાચનતંત્રનો બોજો વધારીએ છીએ. ત્યારબાદ આપણને જમ્યા પછી સ્ફર્તિ ન લાગે એમાં નવાઈ પામવા જેવું કશું જ નથી !

38

જયારે આપણે વધુ પડતું ખાઈએ, જ્યારે આપણે પૂરતો વ્યાયામ ન કરીએ - ત્યારે આપણને સુસ્તી લાગે છે. સસ્ત શરીર ધ્યાન માટે બિલકુલ લાયક નથી. એટલું જ નહિ, જયારે શક્તિની કક્ષા નીચી હોય છે, ત્યારે રોગો બહુ સહેલાઈથી આપણા શરીર પર હુમલો કરે છે.

વ્યાયામ તમને વિકસવામાં સહાય કરે છે. જયારે તમે વ્યાયામ કરો છો, ત્યારે તમારા શરીરનો પ્રત્યેક જીવંત કોષ વિકસે છે. જયારે તમારાં ફેફસાં પ્રાણવાયુથી ભરાયા હોય છે, ત્યારે ઉચ્છૂવાસમાં કાર્બનવાયુની સાથે ઘણી અશુદ્ધિઓ પણ બહાર ફેંકાય છે.

આપણી જીવનશૈલીમાં, આપણને વ્યાયામ માટે કે વિશ્રાન્તિ માટે સમય નથી.

આપણે જેને વિશ્રાન્તિ કહીએ છીએ. એ સાચી વિશ્રાન્તી નથી. આપણામાંના કેટલા સવારે જાગે છે ત્યારે સ્કૂર્તિ અને આનંદ અનુભવે છે ? જો તમે સરખી રીતે આરામ કર્યો હોય, તો દરેક સવારે તમારે નત્ય કરતાં કરતાં સ્નાનગહમાં જવું જોઈએ. એને બદલે, સવારે જયારે એલાર્મ વાગે છે ત્યારે તમે શું કરો છો ? એલાર્મ બંધ કરીને પાછા સુઈ જાઓ છો !

Section 2

સાચી ઊંઘ એ છે, જેમાં તમારું શરીર સંપૂર્ણરીતે આરામ કરતું હોય, તેના બધા જ તણાવોમાંથી તે મુક્ત હોય, જયારે તમારું તંત્ર સમારકામ અને જાળવણીનું કાર્ય કરી શકતું હોય. આપણે કેટલી વખત ગાઢ, ખલેલ વગરની, સ્વપ્ન વગરની નિદ્રાનો આનંદ અનુભવીએ છીએ ? ભાગ્યે જ ! પણ સ્પષ્ટ સમજી લો, તે દિવસોએ જ તમે સાચી ઊંઘ લીધી છે !

તમને આશ્ચર્ય થતું હશે કે, આ બધી બાબતોને ધ્યાન સાથે શી નિસ્બત છે. આપણે આ વિષે ચર્ચા કરીએ છીએ તેનાં બે કારણો છે. પહેલું કારણ

એ છે કે, શારીરિક દષ્ટિએ કાર્યક્ષમ શરીર તમને ગહન ધ્યાનમાં પ્રવેશ કરવામાં સહાયક બને છે. પરંતુ વધારે મહત્ત્વનું એ છે કે, ધ્યાનની પ્રેક્ટિસ પોતે જ તમને આરામ મેળવવામાં મદદ કરે છે. આપણે એ પદ્ધતિઓ જોઈશું, જે તમારી નિદ્રાની ગુણવત્તા વધારે છે. જ્યારે તમારી નિદ્રાની ગુણવત્તા વધે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી જાગૃતિના સમયની ઉત્પાદકતા વધે છે.