Chapter 5

તમારી ફરજ બજાવતા રહો !

1 sections

તમારી ફરજ બજાવતા રહો !

કર્તવ્ય વિરુદ્ધ જવાબદારી

એક પ્રાચીન ભારતીય કથા છે :

એક વાર એક રાજા શિકાર માટે વનમાં જવા નીકળ્યા. અચાનક તેમના કાન વાંસળીના મધુર સ્વરો પડયા અને રાજા મંત્રમૃગ્ધ થઈ ગયા.

આ સંગીતના સૂર ક્યાંથી આવે છે તે જાણવા રાજા ચાલી નીકળ્યા. એવામાં તેમણે જોયું કે એક માણસ કૃટિરની બહાર બેસીને નદી અને પવનને સંભળાવવા માટે વાંસળી વગાડતો હતો.

રાજાએ તે માણસને પ્રશ્ન કર્યો, તું વાંસળી અદ્દભૂત વગાડે છે. તને વાંસળી વગાડતાં કોણે શું શીખવ્યું ?

ઓહ, કોઈએ નહિ ! તે માણસે સ્મિત વેરતાં કહ્યું. અહીં બેસું અને પ્રકૃતિનાં અનુપમ દશ્યો નિહાળું એટલે ગીત આપોઆપ સરી પડે છે. નિજાનંદને વ્યક્ત કરવાની મારી આ અનોખી રીત છે.

રાજા પ્રભાવિત થઈ ગયા. તેમના રાજમહેલમાં કોઈ સંગીતકાર આટલું સુંદર વગાડી શકતો નહોતો. રાજાએ નક્કી કર્યું કે આ માણસને મારી સાથે રાજમહેલમાં લઈ જવો એ એક સારો વિચાર કહેવાય.

એ માણસના વિરોધ છતાં રાજા તેને મહેલમાં લઈ આવ્યા. આહૂલાદક સંગીતથી રાજાનું મનોરંજન કરવું એ તેનું અહીં એક માત્ર કર્તવ્ય હતું. રાજવી ઉદ્યાનને બદલે રાજમહેલના એક ઉત્તમ ખંડમાં તેના રહેવાની વ્યવસ્થા કરી.

બીજે દિવસે વહેલી સવારે રાજા ઊઠયા અને પેલા માણસને ઉદ્યાનમાં બોલાવ્યો. ચાલ, એક ગીત સંભળાવ ! રાજાએ આદેશ આપ્યો.

રાજાની આજ્ઞાને માથે ચડાવી તેણે વાંસળીના સૂર છેડવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમાંથી સંગીત વહ્યું જ નહિ !

રાજા સ્તૂબ્ધ થઈ ગયા.

શું વાત છે ? શું આ રાજવી ઉદ્યાનમાં સૌંદર્યની કમી છે ? શું અહીં તને સંગીતની પ્રેરણા મળતી નથી ? રાજાએ પૂછ્યું.

ના. જહાંપનાહ ! ઉદ્યાન સુંદર છે પણ મારા સંગીત અને ઉદ્યાનની સુંદરતા એ બે વચ્ચે તાલમેલ જામતો નથી, એ માણસે દ્રુખી થઈને કહ્યું.

શા માટે ? રાજાએ પૂછ્યું.

કારણ કે ગઈ કાલે સંગીત નિજાનંદ માટે હતું આજે તે મારૂં કર્તવ્ય બની ગયું છે !


કરજ ખરેખર એક આપત્તિજનક શબ્દ છે!

આનંદને દઃખમાં પલટી નાખવાની આટલી ભયંકર ક્ષમતા બીજા કોઈ શબ્દ પાસે નથી.

ફરજ આજના આપણા યુગનો પ્રાયઃ સૌથી નિંદનીય શબ્દ હશે.

સભ્યતાના ઇતિહાસમાં જોઈએ તો દરેકને પોતાની ફરજ બજાવવાના મહત્વ અંગે એટલં બધું કહેવાયું છે અને લખાયું છે કે હવે એ પૂછવાનો સમય આવ્યો છે : ખરેખર આપણી ફરજ શું છે ?

ફરજ એટલે ખોટા કારણ માટે સાચું કામ કરવું.

મલ્યની ભાવના આપણા પર બહારથી લાદવામાં આવે ત્યારે કરજની શરૂઆત થાય છે. જ્યારે તમે સાચી વસ્તુ આનંદ અને સંતોષના ભાવ વિના કરો છો એમ તમને લાગે તો તેનો સામાન્ય અર્થ એ થાય કે તમે કેવળ ફરજ અદા કરો છો. 'દરેકે પોતાની ફરજ બજાવવી જોઈએ' એ વિચારની વિરૂદ્ધ દરેક વ્યક્તિ છૂપી રીતે બંડ કરે છે એ નિરપવાદ વાત છે.

પણ ફરજ બેધારી તલવાર છે !

કેવળ ફરજને ખાતર ફરજ અદા કરશો તો અંતે તમને અણગમાની અને નિરાશાની લાગણીનો અનુભવ થશે, પણ જો ફરજ નહિ બજાવો તો તમને અપરાધભાવ થશે ! બંને રીતે ફરજ તમને આનંદની કોઈ તક આપતી નથી.

ફરજની જાળમાં આપણે ફસાઈ ગયા છીએ એવું ક્યારે લાગે ? દ:ખદ સત્ય એ છે કે આપણામાંના ઘણાખરા લોકોમાં જીવન પોતાની શરત પ્રમાણે જીવવાની હિંમત જ હોતી નથી. તેથી આપણે સામાજિક, નૈતિક, કાનુની – આવી કેટલીય સંસ્થાઓનો આશ્રય શોધીએ છીએ. પણ એક વાત આપણે ભલી જઈએ છીએ કે જીવનમાં કોઈ જ વસ્તુ મફત મળતી નથી ! બદલામાં આ સંસ્થાઓ આપણા પર ફરજો લાદે છે. આખરે આપણા નિયંત્રણો હંમેશાં બીજાના જ હાથમાં હોય છે ! પણ આપણે એટલી ગાઢ સુષુપ્તિમાં જીવીએ છીએ કે આપણે ફરજની જાળમાં ફસાઈ ગયા છીએ તેની ખબર પણ પડતી નથી.

એક માણસ સંન્યાસ લેવા માટે બુદ્ધ પાસે આવ્યો. બુદ્ધના શિષ્ય બનવાની તેની ઇચ્છા હતી.

બુદ્ધે સ્મિત સાથે તેને કહ્યું, ભલે, હું તારો સ્વીકાર કરીશ પણ એક શરતે. પહેલાં તું તારા મિત્રો અને તારા પરિવારની હત્યા કર અને પછી મારી પાસે આવ.

એ માણસ ડઘાઈ ગયો. બુદ્ધ કહેવા શું માગતા હતા ?

શું બુદ્ધ પેલા માણસને તેના પરિવાર અને મિત્રોની શારીરિક હત્યા કરવાનું કહેવા માગતા હતા ?

ના ! તેમનું કહેવાનું તાત્પર્ય એ હતું કે જા. તારી અંદર સમાજના અવાજો રહેલા છે, જે તને સતત સૂચનાઓ આપે છે અને ખલેલ પહોંચાડે છે તેની હત્યા કર. હકીકતમાં નહિ પણ માનસિક રીતે તેમની હત્યા કર. તારા જીવન પર તેની અસર છે તેને તું દૂર કર.

તમારા જીવનને નજીકથી જુઓ.

કેટકેટલા માણસો તમારા મસ્તિષ્કની અંદર બેસીને તમારે શું કરવું, કેમ જીવવું તે વિશે સૂચનાઓ આપતા રહે છે ? કેટલાય માણસો તમને કહે છે કે તમારે માટે શું સાચું છે અને શું ખોટું છે ? તમારા જીવનનું નિયમન ક્યા લોકો કરે છે ? તમારા માતાપિતા. તમારા સંતાનો. તમારા જીવનસાથી. તમારા મિત્રો. અપરિચિતો. સમાજ. કાયદો. નીતિવિષયક તમે જેટલાં પુસ્તકો વાંચ્યાં છે તેનાં તમામ લેખકો, જેટલી કથાઓ સાંભળી છે તેના તમામ કથાકારો !

જગતમાં કેટલાય લોકો એવું કહેનારા છે કે તમારે શેનો ત્યાગ કરવો અને કોને માટે ત્યાગ કરવો : તમારા કુટુંબ માટે, સંતાનો માટે, સમાજ માટે, તમારી માતૃભૂમિ માટે, ફિલસૂફી માટે, ઇશ્વર માટે.. ... ... !

હત્યા કરવી એ મારી ફરજ છે એવું દરેક દેશભક્ત વિચારે છે. પૃથ્વી પરના તમામ યહૂદીઓને મારી નાખવા તેને હિટલર પોતાની પવિત્ર ફરજ ગણતો હતો.

કાંઈ નહિ તો છેવટે યુદ્ધમાં તો લોકો ફરજને ખાતર દુશ્મનોની હત્યા કરતા હોય છે. તમે તમારી જાતને મારો છો !

આ એક પ્રશ્ન તમે તમારી જાતને સભાનપણે પૂછો : હું મારી ફરજ અદા કરું છું તેની પાછળ ખરાં કારણો કયાં છે ?

કોઈને રાજી કરવાની ઇચ્છા ?

અમાન્યતાનો / અસ્વીકારનો ડર ?

અપરાધની ભાવના ?

નૈતિક રીતે ચડિયાતા હોવાનું અહમ્ ?

છેલ્લાં પાંચ વરસથી તમે જે કરજો બજાવી રહ્યા છો તેની એક યાદી તૈયાર કરો. હમણાં જે કરજો બજાવી રહ્યા છો તેની નીચે નિશાની કરો.

તમારી જાતને પૂછો, શું એ યોગ્ય હતી ? શું ફરજ બજાવવાથી તમને વધારે સંતોષ અને આનંદની લાગણી થઈ હતી ? કે પછી તમારા મનમાં અસ્પષ્ટ અણગમાનો ભાવ જાગ્યો હતો ?

હવે આ કરો. આ મહત્વનું છે.

દરેક વખતે કોઈને માટે કંઈક કરવાથી તમને અતિશય આનંદ થયો હોય તેની એક નોંધ તૈયાર કરો.

એ ક્યા પ્રસંગ હતા ? એ ક્યા લોકો હતા ?

જ્યારે તમે અતિશય નિષ્કામભાવે કોઈ કર્મ કર્યું હોય – જ્યારે તમે સ્વેચ્છાએ તમારા ધ્યાનને તમારા તરફથી બીજા તરફ વાળ્યું હોય એ કયો સમય હતો ? એ કદાચ તમારી પ્રેયસી, તમારા સંતાન કે તમારા શ્રેષ્ઠ મિત્ર પણ હોઈ શકે.

જે કર્મ પ્રેમથી કરવામાં આવે તેમાં ક્યારેય રોષ કે અણગમાની લાગણી હોતી નથી. આ એક નિર્વિવાદ હકીકત છે. તેમાં ફરજનો બોજ પણ હોતો નથી. પ્રેમ એ કર્તવ્યની કેદમાંથી મુક્ત કરવાની ચાવી છે !

આ કોઈ નૈતિક વિધાન નથી.

તમે માનો કે ન માનો, તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ આપણે સૌ એકબીજા સાથે ગાઢપણે સંકળાયેલા છીએ.

જેમ પૃથ્વીના પર્યાવરણ તંત્રમાં દરેક જીવંત વસ્તુ (ઑર્ગેનિઝમ) ભૌતિક સ્તરે એકબીજાથી જોડાયેલી છે તેમ આપણી જાણકારી વિના આપણે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છીએ.

આ છે આપણા જીવનની વાસ્તવિકતા.

આ હકીકતને ઓળખવી એ પરિપક્વતાની નિશાની છે.

અન્ય માટે પ્રેમ અનુભવીએ ત્યારે આ છલાંગ સહેજે જ જાગૃતિ તરફ હોય છે. !

લોકો મારી આગળ ફરજ વિશે વાત કરે છે ત્યારે હું તેમને કહું છું,

તમે જે કરી રહ્યા છો તે તો બરાબર છે.

પણ તેની પાછળનું કારણ ખોટું છે !

સભાનતા વિના જીવો પણ આંત સ્કૂરણા વિના નહિ.

તમારા ડર પર વિશ્વાસ ન મૂકો. તમારી બુદ્ધિનો વિશ્વાસ કરો.

ભય કે અપરાધ વિના પણ તમે યોગ્ય માર્ગે આપોઆપ ટકી રહેશો. તમે મને કદાચ પૂછશો, હું જેને પ્રેમ કરું છું તેમના પ્રત્યે જ મારી મોટા ભાગની ફરજો હોય છે તેમ છતાં હું આટલી બધી માનસિક તાણ કેમ અનુભવું છું ? કારણ કે રોજિંદા જીવનની ખેંચતાણમાં તમે' પ્રેમનું લક્ષ્ય ક્યાંક ખોઈ બેઠા છો ! જવાબદારીની સ્વાભાવિક ભાવના અને કર્તવ્યની બળજબરીપૂર્વકની ભાવના એ બંનેની અદલાબદલી થઈ ગઈ છે.

જવાબદારી અને કર્તવ્ય વચ્ચે બહુ મોટો તફાવત છે.

જવાબદારીનો શાબ્દિક અર્થ છે પ્રતિભાવ આપવાની ક્ષમતા. જવાબદારી એટલે અન્યની જરૂરિયાત પ્રત્યે તત્કાળ પ્રતિભાવ આપવાની ક્ષમતા.

અપરિચિત વ્યક્તિને બચાવવા સળગતા ઘરમાં દોડી જવાની પ્રેરણાને જવાબદારી કહે છે. કર્તવ્યની ભાવનાથી આ કામ સંપન્ન થયું ન હોત !

જવાબદારી પ્રેમમાંથી સહજ સ્ફૂરે છે. તમે બીજા કરતાં અલગ નથી એ જાણો એટલે તમારામાં જવાબદારી જન્મે છે.

એ ઊંડી સમજણમાંથી જન્મે છે :

તમે છો, માટે હું છું.

એક વાર જવાબદારીની ભાવના જન્મશે એટલે ફરજ શબ્દ આપોઆપ અદશ્ય થઈ જશે.

Part 2: Open the Door... Let the Breeze in!

દરેક વ્યક્તિ જાણે છે ... !

તમારી બુદ્ધિનો વિશ્વાસ કરો

થોડાં દિવસ પહેલાં મેં એક લોકપ્રિય ગિયર બ્રાન્ડ રમતની જાહેરખબર જોઈ. એ ચિત્રમાં દર્શાવ્યું હતું કે એક માણસ એ રમતની હરીફાઈમાં ભાગ લેવા માટે સખત મહેનત કરીને પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો. મથાળે લખ્યું હતું : શરીર તમને થોભો એમ કહે તો તમે શરીરને ચુપ થા એમ કહો. તમે કેટલી વાર તમારા શરીરને ચૂપ થવાનું કહો છો ? મારું અનુમાન છે કે મોટે ભાગે ! સવારમાં જાગ્યા તે ક્ષણથી જ તમારા શરીર સાથે આ ગજગ્રાહ શરૂ થઈ જાય છે. તમને ખ્યાલ છે કે મનુષ્ય જ એક એવું પ્રાણી છે જેને સવારે ઊઠવા માટે ઍલાર્મ ક્લોકની જરૂર પડે છે, કારણ કે પ્રકૃતિના લયથી તેનો તાર તદ્દન તૂટી ગયો છે. ઊઠો એટલે હજી વધારે સૂવા માટે શરીર બૃમો પાડે છે. આગલી રાતનો થાક હજી ઉતર્યો નથી, પણ આજે સોમવારની સવાર છે. તેથી શરીરને ચૂપ થવાનું કહો છો. ઓફિસમાં કમ્પ્યુટર સાથે કલાકો ગાળ્યા પછી આંખો સૂકાઈ ગઈ છે, પણ પ્રકલ્પનો અહેવાલ પૂરો કરવાનું કામ હજી બાકી છે. તેથી શરીરને શું કહેશો ? બસ, ચૂપ ! પાર્ટીમાં વધારે પડતું ખાઓ કે પીઓ, મોડી રાત સુધી ટીવી જોયા કરો, શરીરમાં

ઠીક ન હોય તો પણ કામ ઢસડયા કરો – આમ સતત શરીરની ચેતવણીઓની તમે ઉપેક્ષા કરી રહ્યા છો.

આજકાલ આપણે શરીરને ચૂપ થઇ જવાનું કહેવામાં અભિમાન લઈએ છીએ. દૂષિત હવાથી આપણા ફેફસાં પર, મસાલેદાર અને સ્વાસ્થ્યને નૂકસાન કરે એવા આહારથી પેટ પર અને મદ્યપાનથી આપણા જઠર પર બોજો નાખતાં જ જઈએ છીએ. ધીરેધીરે આપણું શરીર અમુક અંશે સંવેદનશન્ય થઈ જાય છે અને અંતે તે આ બોજને સહી લેવાનું શીખી જાય છે. તેને કારણે આપણી સહિષ્ણતાનો આંક દરરોજ ઊંચો થતો

દરેક વ્યક્તિ જાણે છે.

જાય છે. નશા માટે વધારે પ્રમાણમાં દારૂની અને દુઃખની લાગણીને દૂર કરવા માટે વધારે માત્રામાં પૅઈન કિલરની જરૂર પડે છે.

શરીર અને મન એ બંનેનો એકબીજા પર કેટલો ઊંડો પ્રભાવ છે એ હકીકત જો જાણતા હોત તો આપણે જરૂર આપણા શરીરની સારી કાળજી લેત ! આપણા શરીર પાસે અદ્દભુત બુદ્ધિ છે, જેને પ્રાપ્ત કરતાં ઉત્ક્રાન્તિના ૬૦૦ અબજ વર્ષો લાગ્યાં છે.

સામાન્ય રીતે જેને આપણે જાગૃત કે સજાગ પ્રક્રિયા કહીએ છીએ તેનું નિયંત્રણ કેન્દ્રવર્તી જ્ઞાનતંત્ર (ચેતાતંત્ર) એટલે કે મગજ અને કરોડરજ્જુ કરે છે. સજાગ પ્રક્રિયામાં સ્વૈચ્છિક ક્રિયાઓ, ચિંતન વગેરેનો સમાવેશ થાય છે.

પણ આ સજાગ પ્રક્રિયાઓ તો શરીરમાં ચાલી રહેલી અસંખ્ય ક્રિયાઓમાંનો બહુ થોડો હિસ્સો છે. મોટા ભાગની પ્રક્રિયાઓ અચેતન હોય છે, જેનું નિયમન મોટે ભાગે સ્વયંસંચાલિત જ્ઞાનતંત્ર દ્વારા થાય છે. જેમકે, શ્વાસ લેવો, ખોરાકનું પાચન થવું, ચાલતી વખતે શરીરનું સંતુલન જાળવવું - આ તમામ અચેતન પ્રક્રિયાઓ આપણા

નિયંત્રણ કે આપણી જાણ વગર સુંદર રીતે ચાલ્યા કરે છે. કલ્પના કરી જુઓ કે આપણા શરીરને દોડાવવા માટે આપણે ચિંતા કરવી પડતી હોત તો બીજું કોઈ કામ આપણે ક્યારેય કરી શકત નહિ, પણ આ બધું થાય છે કેવી રીતે ?

આ છે શારીરિક બુદ્ધિનો ચમત્કાર.

તમારા શરીરનું જરા નિરીક્ષણ કરો !

શરીરના દરેક કોષ પાસે પોતાની આગવી કામગીરી બજાવવા માટે બુદ્ધિની દેન છે. શરીરને ચૅપ લાગે અને તેના જોખમની જાણકારી થાય તે પહેલાં જ લોહીના સફેદ કણો આપોઆપ કાર્યાન્વિત થઈ જાય છે.

પરંતુ દુઃખદ સત્ય એ છે કે આપણા શરીરનાં ડહાપણ કે બુદ્ધિમાં આપણને વિશ્વાસ રહ્યો નથી !

થોડી શરદી થાય કે જરા માથું દુખે એવું લાગે કે એટલે તરત જ આપણે ગોળી ગળીએ દળીએ,

પણ શા માટે ? શું તમે દરરોજ જોતાં નથી કે એક વિશાળ ઔદ્યોગિક પ્લાન્ટની જેમ તમારું શરીર કામથી ધમધમે છે ? શરીર સ્વયં એક પર્યાવરણતંત્ર છે. તમારું શરીર ખોરાક પચાવી શકે, લોહી પહોંચાડી શકે અને ચૅપની સામે નિયમિતરીતે લડત

આપી શકે તો શું માથાના દુખાવાને તે ન મટાડી શકે ? ડીએનએનું વિશ્વ જટિલ છે અને આશ્ચર્યકારક પણ છે. એ વિશ્વમાં ડોકિયં કરશો તો જણાશે કે તમારી ભાવનાઓ, તમારી સ્મૃતિઓ અને તમારા અભિપ્રાયોનું નિયંત્રણ દૃઢપણે તમારા શરીર દ્વારા જ થાય છે ! ડીએનએ આપણા જૅનેટિક કૉડના વાહકો છે. શરીરનાં વિશિષ્ટ લક્ષણોની જ નહિ પણ માનસિક સ્થિતિની બ્લૂપ્રિન્ટ પણ તેની પાસે છે. જેનેટિસિસ્ટ કહે છે, પ્રત્યેક વ્યક્તિનું વિશ્વ માટેનું દર્શન વિશિષ્ટ હોય છે અને તે ડીએનએ નિર્માણ કરે છે.

કેવળ શરીરનો જ મન પર પ્રભાવ છે એવું નથી, મનનો પણ શરીર પર અદ્દભુત પ્રભાવ છે.

રોગમાંથી સાજા થઈ ગયા પછી કે ડ્રગના વ્યસનમાંથી પુનર્વસન થયા પછી પણ વ્યક્તિના શરીરમાં તે રોગની કેટલીક સ્મૃતિનું વહન થતું હોય છે. બસ તે જ પ્રમાણે જો તમે સતત ચિંતા કરતા રહો તો ચિંતાને કારણે ઊભી થતી નકારાત્મકતા તમારા શરીરમાં વધારે દૃઢ થતી જાય છે. આને જ આપણે હતાશા કહીએ છીએ. હતાશ વ્યક્તિ પોતે શા માટે હતાશ છે તે કહી શકતી નથી. સમસ્યા ઉકેલાઈ ગયા પછી પણ સમસ્યા સાથે જોડાયેલી માનસિક તાણ લાંબો સમય સુધી સ્મૃતિમાં રહે છે. અને શારીરિક તેમજ માનસિક શક્તિમાં અવરોધરૂપ બની રહે છે.

કેવળ હતાશા જ નહિ પણ લગભગ દરેક રોગ શરીર અને મન બંનેથી સમાન રીતે પ્રભાવિત હોય છે.

હકીકતમાં ૮૫ % થી વધારે રોગોનું સ્વરૂપ મનોશારીરિક પ્રકારનું હોય છે. આપણા વિચારની અસર કેવળ માથાના દુખાવા કે હૃદયરોગ પર જ નહિ પરંતુ પેપ્ટિક અલ્સર, ત્વચા અને શ્વસનતંત્રની ઍલર્જી તેમજ કૅન્સર પર પણ થાય છે.

મન પાસે શારીરિક તકલીકોનાં કારણ અને સારવાર બંને માટે અકલ્પ્ય શક્તિ રહેલી છે.

અમુક છોડની ઍલર્જી ધરાવતાં લોકો પર જાપાનમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. પ્રયોગમાં ભાગ લેનાર તમામની આંખે પટ્ટી બાંધી દીધી. ત્યારપછી જુદાજુદા છોડવાઓનાં પાંદડાંઓ તેમની ચામડી પર મુકવામાં આવ્યાં. દરેક પાંદડું મુક્તી વખતે સંશોધકો તેમને જણાવતા ગયા કે એ ક્યા છોડનું પાંદડં છે.

નવાઈની વાત એ કે વાસ્તવમાં છોડના સ્પર્શથી નહિ પણ છોડના નામના ઉલ્લેખ માત્રથી તેમને ઍલર્જી થતી હતી એ સંશોધકોએ નોંધ્યું. ત્યારપછી ઍલર્જી કરે એવું પાંદડું તેમની ચામડી પર મૂકીને તેમને એમ કહેવામાં આવ્યું કે આ પાંદડાં નિર્દોષ છે. ત્યારે દરદીને એલર્જી ન થઈ. બીજી બાજુ નિર્દોષ પાંદડું તેમની ચામડી પર મૂકીને તેમને કહેવામાં આવ્યું કે આ પાંદડું ઍલર્જી કરે એવું છે. આ સાંભળીને તરત જ દરદીની ચામડી પર લાલ ચકામાં ઊઠી નીકળ્યાં.

આથીયે વધારે આશ્ચર્યકારક પ્રયોગ મનોવૈજ્ઞાનિક ડેનિયલ ગોલમૅને બહમુખી વ્યક્તિત્વ ધરાવતાં એક છોકરા પર કર્યો. આ પ્રયોગ દરમિયાન તેમને જાણવા મળ્યું કે જે સમયે જે વ્યક્તિત્વનું તેનામાં પ્રભુત્વ હોય તેના આધારે તે છોકરાની ઍલર્જીને ખોલબંધ કરી શકાતી હતી !

અમુક વ્યક્તિત્વને અનુરૂપ શરીરને ઍલર્જીક થવાનો કે ન થવાનોં આદેશ આ મન જ આપે છે.

આધુનિક તબીબી વિજ્ઞાન વિવિધ પરિસ્થિતિમાં મગજમાં થતાં રાસાયણિક પરિવર્તનોને શોધવા માટે પેટ સ્કેન નામની ટેકનિકનો ઉપયોગ કરે છે. આ ટેકનિકની મદદથી સંશોધકોએ શોધ્યું છે કે જ્યારે તમે એક અલગ સ્મૃતિને યાદ કરો કે તીવ્ર લાગણી અનુભવો ત્યારે તમારા મગજમાં એક અલગ પ્રકારની રાસાયણિક પૅટર્ન શરૂ થઈ જાય છે.

એટલું જ નહિ પણ એ વિશેના સમાચાર તરત જ તમારા સમગ્ર શરીરમાં પ્રસરી

જાય છે. આનંદ. ક્રોધ કે દુઃખની લાગણી તમે અનુભવો કે તરત જ તેનો સંકેત તમારા શરીરના દરેક કોષને પહોંચી જાય છે.

તેથી તમારું શરીર તે ક્ષણે તમે જે વિચારી રહ્યા છો તેનું જ ખરેખર પરિવર્તિત પ્રતિબિંબ છે !

મનોશારીરિક રોગો આપણને એ દર્શાવે છે કે અચેતન મન આપણી ચેતન ક્રિયાઓનું કેવી રીતે નિયંત્રણ કરે છે. જ્યારે ધ્યાન આપણને એ શીખવે છે કે અચેતન પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવામાં ચેતન મનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. આ માટે યોગ અને ઝેનમાં કેટલીક ટેકનિક છે. એ ટેકનિક દ્વારા નાડીના ધબકારનો પ્રવેગ. પાચન, ચયાપચય, શરીરનું તાપમાન તેમજ દુ:ખની સંવેદનાને તમે સભાનપણે નિયંત્રણમાં લાવી શકો !

વાસ્તવમાં આ તમામ વસ્તુઓમાં નવાઈ પામવા જેવું કશું જ નથી. તેમ છતાં આપણને તેમાં ચમત્કાર જેવું લાગે છે. કારણ કે શરીર અને મન વચ્ચે ગાઢ સંબંધ છે એ હકીકતથી આપણે અજ્ઞાત છીએ.

શરીર અને મન એક જ આત્માની અભિવ્યક્તિ છે. એ બંને સ્વતંત્રપણે કામ કરતાં નથી અને કરી શકતા નથી. બંનેનો એકસરખો આદર ન કરીએ તો આપણં વ્યક્તિત્વ ક્યારેય પૂર્ણ અને અખંડ બની ન શકે.

આજની આધુનિક સંસ્કૃતિમાં આપણે આપણા શરીરના ભોગે મનનો વિકાસ કરી રહ્યા છીએ. નૃવંશશાસ્ત્રીનું એમ કહેવું છે કે આજથી થોડા શતકો પછી આપણે વિરાટ મગજ અને અવિકસિત શરીર ધરાવતાં પ્રાણીમાં ફેરવાઈ જઈશું, કારણ કે શરીરના એક જ ભાગનો એટલે કે મગજનો જ આપણે સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છીએ !

શરીરની નિંદા કરવી એ કાંઈ આધુનિક સમસ્યા નથી. પ્રાચીન સમયથી શરીરને અતિ સ્થૂળ પદાર્થ કહીને તેની આપણે નિંદા કરતાં આવ્યા છીએ. આપણે હંમેશાં શરીરને દોષ દઈએ છીએ કે તે આપણને ખલેલ પહોંચાડે છે, માયામાં લપેટે છે, જગતનાં પ્રલોભનો તરફ ખેંચી જાય છે.

પ્રાચીન સમયથી યોગીમુનિઓ કહેતા આવ્યા છે કે અધ્યાત્મપ્રાપ્તિ માટે શરીરની ઉપેક્ષા જરૂરી છે. તેથી તેઓ શરીરને ત્રાસ આપતા, શરીરને કષ્ટ દેતા અને સતત

એક વાતનું રટણ કર્યા કરતા કે, હું દેહ નથી, હું દેહ નથી,

જોકે આ એક માર્ગ છે પણ એ જૂજ લોકોને કામ લાગે તેવો માર્ગ છે.

મારું કહેવું એમ છે કે શરીરમાંથી પસાર થઈને અધ્યાત્મમાર્ગે જઈ શકાય છે. શરીર એ નાવ છે, સંસારરૂપી નદી પાર કરવા તે કામ લાગે છે. તેથી તમારી નાવમાં છિદ્ર હશે કે નાવ ખોડખાંપણવાળી હશે તો તમે નદી કેવી રીતે પાર કરી શકશો ? તેથી કહું છું કે શરીરનો અનાદર કરશો તો શરીરની પેલે પાર કેમ જઈ શકશો ? માટે શરીર સાથે ગાઢ પ્રેમ કેળવો.

શ્રીરામકૃષ્ણ પરમહંસે એક સુંદર વાત કહી છે :

માયાની નદીને પાર કરવાના બે માર્ગ છે.

એક રીત છે, બધી તાકાત ભેગી કરો અને પછી સામે પાર જવા માટે મોટી છલાંગ ભરો. બીજી રીત છે, માયા સમક્ષ બે હાથ જોડીને ઊભા રહો અને વિનમ્રભાવે અરજ કરો,

"હે માયા ! કૃપા કરીને મને પાર ઉતારો !"

આ છે આદર અને વિનમ્રતાનો માર્ગ.

તમારા શરીર સાથે શાંતિ અને સાનુકૂળતા રાખો.

શરીરનું નિયંત્રણ કરવાના વિચારને જ છોડી દો.

તમારા શરીરમાં ડહાપણ છે. એ વાત પર વિશ્વાસ રાખો.

મનમાં સ્પષ્ટતા અને કરુણાના ભાવ સાથે શરીરને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરશો તો આગળ માર્ગ આપોઆપ દેખાશે.