પરંપરાના રહસ્ય પરથી પડદો ઊઠે છે.
પરંપરાના રહસ્ય પરથી પડદો ઊઠે છે.
ેને. સ્વામીજી, આપ મૂર્તિપૂજા સાથે સંમત છો ? સૌથી પહેલાં મનમાં એક વાતની સ્પષ્ટતા રાખો : જેને આપણે મૃતિપૃજા કહીએ છીએ એ મર્તિઓની પજા નથી ! એ મૂર્તિઓ દ્વારા પૂજા (ઈશ્વરની) છે.´
દેખીતી રીતે કોઈ પણ મૃર્તિપૂજક મૃર્તિની કે પૂતળાની પૂજા નથી કરતો. મૂર્તિ દ્વારા દષ્ટિગોચર ઈશ્વરની પૂજા કરે છે.
શું એ મૂર્ખાઈ છે ?
આ બાબતમાં આપણે થોડા ઊંડા ઉતરીએ.
આપણે જાણીએ છીએ કે સમગ્ર સૂષ્ટિનું ઉદ્દગમ એક જ છે.
વિશ્વની દરેક વસ્તુ એક જ કાચી સામગ્રીમાંથી બને છે અને દરેકની આંતરિક રચના સમાન છે. તેનું અંતર્ગત માળખું એકસરખું છે. તમને આ વાતનો કદાચ ખ્યાલ નહિ હોય, કારણ કે આપણે કેવળ બાહ્ય તફાવત જ જોતા હોઈએ છીએ. વિશ્વના એક અંશ તરીકે આપણે સૌ નાના અરીસા જેવા છીએ, જેમાં વિશ્વનાં સંરચના અને સંયોજનના આબેહૂબ પ્રતિબિંબ પડે છે.
આ વિચારને સ્પષ્ટપણે સમજો :
સૃષ્ટિમાં દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે.
વિશ્વ એ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ મુખ્ય તત્ત્વોનું (પાંચ મુખ્ય શક્તિઓનું) બનેલું છે.
આ તમામ તત્ત્વો (સંસ્કૃતમાં તેને 'પંચ મહાભત' કહે છે.) એ વૈશ્વિક શક્તિ જેને. આપણે દિવ્ય, ઈશ્વર કે પરાશક્તિ કહીએ છીએ તેનાં જ વ્યક્ત ૩૫ છે. મનખ્ય સ્વયું (પિંડ કે આત્મા) વિશ્વ (બ્રહ્માંડ કે બ્રહ્મન) ના આ ગણોને પ્રતિબિંભિત કરે છે. મનષ્ય આ પાંચ મુખ્ય શક્તિમાંથી શક્તિ મેળવે છે, એ પણ આ પાંચ તત્ત્વોનો બનેલો છે. એ આ તત્ત્વોમાંથી બને છે, એમાં જીવે છે અને અંતે એ આ તત્ત્વોમાં મળી જાય છે.
મનૃષ્ય પોતાના મૂળ સ્થાન પર પાછા ફરવા, 'ઘેર પાછા ફરવા' આખી જિંદગી ઝંખ્યા કરે એ સ્વાભાવિક છે.
આ મૂળ શક્તિઓ સાથે મનુષ્ય પોતાની જાતનો સુમેળ સ્થાપવાનો પ્રયાસ કરે છે. મનૃષ્ય અને આ જીવનશક્તિઓ એ બંને વચ્ચે એકતા નિર્માણ કરવાની પ્રદ્ધિયાને ધર્મ કહે છે.
પુથ્વી તત્ત્વ એ વૈશ્વિક શક્તિનું સ્થ્રુળતમ રૂપ છે. મનુષ્યમાં, શરીર એ પૂથ્વી તત્ત્વનું પ્રતીક છે.
ઇશ્વર સાથે એકતા સ્થાપવાના પ્રથમ પગલાંરૂપે માણસ માટીની મર્તિઓને મનુષ્યાકારે બનાવીને પૂથ્વી તત્ત્વ સાથે અનુસંધાન સાધવાનો પ્રયત્ન કરે છે. ઇશ્વર સાથે એકતા સ્થાપવા માટે મનુષ્યને આ 'રૂપ' કે 'આકાર'ની જરૂર પડે છે. આધ્યાત્મિક યાત્રામાં નવા પથિકને માટે ઇશ્વરને અમૂર્તરૂપે વિચારવું અતિશય દુષ્કર થઈ પડે છે.
પોતે સમજી શકે અને સંપર્ક સાધી શકે તે માટે ઇશ્વરને મૂર્તિનું રૂપ આપવામાં આવે છે. મૂર્તિ દ્વારા તે પોતાને પરિચિત હોય એ ભાષામાં વાતો કરીને ઇશ્વર સાથે એકતા સાધી શકે છે.
સેંકડો હિંદુ દેવતાઓ ઇશ્વરનાં જ રૂપો છે. કોઈ પણ વ્યક્તિ તેમની સાથે વાતો કરી શકે, પ્રાર્થના કરી શકે કે તેમની સાથે ક્રીડા કરી શકે, આશ્વાસન મેળવી શકે કે કૃતજ્ઞતા
પણ વ્યક્ત કરી શકે. ભક્તને સુખ આપવા ઇશ્વરનું અતિ આદરણીય અને અમૂર્ત રૂપ અર્ચારૂપે પૂથ્વી પર આવે છે.
સામાન્ય વ્યક્તિ માટે ઇશ્વરનું અમૂર્ત રૂપ એક ભીતિપ્રેરક વિચાર છે.
વધારે સક્ષ્મ અને ઊંડા ઉતરીએ તો બીજો એક સંદેશ પણ જાણવા મળશે કે તમારી સમક્ષ રહેલી મૂર્તિ ભલે મનુષ્યરૂપે હોય તો પણ તે દિવ્ય છે.
એ તમારા વિશે શું કહે છે ? તે વિશે વિચાર કરો !
તેથી અધ્યાત્મમાં 'પ્રથમ પગલા' રૂપે, સ્પ્રિંગીગ બૉડરૂપે મૂર્તિઓ અનિવાર્ય અને આવશ્યક છે.
જેમ આધ્યાત્મિક વિકાસ થતો જશે, જેમ ધ્યાનમાં ઊંડા ઉતરતા જશો તેમ તમારી નજર સમક્ષ ભૌતિક રૂપ ન હોવા છતાં તમે ઇશ્વર સાથે એકતા સાધી શકશો. જેમ બાળકો મોટા થઈ જાય પછી તેઓ ઢીંગલી સાથે રમવાનું છોડી દે છે તેમ સમય આવ્યે તમને મૂર્તિની જરૂર નહિ પડે. આ છે ધર્મનું પરમ લક્ષ્ય !
પ્ર. સ્વામીજી, આપ ભગવાં વસ્ત્રો કેમ ધારણ કરો છો ? આ એક પશ્ચનનો મારે દરરોજ ઓછામાં ઓછી દસ વાર જવાબ આપવો પડે છે ! ખાસ કરીને ભારતમાં ભગવો રંગ સનાતન સિંદુધર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. મારાં ભગવાં વસ્ત્રો (વાસ્તવમાં તે આછા પીળા રંગનાં છે.) એ સંશયવાદીઓ, વિશેષે આધુનિક યુવાવર્ગને અનેક પ્રશ્નો પૂછવા માટે આકર્ષે છે. રંગચિકિત્સા નામનું એક નવું ક્ષેત્ર અસ્તિત્ત્વમાં આવ્યું છે. એ વિશે તમે સાંભળ્યું છે ?
રંગચિકિત્સા એક હકીકત પર આધારિત છે : રંગમાં સૂક્ષ્મ ગુણો રહેલા છે, જે તમારી મનની સ્થિતિ પર ઊંડી અસર કરી શકે છે. તમને ખ્યાલ આવે કે ન આવે પણ જદા જુદા રંગો તમારામાં જુદા જુદા વિચારો અને ભાવનાઓ ઉત્પન્ન કરે છે.
આ હકીકત અંગે એક ચોક્કસ વૈજ્ઞાનિક ખુલાસો છે :
જેને આપણે વસ્તુનો રંગ કહીએ છીએ તે પ્રકાશની તરંગ લંબાઈ જ છે, જેને તે પરિવર્તિત કરે છે. આપણી પોતાની આસપાસ એક અદેશ્ય વિદ્યત્ ચુંબકીય ક્ષેત્ર છે. (તેને આપણે 'તેજોવલય' – Aura કે જીવનરસ દેહ – Plasma body કહીએ છીએ.) આપણું પોતાનું ચુંબકીય ક્ષેત્ર જદા જદા રંગના તરંગોને પ્રતિક્રિયા આપે છે અને તેનાથી પ્રવાહ કે રાસાયણિક પ્રદ્ધિયાનું નિર્માણ થાય છે. આ પ્રવાહ માટે આપણે 'સંવેદના' કે 'ભાવના' એવો અર્થપૂર્ણ શબ્દપ્રયોગ કરીએ છીએ. દા. ત. કોઈ એક રંગની તરંગ લંબાઈ અને વ્યક્તિના ક્ષેત્રની સમયાવધિ એ બંનેનો એકબીજા સાથે મેળ બેસે ત્યારે સુમેળ અને શાંતિની લાગણીનું નિર્માણ થાય છે.
અલગ અલગ લોકો રંગોને અલગ અલગ પ્રતિભાવ આપે છે. જોકે, તેમાં કેટલીક સામાન્ય સમાનતા દેખાય છે. બેસલમાં વિકસાવેલી લ્યૂશર કલર ટેસ્ટ જુદા જુદા પચીસ રંગોને નકશાથી દર્શાવે છે કે અમુક ચોક્કસ વ્યક્તિત્ત્વ ધરાવતા મોટા ભાગના લોકો સમાન રંગો પસંદ કરે છે.
આ પ્રતિભાવો કેવળ ભાવનાત્મક જ નથી. આપણે શરીરમાં પણ ફેરફારો જોઈ શકીએ છીએ. ઘણુંખરું શરીરમાં ફેરફાર થાય તે પરથી આપણે કહી શકીએ કે અમુક રંગ ખતરનાક, સુખદાયક કે શાંતિપ્રદ છે.
લોકોની સામે લાલ રંગ હોય ત્યારે તેમના શ્વાસ, હૃદયના ધબકાર અને લોહીનું દબાણ વધી જતું જોવામાં આવે છે. તેથી સ્વાભાવિક રીતે આપણે એમ વિચારીએ છીએ કે લાલ રંગ ઉત્તેજનાત્મક અને ખતરનાક છે.
નજર સમક્ષ શુદ્ધ વાદળી રંગ હોય ત્યારે શરીરની પ્રતિક્રિયા તદ્દન વિપરીત (લાલ
રંગથી) જોવા મળે છે. સામાન્ય અનુભવમાં વાદળી રંગ શાંતિકારક ગણાય છે. દરેક માતા જાણે કે બાળકને ઊંઘવાની તકલીફ હોય ત્યારે રૂમમાં વાદળી રંગનો નાઈટલૅમ્પ રાખવાથી બાળક (માતા) ને સારી ઊંઘ આવે છે.
આ રીતે અમુક રંગો પરંપરાગત રીતે અમુક ભાવના અને ગુણ સાથે જોડાયેલા છે. 'રંગચિકિત્સા' એ નામ આપ્યા વગર આપણે એ ચિકિત્સાપદ્ધતિનો સદીઓથી પ્રયોગ કરતા આવ્યા છીએ!
ભારતમાં આહારથી લઈને માનવસ્વભાવ સુધીની દરેક વસ્તુનું તેમના જન્મજાત ગણના આધારે ત્રણ વિભાગમાં વર્ગીકરણ કર્યું છે : સાત્ત્વિક (શાંત), રાજસિક (સદ્રિય) અને તામસિક (નિષ્ઠિય). એ જ રીતે રંગોનું પણ ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરી શકાય. દા. ત. લાલ રંગ રાજસિક છે. તે મગજમાં દ્વિયાને ઉત્તેજિત કરે છે. તેથી લાલ રંગ ભયસચક રંગ કહેવાય છે; પ્રેમનો રંગ પણ લાલ છે.
સફેદ સાત્ત્વિક રંગ છે..સફેદ વસ્ત્ર ધારણ કર્યાં હોય ત્યારે શક્તિનો સૂંદર પ્રવાહ વહે છે. સફેદ રંગ મનુષ્યને વધારે શાંત અને ગ્રાહ્ય બનાવે છે. માહિતીને સારી રીતે આત્મસાત કરવામાં સફેદ રંગ મદદરૂપ થાય છે. તેથી સમગ્ર વિશ્વમાં શાળાના ગણવેશ માટે સફેદ રંગને પસંદ કરવામાં આવે છે. તે જ પ્રમાણે ભગવા રંગમાં પણ શાંતિ નિર્માણ કરવાની શક્તિ રહેલી છે. એ તમારી જીવનશક્તિને ઉદ્દિપ્ત કરે છે અને પહેરનાર અને જોનાર બંનેના મનમાં ધ્યાનાવસ્થા જેવી શાંતિનું નિર્માણ કરે છે. અધ્યાત્મ ગુરૂઓ ભગવા રંગનાં વસ્ત્રો ધારણ કરે એવી એક સામાન્ય પ્રથાની પાછળ આ કારણ રહ્યું છે. જોકે એને હિંદુત્વ સાથે કોઈ સંબંધ નથી.
બિલકુલ સ્પષ્ટ રહો : જૂના વિધિવિધાનોમાં કોઈને કોઈ વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે. વિધિવિધાન અનેક પ્રબુદ્ધ ગુરુઓનાં તપ અને સદીઓના જ્ઞાનના સત્તવરૂપ છે. આજે વિધિવિધાનો તેમની વિશ્વસનીયતા ખોઈ બેઠાં છે, કારણ કે કાળાંતરે આપણે તેનો સાચો અર્થ જ ભૂલી ગયા છીએ. વિધિવિધાનનું બાહ્ય કોચલું રહી ગયું પણ તેનો
અંદરનો પ્રાણ ચાલ્યો ગયો છે.
આજે વિજ્ઞાન પણ સંમત થાય છે કે અમુક રંગ, અવાજ કે ક્રિયા એ આપણા મનની સ્થિતિ પર ઊંડી અસર કરી શકે છે, મગજના ઇચ્છનીય ભાગને કાર્યાન્વિત કરી શકે છે અને આપણી ચેતનાનો વિસ્તાર પણ કરી શકે છે. કર્મકાંડ અને વિધિવિધાન પાછળ રહેલા વિજ્ઞાનને સમજી ન શકવાથી તેના મહત્ત્વનો અનાદર કરવો એટલે બૅક્ટેરિયાને તમે પોતે જોયા નથી તેથી તેના અસ્તિત્ત્વનો સ્વીકાર, કરવાની ના પાડવી એના જેવી વાત થઈ.
આજે તમને કર્મકાંડ ભલે અસંગત લાગે પણ તેની સાચી શક્તિને ક્યારેય ઊણી ન આંકતા. વિધિવિધાન યથાર્થ રીતે કરવામાં આવે તો મનુષ્યને પરિવર્તન અને જાગૃતિના એક અકલ્પનીય સ્તર સુધી લઈ જવાની તેનામાં અદ્દભુત શક્તિ રહેલી છે..