તમે ખાલી થાઓ
તમે ખાલી થાઓ
એક પ્રચલિત ઝેન કથા છે :
રેક પ્રચલિત ઝેન કથા છે :
એક દિવસ એક મશહર અધ્યાપક કેટલીક તાત્ત્વિક ગૂંચવણના સ્પષ્ટીકરણ માટે મહાન ઝેન ગુરૂ નાનસેન પાસે ગયા. ગુરૂ વનમાં એક કુટિરમાં રહેતા હતા. લાંબી મજલ કાપીને એ અધ્યાપક ગુરૂને મળવા હાજર થઈ ગયા.
અધ્યાપકે કૃટિરમાં પ્રવેશ કર્યો ત્યારે ગુરૂ ચા બનાવવા માટે પાણી ઉકાળી રહ્યા હતા. અધ્યાપકનું મસ્તિષ્ક નાનસેનને પૃછવા માટેના પ્રશ્નોથી તર હતું. તેમણે તરત જ પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી દીધી.
થોભો, ગુરૂએ કહ્યું, પહેલાં આપણે ચા પીએ.
પણ અધ્યાપક એકદમ અધીરા થઈ ગયા હતા. તેમને પોતાના પ્રક્નોના ઉત્તર જોઈતા હતા અને સાથે સાથે નાનસેન સમક્ષ પોતાના જ્ઞાનનો દેખાવ કરવો હતો.
નાનસેન ચા ગાળતા હતા અને અધ્યાપકે તો આ સિદ્ધાંત અને પેલી ફિલસૂફી વિશે બોલવાનું ચાલુ કરી દીધું. પોતાના પ્રતિભાવ અને અભિપ્રાય રજૂ કરવાની અને નાનસેનનું મંતવ્ય પૂછવાની તેમણે શરૂઆત કરી દીધી.
આખરે નાનસેનની ચા તૈયાર થઈ ગઈ. તેઓ ચાની કિટલી અને બે કપ લાવ્યા. એક કપ અધ્યાપક પાસે મૂક્યો.
"ગુરૂજી, આપ મારા પ્રશ્નોના ઉત્તર ક્યારે આપશો ? મારે આપની પાસેથી ઘણું બધું શીખવાનું છે," અધ્યાપક વિનમ્રતાપૂર્વક બોલ્યા.
જવાબમાં નાનસેને અધ્યાપકના કપમાં શાંતિથી ચા રેડવાની શરૂઆત કરી. કપમાંથી ચા ઢોળાવા લાગી ત્યાં સુધી તેઓ ચા રેડતાં જ રહ્યા. સામાન્ય રીતે ઝેન ગુરૂઓની છાપ ધુની કે તરંગીની ગણાય છે, પણ આ તો હદ થઈ ગઈ.
''અરે ! આપ શૂં કરી રહ્યા છો ? શું તમને દેખાતું નથી કે કપમાં હવે વધારે ચા સમાઈ શકે એમ નથી ? કપ પૂરેપૂરો ભરેલો છે," અધ્યાપકે ચકિત થઈને કહ્યું.
નાનસેને સ્મિત વેર્યું અને બોલ્યા, ''એમ ! તો પછી તમે તમારો કપ ખાલી કેમ ન કર્યો ?'' ઝેન ગરુઓ મોટેભાગે અવળવાણી બોલતા હોય છે. અધ્યાપક બુદ્ધિશાળી હતા. તેથી તેમને ગૂરૂની વાત સમજાઈ ગઈ.
જે કપની નાનસેન વાત કરી રહ્યા હતા તે કપ અધ્યાપક સ્વયં હતા. અધ્યાપક વિચારોથી, ઉછીની ફિલસૂફીથી, પ્રાપ્ત જ્ઞાનથી એટલા છલોછલ ભરેલા હતા કે નાનસેન તેમને કોઈ પણ રીતે કાંઈ પણ શીખવી શકે એ માટે સહેજ પણ જગ્યા રહી નહોતી
કઈક નવું શીખતા પહેલાં તમારે તમારો કપ ખાલી કરવો જ પડે !
તમારો કપ ખાલી કરો' એ દ્વારા ગૂરૂનો કહેવાનો ભાવાર્થ શું હતો ?
આપણે બધા જીવનમાં તમામ બોરિયાંબિસ્તરાં સાથે લઈને ફરીએ છીએ. આપણાં ઘર. આપણી ધનસંપત્તિ, આપણાં પ્રમાણપત્રો – આ તમામ બાહ્ય ભૌતિક બિસ્તરાંને તો આપણે જોઈ શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ !
જો હવે હું તમને એમ કહૂં કે તમારા જીવનમાંથી તમામ બોરિયાંબિસ્તરાં ખાલી કરો તો હું શું કહેવા માગું છું તેનો ખ્યાલ તમને આવી જ ગયો હશે.
પણ જે બોરિયાંબિસ્તરાં તમે તમારી અંદર લઈને ફરો છો અને જેની તમને જાણ પણ નથી તેનું શું ?
મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે બધા જ આપણા અંગત ખયાલો અને જીવનની કિલસૂફીથી છલોછલ ભરેલા છીએ.
જગતના દરેક વિષય અંગે આપણા પૂર્વગ્રહિત વિચારો છે. આપણને શૂં કામ લાગશે અને શું નહિ લાગે એ વિશે આપણે નિર્ણય લઈ ચૂક્યા છીએ.
આપણી પોતાની સમસ્યાઓને બાદ કરતાં જગતની દરેક સમસ્યા માટે આપણી પાસે ઉકેલો છે; જોકે, આપણે એ વાત ક્યારેય કબૂલ કરતા નથી.
તદપરાંત આપણે કેવી રીતે રહીએ છીએ, કેવી રીતે શીખીએ છીએ, કેવી રીતે કામ કરીએ છીએ - એ તમામ વસ્તુ પર આપણા પોતાના ભય અને સ્મૃતિ તેનો ભાગ ભજવે છે.
અન્ય શબ્દોમાં કહીએ તો આપણે આપણી જાતને એટલી બધી છલોછલ ભરી દીધી છે કે હવે કાંઈ પણ નવું શીખવા માટે 'વધારે જગ્યા બચી જ નથી !'
તેમ છતાં તમે આ વાંચી રહ્યા છો તેનો સ્વાભાવિક અર્થ એ થાય કે કંઈક નવું જાણવં એ તમારું લક્ષ્ય હોવું જોઈએ. જાણવા યોગ્ય બધી જ વસ્તુ તમે જાણો છો એની તમને સંપર્ણ ખાતરી હોય અને તે છતાં જો કેવળ જિજ્ઞાસાથી જ તમે આ વાંચતા હો તો પણ કાંઈ વાંધો નહિ અને તમે જે સ્થિતિમાં હાલ છો તેમાં જ રહીને આગળ વધો અને વાંચતા રહો. અલબત્ત તમારું લક્ષ્ય કંઈક શીખવા માટે હોય, મારી સાથે જેટલો સમય વીતાવ્યો તેમાંથી કંઈક પ્રાપ્ત કરવા માટે હોય તો હું તમને નિવેદન કરૂં છૂં :
તમારા કપને ખાલી કરી નાખો.
બીજી એક લઘુકથા : એ કથા તમને સાચા વિદ્યાર્થીના મનોવલણની વાત કરે છે. ઓસ્પેન્સ્ક નામે એક મેધાવી ગણિતજ્ઞ કંઈક શીખવા માટે ફિલસફ ગર્જક પાસે આવ્યા. અધ્યાપક અને ઝેન ગરુનાં દર્ષ્ટાંતની જેમ ઓસ્પેન્સિકને પણ કેટલીક શંકાઓનું ગર્જક પાસેથી સમાધાન જોઈતું હતું.
અતિ બુદ્ધિમાન અને સફળ લોકોના મનમાં જ હંમેશા આવી શંકાઓ ઊઠતી હોય છે. કકડીને ભૂખ લાગી હોય ત્યારે માણસને અધ્યાત્મ વિશે વિચારવાનાં ઈચ્છા કે વલણ હોતાં નથી. તે જ પ્રમાણે ધનસંપત્તિથી, જ્ઞાનથી અને સફળતાથી તમારા કપને છલકાવી દીધો હોય પછી મનમાં એમ થાય છે કે જીવનમાં કંઈક ખટે છે, કોઈક સ્વાદ કે રસ ખટે છે અને ત્યાર પછી જ માણસ અધ્યાત્મ તરફ વળે છે.
ઓસ્પેન્સ્ક ગુર્જેક પાસે આવ્યા ત્યારે તેઓ સુપ્રસિદ્ધ ગણિતજ્ઞ હતા. ગણિતના વિષયમાં તેમણે ચીલો ચાતરે તેવું કામ કર્યું હતું. તેથી સ્વાભાવિક છે કે તેમને જ્ઞાનનું અહંયૂ હોય. તે સમયે ગુર્જફને તો સમાજમાં ભાગ્યે જ કોઈ જાણતું હતું. તેમ છતાં ગુર્જેક પાસે કંઈક એવું તત્ત્વ છે, તેમની પાસેથી કંઈક જાણવા જેવું છે એ વાત સમજી શકે એટલી વિચક્ષણતા પણ ઓસ્પેન્સિકમાં હતી. તેમને અહેસાસ થયો કે ગુર્જફ પાસેથી કંઈક જાણવા જેવું છે, તેમની પાસેથી ખરેખર કંઈક શીખવા જેવું છે.
તેથી તેઓ ગુર્જફ પાસે આવ્યા અને કહ્યું, ''ગુરૂજી, આપ તો કેટલાંય વિષયોમાં પારંગત છો. મને તમારી પાસેથી એ વિષયોનું ઘણું બધું જ્ઞાન મળી શકે તેમ છે. તમે મને એ જ્ઞાન આપશો ?''
'ચોક્કસ,' ગર્જેફે કહ્યું. વિદ્યાર્થી સાથે કામ પાર પાડવાની તેમની પાસે અનોખી રીત હતી. તેમની રીત ઝેન ગૂરૂ જેવી નહોતી.
તેમણે ઓસ્પેન્સ્કને ફક્ત એટલૂં જ કહ્યું કે હું તને શીખવવાની શરૂઆત કરૂં તે પહેલાં તને જે વિષયોનું જ્ઞાન છે તેની એક યાદી તું કેમ તૈયાર નથી કરતો ? પહેલાં એ કામ પતાવી લે ને ! તું જાણે છે એ વિષયોની ચર્ચામાં મારે ખોટો સમય બરબાદ ન કરવો પડે અને તને જે વિષયોનું જ્ઞાન મેળવવું છે એના પર જ હું ધ્યાન કેન્દ્રિત કરી શકું.
એક કાગળ અને પેન્સિલ લઈને ઓસ્પેન્સ્કિ બાજુના ખંડમાં ગયા અને યાદી તૈયાર કરવા બેઠા.
ઓસ્પેન્સ્ક પછીથી પોતાનાં સંસ્મરણોમાં લખે છે :
ત્યાં બેઠા પછી પહેલી વાર મને અહેસાસ થયો કે એવા એક પણ વિષયનું જ્ઞાન મારી પાસે નથી, જેની હૂં યાદી બનાવી શકું. જે વિષય અંગેની સંપૂર્ણ જાણકારીની મને ખાતરી ન હોય એ વિષયનું નામ હું યાદીમાં કેવી રીતે લખી શકું ? ગુર્જેકનો મુકાબલો કરી શકે એનો તો સવાલ જ નહોતો. એ મહા પંડિત હતા. યાદીમાં ઉલ્લેખ કરેલા વિષય પર મને તેઓ પ્રશ્ન પૂછે અને હૂં કદાચ તેનો ઉત્તર ન આપી શકું તો ? જેમ જેમ આવા વિચારો આવતા ગયા તેમ તેમ મને મનમાં ખાતરી થતી ગઈ કે હં કોઈ પણ વિષયને ઊંડાણપર્વક અને સાચા અર્થમાં જાણતો જ નથી. જીવનમાં મને પહેલી વાર અહેસાસ થયો કે વાસ્તવમાં હું કાંઈ જ જાણતો નથી.
૪૫ મિનિટ પછી ઓસ્પેન્સ્ક ગુર્જક્ પાસે આવ્યા. એક પણ હરફ ઉચ્ચાર્યા વિના તેમણે ગર્જદ્રનાં ચરણોમાં પેલો ખાલી કાગળ મુકી દીધો.
ગુર્જક સ્મિત સાથે ઓસ્પેન્સ્કને ભેટી પડયા અને કહ્યું,
હવે એમ લાગે છે કે તેં જાણવાની શરૂઆત કરી છે.. .. .. !
તમે કાંઈ જ જાણતા નથી એ હકીકત જાણવી એ જ જ્ઞાનની શરૂઆત છે.
તમે કાંઈ જ જાણતા નથી એ વાત જ્યારે તમે જાણો ત્યારે તમને એટલું તો જ્ઞાન છે કે તમે જાણતા નથી.
તમે જાણતા નથી એ વાતની જો તમને ખબર જ નથી તો તમને એટલું પણ જ્ઞાન નથી કે તમે જાણતા નથી
- બસ, તમામ તકલીફોનું મૂળ અહીં જ છે.
હું તમને 'ખાલી થાઓ' એમ કહું છું ત્યારે ખાલીપણાના બે પ્રકારની વાત કરૂં છું :
- ૧. નકારાત્મક. નિષ્ઠિય ખાલીપણું એ ખાલીપણું તમે અનુભવો છો પણ તેનું નિયંત્રણ કરી શકતા નથી. એ ખાલીપણું તમને કોઈને કોઈ રીતે ખાલી થઈ ગયાની અને કંઈક ખટતું હોવાની પ્રતીતિ કરાવે છે.
- ર. સકારાત્મક, આનંદદાયક અને સદ્વિય ખાલીપણું જીવનમાં સંપર્ણપણે બિનજરૂરી એવી દરેક વસ્તુને બહાર ફેંકી દેવાથી જે ખાલીપો જન્મે છે તે છે સકારાત્મક ખાલીપણું. એકલતા અને એકાકીપણા વચ્ચેના તફાવત જેવો જ આ તફાવત છે.
તમે ખાલી થાઓ
પહેલા પ્રકારનું ખાલીપણું તમે બધાયે કોઈને કોઈ સમયે અનભવ્યું જ હશે. હકીકતમાં કેટલાક લોકો માટે તો આ એક સ્થાયીભાવ છે: રોજિંદા જીવનની મનઃસ્થિતિ છે.
સમાજ અને પ્રસારમાધ્યમ પણ આ જ પ્રકારના ખાલીપણા પર પ્રહાર કરે છે. તમારા જીવનમાં ઊંડા ઉતરવા માટે આ એક સૌથી સરળ માર્ગ છે, કારણ કે એ તમારા જીવનની સૌથી નબળી કડી છે. બજારમાં દરેક બ્રાન્ડ સામાન્ય રીતે આ જ સિદ્ધાંત પર ચાલે છે : તેમની વિશિષ્ટ બ્રાન્ડની વસ્તુ તમારી પાસે ન હોય તો તમારું જીવન અમુક રીતે ઓછું સમુદ્ર, અમુક રીતે અપૂર્ણ અને ખાલી ગણાય એવી લાગણી તેઓ તમારા મનમાં જન્માવે છે.
વેચાણની ભાષામાં એક સૂત્ર છે : 'જરૂરિયાતનું નિર્માણ કરો / કૃત્રિમ જરૂરિયાત ઊભી કરો'
કલ્પના કરો : પોતાની બ્રાન્ડના વેચાણ માટે તમારામાં જરૂરિયાત ઊભી કરવી એ તેમનું સૌથી પહેલું કામ છે. જે વસ્તુની તમને હાલ કોઈ જ જરૂર નથી તે વસ્તુની કૃત્રિમ જરૂરિયાત તમારા મનમાં ઊભી કરીને તેમની બ્રાન્ડમાં તેને જડબેસલાક બેસારી દે છે.
આ કામ વ્યવસાયીઓ ઔપચારિક રીતે કરે છે અને તે જ કામ સમાજ અનૌપચારિક રીતે કરે છે. જો તમારા જીવનસાથી (પતિ / પત્ની) બરાબર ન હોય. જો તમને જરૂરી સંખ્યામાં સંતાનો ન હોય અથવા તમારી પાસે અમુક પ્રકારની નોકરી ન હોય તો સમાજ તમને કંઈક ખૂટતું હોવાનો અહેસાસ કરાવે છે. અને એ રીતે તમારામાં ખાલીપણાની લાગણી જન્માવે છે.
એક લઘુકથા :
શિવપુરાણમાં શિવ અને બ્રહ્મકપાલની કથા છે. બ્રહ્મકપાલ એટલે ખોપરી. શિવજી સન્યાસીના વેશમાં પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે બ્રહ્મકપાલનો ભિક્ષાપાત્ર તરીકે ઉપયોગ કરવાની તેમને ફરજ પાડવામાં આવી. બ્રહ્મકપાલની એક વિચિત્ર અને વિસ્મયકારી વાત એ હતી કે લોકો એ પાત્રમાં જે કંઈ ભિક્ષા મૂકે એટલે તરત જ એ ખાલી થાઓ
િભક્ષાને સ્વાહા કરી જતં. શિવજી એ પાત્ર ભરવાના ગમે તેટલા પ્રયાસ કરે પણ એ િભક્ષાપાત્ર હંમેશા ખાલી જ રહેતં.
આ બ્રહ્મકપાલ આપણા સૌની ભીતર છે.
આખી જિંદગી આપણે આપણી અંદરના ખાલીપણાને સંપત્તિથી, જ્ઞાનથી અને સંબંધોથી સતત ભરવાનો પ્રયાસ કર્યા કરીએ છીએ.
પણ બ્લૅકહોલમાં જે કાંઈ નાખો તે બધું સ્વાહા થઈ જાય છે અને છતાં મર્ખની જેમ આપણે તેમાં વધારે ને વધારે નાખતા જ જઈએ છીએ. આપણા ખાલીપાને ભરવા વધારે ને વધારે રોકાણ કરીએ છીએ અને છેવટે આપણે સફળતાથી ઉભરાઈ જઈએ છીએ, પણ તે છતાં 'હજી કાંઈક ખૂટે છે' એ લાગણી આપણા મનમાં રહે જ છે.
હું બંગાળમાં પરિવ્રાજક હતો ત્યારે એક વાર રસ્તાની એક બાજુ એક સ્ત્રી શિંગ વેચતી હતી. શિંગ માપવા માટે તે એક નાનકડી ટીપરીનો ઉપયોગ કરતી હતી. ગ્રાહક શિંગ ખરીદવા આવે એટલે ટીપરી શિંગદાણાથી એટલી છલોછલ ભરી દે કે ગ્રાહકની થેલીમાં નાખવા જતાં શિંગદાણા નીચે વેરાઈ જતા, પણ શિંગદાણા ગ્રાહકની થેલીમાં ઠલવાઈ ગયા પછી જાદુઈ રીતે ઓછા થઈ જતા હતા એ જોઈને મને નવાઈ લાગી. તેની યુક્તિને સમજતાં મને થોડી વાર લાગી. તેની ટીપરીના તળિયામાં જ કંઈક ગરબડ હતી. તેથી ટીપરી બહારથી ભરેલી લાગે પણ અંદરથી થોડી ખાલી હોય.
કોઈ તેને પકડી પાડે તે પહેલાં કેટલા ગ્રાહકોને આ રીતે યુક્તિથી છેતરતી રહેશે ? મને પ્રશ્ન થાય છે કે દરેક વખતે અને દરેક વ્યક્તિ પર તમારી આવી યુક્તિ કે છેતરપીડી ક્યાં સુધી ચાલે ?
ખાસ કરીને આવી યુક્તિ કે છેતરપીડી ગુરૂ પાસે તો ન જ ચાલી શકે.
તમે ઝીણવટથી જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે કે નાનસેન અને ગર્જફ એ બંનેએ પોતાના શિષ્યો પર તદ્દન અલગ અલગ રીત અજમાવી. નાનસેને અધ્યાપકને પ્રતીતિ કરાવી કે તમે અંદરથી છલોછલ ભરેલા છો, જ્યારે ગુર્જેફે ઓસ્પેન્સ્કને તેમની અંદર રહેલા ખાલીપણાનો અહેસાસ કરાવ્યો.
વસ્તત: બંને ગુરુઓ એક જ વાત કરી રહ્યા હતા, કારણ કે ભરેલું હોવું કે ખાલી હોવું એ બેમાં ખરેખર તો કોઈ ફરક નથી. પેલી શિંગ વેચનાર સ્ત્રીની જેમ અંદર રહેલા ખાલીપાને ઢાંકી દેવા માટે આપણે પર્ણતાની કૃત્રિમ લાગણીનું નિર્માણ કરીએ છીએ.
આથી ગુરૂનું કામ બંમણું થઈ જાય.
કેટલાંય વર્ષોથી તમે જે કચરો ભેગો કર્યો છે તેને સૌથી પહેલાં મારે બહાર કાઢવો પડશે. ત્યાર પછી તમારામાં સાચા અર્થમાં ખાલીપો, સકારાત્મક ખાલીપો ઉત્પન્ન કરવો પડશે. આ રીતે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારે તમને તૈયાર કરવા પડશે.
જોકે ખાલી થવું એ એટલું આસાન નથી !
ખાલી થવું એ વિશ્વની સૌથી ભયભીત કરનારી વસ્તુ છે.
તમારી પૂર્ણતા પર જ તમારૂં અહમ્ પાંગરે છે. જે કોઈ વસ્તુ તમને કંઈક હોવાનો અહેસાસ કરાવે છે તેને તમારૂં અહમ્ સતત વળગી રહે છે. તો પછી તમે કેવી રીતે અહંશુન્ય બની શકો ? અહંશૂન્ય બનવાની વાત તમારું અહમ્ ક્યારેય સાંખી નહિ શકે !
પણ આ ભારથી હળવા થવું એ જ મહત્તમ ચમત્કાર છે !
તમારો કપ ખાલી કરો એમ હું કહું છૂં ત્યારે મારો કહેવાનો ભાવાર્થ એ નથી કે તમે અત્યાર સુધી જે જ્ઞાન સંપાદન કર્યું છે તેને તમે બહાર ફેંકી દો. ખરેખર તમારા જીવનમાં જ્ઞાનની એક ચોક્કસ ભૂમિકા છે. તમે જે પ્રકારની જીવનશૈલીને અનુસરી રહ્યા છો તેને માટે જ્ઞાન મહત્ત્વનું છે.
પણ હવે તમે એક અલગ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છો.
તેથી હું એમ કહું છું કે તમે તમારી ટેવો, તમારા પૂર્વગ્રહો, તમારા પૂર્વનિર્ધારિત વિચારોને
એક બાજુ મૂકી દો. હું તમને સંવેદનશીલ બનવાનું અને ગ્રાહ્ય બનવાનું કહું છું. તમે મારી વાત માનો જ એવું પણ હું તમને નથી કહેતો. બસ, મનને સંપૂર્ણપણે ખુલ્લું રાખો અને ખુલ્લી આંખે જુઓ. દરેક પળ જ્ઞાન મેળવવા માટેની એક સુંદર તકમાં પલટાઈ જશે.
તમે ખાલી થાઓ