પરંપરા પરથી રહસ્યનો પડદો ઊઠે છે.
પરંપરા પરથી રહસ્યનો પડદો ઊઠે છે.
ે. સ્વામીજી, આધ્યાત્મિક જીવન જીવવા માટે શાકાહાર જરૂરી છે ? . હા !
હવે તમે વિચાર કરતા થઈ ગયા હશો કે શા માટે ?
મારા અંગત અનુભવના આધારે હૂં તમને કહી રહ્યો છૂં એમ કહીશ તો કદાચ તમને મારી વાત માનવામાં ન પણ આવે.
કારણ કે દરેક વસ્તુ માટે 'વૈજ્ઞાનિક પુરાવા' માગવાની આપણા મનને એક આદત પડી ગઈ છે. આઈન્સ્ટાઈનની 'દેશ-કાળ' ની સંકલ્પના હોય કે કવોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો હોય – આ તત્ત્વોને આપણા રોજિંદા જીવનમાં ક્યારેય જોયા નથી. (ક્યારેય
જોશું પણ નહિ.) તો પણ તેને સ્વીકારી લઈએ છીએ, કારણ કે પ્રયોગશાળામાં તે વિશે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના સમર્થનમાં કેટલીક હકીકતને આંકડામાં
(જે કદાચ તમે સમજી ન પણ શકો) રજૂ કરવામાં આવી છે. તેથી આપણે માની લઈએ છીએ.
જોકે, વિશ્વનાં મહત્તમ સત્યોને વિજ્ઞાન પુરવાર કરી શકતું નથી : એ સત્યો વિજ્ઞાનથી પર છે.આઈન્સ્ટાઈન અને અત્યાધુનિક કવોન્ટમ ભૌતિકશાસ્ત્રીઓ પણ એ વાત સાથે સંમત થશે!
ચાલો અધ્યાત્મ જીવનમાં શાકાહારના લાભો વિશે મને વૈજ્ઞાનિક સ્પષ્ટતા કરવા દો. આ વાત સારી રીતે સમજવા માટે સૌથી પહેલાં માનવમગજ કઈ રીતે કામ કરે છે તે વિશે તમારે કંઈક જાણવું પડશે.
પ્રવૃત્તિને મગજ સૂક્ષ્મ વિદ્યત્વાહમાં નોંધે છે. મગજ માહિતી મેળવે છે કે અમુક
કામગીરી બજાવે છે ત્યારે તે વિવિધ લય અને પનરાવર્તનના નિયતક્રમમાં વિદ્યતપ્રવાહો પેદા કરે છે. આ પ્રવાહોને મગજના તરંગો કહેવામાં આવે છે.
વિવિધ પ્રવૃત્તિને સમાંતર ચાર પ્રકારના મૂળભૂત મગજના તરંગો છે.
ડેલ્ટા તરંગ (ગાઢ નિદ્રાવસ્થામાં ઉત્પત્ર થાય છે.), આલ્ફા તરંગ (ધ્યાનાવસ્થામાં ઉત્પન્ન થાય છે.), થેટા તરંગ (પ્રૂબળ લાગણીની અવસ્થામાં ઉત્પન્ન થાય છે.) અને બેટા તરંગ (જટિલ ગાણિતિક કે વિશ્ર્લેષણાત્મક કામ દરમિયાન મગજનો અગ્રભાગ કાર્યાન્વિત થાય ત્યારે ઉત્પન્ન થાય છે.)
આલ્ફા તરંગોથી શાંતિ, વિશ્રાંતિ અને સ્વસ્થ એકાગ્રતાની લાગણીનો અનુભવ થાય છે. આ પ્રકારની લાગણીનો અનુભવ એ ધ્યાન અને ટેલિપથીની ખાસ વિશેષતા છે. ધ્યાનની તમામ ટેકનિકો, સભાન કે અભાનપણે, મગજમાં આલ્ફા તરંગો પેદા થાય તે માટે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયાસ કરે છે.
આલ્ફા તરંગોની એક વિચિત્રતા એ છે કે જ્યારે મગજમાં આૅક્સિજનનો પરવઠો ઓછો હોય ત્યારે મગજ આ તરંગો ઉત્પત્ર કરે છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ઑક્સિજનનો પરવઠો ઓછો હોય ત્યારે મગજની પ્રવૃત્તિ ઓછી થઈ જાય. પરંત હકીકત એ છે કે મગજમાં ઑક્સિજનનો પરવઠો ઓછો હોય તે સમય દરમિયાન મગજ વધારે કામ કરે છે. મગજમાં રહેલી રક્તવાહિની પહોળી થાય છે અને લોહીના વધારે પ્રવાહને અંદર આવવા દે છે. આથી આરામદાયક લાગણીનું નિર્માણ થાય છે. સાથે સાથે મગજ 'આરામદાયક' આલ્ફા તરંગો ઉત્પત્ર કરવાનું શરૂ કરી દે છે. .
તેથી આલ્ફા તરંગ નિર્માણ કરવા માટેની એક મુખ્ય શરત એ છે કે મગજના ઓક્સિજનના પુરવઠાને ઓછો કરવો. આ થઈ આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ તેનાથી વિપરીત વાત. તેનાથી મગજને કોઈ પણ રીતે અવળી અસર થતી નથી.
ફરી એક વાર કાંઈ જ રહસ્યમય કે ગૃઢ નથી !
હવે આહારના વિષય પર આવીએ.
અતિશય અમ્લતા એ માંસનો ગણધર્મ છે. તે લોહીમાં સીધં અમ્લતાનં પ્રમાણ વધારે છે. આને પહોંચી વળવા ફેફસાં ઓછા પ્રમાણમાં કાર્બનડાયોક્સાઈડ લે છે (એ પણ આમ્લિક છે.) અને વધારે પ્રમાણમાં ઑક્સિજન લે છે. તેથી મગજને પહોંચતાં લોહીમાં ઑક્સિજન વધારે અને કાર્બનડાયોક્સાઈડ ઓછો હોય છે.
એથી ઊલટું શાકભાજી લોહીની અમ્લતાને ઓછી કરે છે. લોહીમાં pH નું સંતુલન (ઍસિડ - આલ્કલી સંતલન) જાળવી રાખવા ફેફસાં વધારે આમ્લિક કાર્બનડાયોક્સાઈડ લે છે. તેથી મગજને પહોંચતાં લોહીમાં ઑક્સિજન ઓછો જોવા મળશે. આનાથી આલ્ફા તરંગો ઉત્પત્ર કરવા માટે મગજને માટે સંપૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થાય છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં પણ મદદરૂપ થાય છે.
હવે તમને ખ્યાલ આવશે કે પ્રાચીન સમયમાં ઋષિમનિઓ શા માટે ઓક્સિજનનું સ્તર ઓછં હોય એવી વધારે ઊંચાઈએ ( દા.ત. હિમાલય) રહેવાનું પસંદ કરતા હતા.
જોકે, જજ લોકો શાકાહાર પાછળ રહેલા વિજ્ઞાનને જાણે છે અને જાણવાની જરૂર પણ નથી. શાકાહાર લેશો એટલે તમને આપોઆપ ફરક જોવા મળશે.
એક વાર નિયમિત ધ્યાન શરૂ કરશો એટલે શરીર ધીરે શદ્ધ થવા માંડશે અને તે વિશેષ ધ્યાનને યોગ્ય થતે જશે. પેંટમાં ગરબડ હોય ત્યારે ક્યો ખોરાક ન ખવાય તેની શરીરને ખબર પડે છે તેમ ધ્યાન માટે ક્યો આહાર બાધારૂપ છે તે તમને ખબર પડશે એટલે તમે તેને આપોઆપ છોડી દેશો.
પણ હું તમને કહું છું કે શાકાહાર તમારા પર બળજબરીથી ઠોકી બેસાડશો નહિ. તેમ કરવાથી દબાયેલી ઇચ્છાઓ વધારે પ્રબળ બનશે અને તેની અસરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડશે.
વધારે તકલીફ વિના આસાનીથી માંસાહાર છોડી શકતા હોત તો છોડી દો.
નહિતર આગળ વધો અને ચિંતા કે અપરાધભાવ વિના મજા માણો.
મહેરબાની કરીને એ માટે મનમાં અપરાધભાવ ન લાવશો !
કારણ કે માનસતંત્રમાં શક્તિને રૂંધવાનું સૌથી મોટૂં કારણ અપરાધભાવ છે અને એ માંસ કરતાં પણ વધારે નકસાન પહોંચાડી શકે છે.
તમારું શરીર એ માટે તૈયાર થશે તો એ આદત આપોઆપ છૂટી જશે.
પ્ર. સ્વાસ્થ્ય માટે ઉપવાસ ખરેખર લાભદાયી છે ?
હા.
ઉપવાસ યોગ્ય રીતે કરવામાં આવે તો એનાથી ચોક્કસ ફાયદો થાય છે.
દિવસેદિવસે આપણી આહારની ટેવો એટલી બગડતી જાય છે કે તેને લીધે આજે આપણને ઉપવાસનું મહત્ત્વ સૌથી વધારે જણાય છે !
એમ ન વિચારશો કે ઉપવાસની પાછળ કેવળ ધાર્મિક ઉદ્દેશ્ય હોય છે. આ બધી વિધિઓ પાછળ અમૂક ચોક્કસ વૈજ્ઞાનિક કારણો રહેલાં છે.
સંસ્કૃતમાં કહ્યું છે : 'અન્નમુ બ્રહ્મ્ય' – અન્ન દેવ છે.
અન્ન એ શક્તિ છે અને તે આપણા શરીરને ટકાવે છે. ભોજંન ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ.
પરંતુ સામાન્ય રીતે આપણે પેટ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ ? જે તે વસ્તુ પેટમાં હોમીએ છીએ !
મનુષ્ય સિવાય બીજું કોઈ પણ પ્રાણી બે કે ત્રણ પ્રકારના ખોરાકથી વધારે ખાતું નથી.
હકીકતમાં પાલતું પ્રાણી સિવાયનાં બીજાં પ્રાણીઓ તો આખી જિંદગી કેવળ એક જ પ્રકારનો ખોરાક લે છે. સિંહ કેવળ માંસ જ ખાય છે. હરણ કક્ત ઘાસ જ ખાય છે. એક જ ખોરાકમાંથી તેમનાં શરીરને જરૂરી પોષણ મળી રહે છે.
એટલં જ નહિ, દરેક પ્રાણી એક સમયે જરૂરિયાત પૂરતું જ ખાય છે, એથી સહેજે વધારે નહિ. 'ખાવાનો લોભ' એવી વાત પ્રાણીજગતમાં ક્યારેય સાંભળવામાં આવી નથી. શિશુને જુઓ. ગમે તેટલું દબાણ કરશો તો પણ તે જરૂરિયાત કરતાં એક પણ ટીપું વધારે દૂધ નહિ પીએ. જ્યારે પેટ આપણને ગમે તેટલાં ચેતવણીનાં સંકેતો આપ્યાં કરે પરંતુ આપણે તેને કાને ધરતાં જ નથી. તમામ પ્રકારનો ખોરાક અને જરૂરિયાત કરતાં પણ વધારે પેટમાં ઠાંસીઠાંસીને ભરીએ છીએ. પેટ જાણે ખોરાક ઠાલવવા માટેની કચરાપેટી ન હોય !
આહારનો હેતુ શું છે ? શરીરને તાકાત મળે.
પરંતુ સામાન્ય રીતે જમ્યા પછી આપણને તાકાતનો અનુભવ થાય છે ? ના ! મોટે ભાગે જમ્યા પછી આપણને આડે પડખે થવાની ઇચ્છા થાય છે. જમ્યા પછી ઊંઘ આવે છે એમ કહેવું એટલે સૂરજ ઊંગવાથી અંધકાર વધે છે એમ કહેવા બરાબર છે. એ તદ્દન અસ્વાભાવિક છે.
આપણે શું ખોટું કરી રહ્યા છીએ ?
ખોરાકથી આપણા પાચનતંત્રને રૂંધી નાખીએ છીએ !
આહારથી જેટલી શક્તિ છૂટી થાય છે તેના કરતાં પાચનક્રિયામાં શક્તિ વધારે વપરાય છે. આમ ખરેખર તો જમ્યા પછી શક્તિમાં ઘટાડો થાય છે !
શરીરની પાચનશક્તિ જઠરાગ્નિ તરીકે ઓળખાય છે - મૂળભૂત અગ્નિતત્ત્વ.
પંચમહાભૂત પૈકી અગ્નિ એ પદાર્થ અને શક્તિનું મિલનબિંદુ છે. અગ્નિમાં એટલું સામર્થ્ય છે કે તે પદાર્થનું શક્તિમાં રૂપાંતર કરે છે.
Part 3: Open the Door... Let the Breeze in!_Gujarati_part_3.md
સામાન્ય દિવસોમાં અતિશય અને અવિચારીપણે ખાઈને પેટમાં દાટો કરીએ ત્યારે જઠરાગ્નિની તમામ શક્તિ તે ખોરાકને પચાવવામાં અને શરીરમાં ફેલાયેલા ઝેરને દૂર કરવામાં જ ખર્ચાઈ જાય છે. આમ જઠરાગ્નિની શક્તિને કેવળ 'જાળવણી' ના કાર્યમાં જ રોકાઈ રહેવું પડે છે. આથી જઠરાગ્નિને તેની અન્ય મહત્ત્વપૂર્ણ ફરજો
બજાવવાની તક જ મળતી નથી.
જઠરાગ્નિ એ શરીરને શુદ્ધ કરનાર એક પરિબળ છે. ઉપવાસ કરીએ ત્યારે જઠરાગ્નિ શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને બાળી નાખે છે તેમજ શરીરમાં ભેગી થયેલી નકારાત્મક શક્તિને પણ દૂર કરી નાખે છે.
જેમ આહારની ખોટી આદતો ચરબીનું નિમિત્ત કારણ છે તેમ આપણી દબાયેલી લાગણીઓ સૂક્ષ્મ શરીર પર એક આવરણ ઊભું કરે છે. વર્ષો પછી જેમ કોલેસ્ટ્રોલ ધમનીને રૂંધી નાખે છે અને હૃદય સુધી વહેતા લોહીના પ્રવાહને અસ્તવ્યસ્ત કરી નાખે છે તેમ 'શક્તિના અવરોધો' શરીરમાં મુક્તપણે વહેતી શક્તિમાં વિક્ષેપ ઊભા કરે છે.
જે દિવસે પેટને આરામ આપીએ તે દિવસે શક્તિના અવરોધોને ઓગાળવા માટે અને નકારાત્મક શક્તિને સકારાત્મક શક્તિમાં ફેરવી નાખવા માટે જઠરાગ્નિ ઉપલબ્ધ હોય છે.
એટલા માટે ઉપવાસને દિવસે મોટા ભાગે શરીરમાં હળવાશ અને સ્ફૂર્તિ લાગે છે; થાક નહિ !
પ્રયત્ન કરી જુઓ.
હકીકતમાં ઉપવાસને દિવસે ઈલાજ અને ધ્યાન એ બંનેનું પણ ખરેખર સારૂં પરિણામ જોવા મળે છે.
પરંતુ મધુપ્રમેહ કે અમ્લપિત્તના દર્દીએ ઉપવાસ કરતાં પહેલાં ડૉક્ટરની અવશ્ય સલાહ લેવી.
ફરી એક વાર કાંઈ જ રહસ્યમય કે ગૂઢ નથી !
અમુક દિવસે ઉપવાસ કરવો એ જરૂરી નથી. એ તો કેવળ સામાજિક રૂઢિ છે. જોકે, ચોક્કસ દિવસે ઉપવાસ કરવાની પ્રથાનું અનુસરણ કરવાથી જીવનમાં જાગરુકતા અને નિયમિતતા સહેલાઈથી આવે છે. (દા. ત. દર શુક્રવારે કે દર પૂર્ણિમાના દિવસે)
પખવાડિયામાં ઓછામાં ઓછો એક વાર ઉપવાસ કરવો એ શરીરશુદ્ધિ માટે શ્રેષ્ઠ ઉપાય છે. સંપૂર્ણ ઉપવાસ (કેવળ પાણી પીને) ઉત્તમ છે, પણ તેમ ન થઈ શકે તો ફળના રસ અને ફળના આહાર પર ઉપવાસ કરી જુઓ.
આ તમે ધારો છો એટલું અઘરું નથી. કકડીને ભૂખ લાગે તે પછીના થોડા કલાકમાં ભૂખ એની મેળે શમી જાય છે.
ચિંતા ન કરો. તમને કાંઈ નહિ થાય - તમે મરી નહિ જાઓ !
તમે જાણો છો, એક તંદુરસ્ત માણસ માત્ર પાણી પર ૯૦ દિવસ સુધી ટકી શકે છે; ૯૦ દિવસ સુધી ચાલે એટલી તાકાત આપણા શરીરમાં અનામત હોય છે. હું એટલું જ કહું છું, ૨૪ કલાક પૂરતો તમારા પેટને આરામ આપો !